SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ તો હોવો જોઈએ ! એ બંનેને જોડનારો પુલ - સેતુ એટલે સરસ્વતી. એટલા જ માટે અમાસના દિવસે સરસ્વતીનું પૂજન થાય છે - ચોપડાપૂજન થાય છે. આ ત્રણેને જુદી જુદી રીતે ગોઠવવામાં આવેલ છે, પરંતુ જો મૂળમાં જોવા જોઈએ તો કેન્દ્રમાં એક શક્તિ પડેલી છે. લક્ષ્મીની શક્તિ જુઓ, કાળીની શક્તિ જુઓ, સરસ્વતીની શક્તિ જુઓ. એક ઠેકાણે સૌમ્યતા છે, બીજે ઠેકાણે રૂદ્રતા છે અને ત્રીજે ઠેકાણે જ્ઞાનના તેજરૂપ વિવેક છે. હીરો જ્યારે ખાણમાંથી બહાર આવે છે ત્યારે તેમાં કોઈ તેજકિરણ દેખાતું નથી, માત્ર એક સામાન્ય ચકચકતો પથ્થર જ હોય છે. પરંતુ કુશળ કારીગર એને પાસા પાડે પછી એ એવો કીમતી બની જાય છે કે, સામાન્ય જણાતા પથરાની કિંમત પાંચ હજાર, દશ હજાર, લાખ, બે લાખ એમ વધતી જાય છે, કારણ કે એનાં કિરણો બહાર આવતાં જાય છે. એ જ રીતે પ્રારંભમાં તો બધાય સામાન્ય કક્ષામાં જ પડેલા હોય છે, પરંતુ જેમ જેમ એની ઉપર કેળવણીના, સંસ્કારના પાસાઓ પડતા જાય છે, તેમ તેમ તેજ બહાર આવતું જાય છે. ભગવાન મહાવીર ને બુદ્ધના જમાનાની એક વાત છે. એનું નામ હતું વિશાખા. અઢી હજાર વર્ષ પહેલાં એ થઈ ગઈ છતાં આજે એને યાદ કરીએ છીએ. એનું લગ્ન મગધથી સુદૂરના કૌશલ દેશના મહામંત્રી મૃગધરના પુત્ર વેરે થયું. એ શ્વશુરગૃહે આવી. કેળવણી તો ખૂબ લઈને આવી હતી, પરંતુ કોઈ દહાડો એનું પ્રદર્શન એ કરતી નહિ. જ્ઞાન આવડતું હોય તો સાચવી મૂકજો, અવસર આવે ત્યારે ઉપયોગમાં લેજો. અંધારું હોય અને સ્વિચ દાબો એટલે જે રીતે પ્રકાશ પથરાઈ જાય છે, તે રીતે તમારું જ્ઞાન પણ જરૂર પડ્યે બહાર આવીને તિમિર માત્રને ટાળી નાખે એવું હોવું જોઈએ. આ વિશાખાનું જ્ઞાન પણ એવું હતું. એક દિવસની વાત છે. રાજા પ્રસેનજિતની સભામાં દૂરનો સોદાગર બે ઘોડીને લઈને આવ્યો, અને સભા વચ્ચે કહ્યું, “આ બે ઘોડીઓમાં એક મા છે, બીજી દિકરી છે. આ સભામાં હું બંનેને ઊભી રાખું છું. જે કોઈ એ માદીકરીને બરાબર ઓળખી શકશે એને બેય ઘોડી આપી દઈશ.” બધાય લોકો જોયા કરે. મા અને દીકરી રૂપમાં, રંગમાં, વાનમાં, દેખાવમાં એવાં એકસરખાં હતાં કે આકૃતિમાં, આંખમાં અને ઊંચાઈમાં ક્યાંય ફરક ન મળે. બધા જોયા જ કરે, પણ એમાં મા કોણ અને દીકરી કોણ એનો પત્તો જ ન દેખાય. પૂર્ણિમા પાછી ઊગી ! આ ૯૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002142
Book TitleJivan Mangalya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Devnagari & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy