SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ આ તત્ત્વો નથી તો જીવન કંઈ નથી. તમને ખબર હશે કે, ભારતની એક જ સ્ત્રીએ રામાયણ ઊભું કર્યું હતું. રાવણ જેવા સમર્થ પુરુષ, જેનાં ચરણો આગળ નવ નવ ગ્રહો પડ્યા રહેતા; જેની આગળ ઇન્દ્ર ચામર ઢાળતો હતો; જે વીર હતો, રૂપાળો હતો, સમર્થ હતો, જ્ઞાની હતો; જેની તત્ત્વોની મીમાંસા પણ અદ્ભુત હતી... આવા રાવણે બધે જ વિજયપતાકા ફરકાવી હતી, પરંતુ આ જ રાવણ સીતાજી સમક્ષ પામર બન્યો હતો. રાવણ આવીને કહે છે, “રામ એટલે જંગલમાં ફરનારો, રામ એટલે વનમાં ભટકનારો, રામ એટલે વલ્કલ પહેરનારો અને હું એટલે ત્રણ ભુવનનો સ્વામી, તું તો મારા પર પ્રસન્ન થાય તો હું તારો દાસ બનવા માટે પણ તૈયાર છું. તને સમ્રાજ્ઞી બનાવું.” સીતાજી કહે છે, “જે માણસો પરસ્ત્રીના દાસ બને એવા વામણા માણસોની સામે તો હું નજર નાખવામાં પણ પાપ સમજું છું. જે વાસનાઓનો ગુલામ છે, તે આખી દુનિયાનો ગુલામ છે.” આ છે સ્ત્રીની શક્તિ ! બર્નાર્ડ શૉ એક ઠેકાણે લખે છે, “Give me that man who is not passion's slave. and I will wear him in my heart's core - 444 એવો માણસ બતાવો, જે વાસનાઓનો, વૃત્તિઓનો ગુલામ નથી. આવા માણસને હું હૃદયના ખંડમાં પધરાવીશ.” અમે નાના હતા ત્યારે એક વાર મદ્રાસમાં વિક્ટોરિયા ગાર્ડનમાં ફરવા ગયેલા. એક મોટો શેર (સિંહ) સૂતો હતો. અમે બધા ભાઈબંધ તોફાને ચડ્યા હતા. પેલા પોઢેલા શેરનું ટીખળ કરવા માટે જરાક પૂંછડું ખેંચ્યું. એણે એવી ગર્જના કરી કે અમારે ભાગવું પણ ભારે પડી ગયું. હતો તો એ પાંજરામાં, પણ એની શક્તિ, એની ગર્જના એટલી બધી જબરદસ્ત હતી કે અમે દોડીને દરવાજા બહાર જઈને ઊભા રહ્યા છતાં અમારા હૃદયમાં પેલા સિંહની ગર્જનાના પડઘા સંભળાતા હતા. સિંહની આ જે શક્તિ છે તે તમારામાંય પોઢેલી છે, પરંતુ એ શક્તિ આજે સૂતેલી છે, એ ઊંઘનાં ઝોકાં ખાય છે. એ શક્તિને જગાડો અને જુઓ કે તમારામાં કઈ જાતનું તેજ આવે છે. આ શક્તિ પ્રગટ કરવા માટે આપણે સૌથી પહેલી વાત લક્ષ્મીની વિચારી. બીજી વાત કાળી-મહાકાળીની પણ વિચારી. એની સાથે સાથે એક ત્રીજી શક્તિની પણ જરૂર છે. એક બાજુ પ્રસન્નતા હોય, બીજી બાજુ રુદ્રતા હોય, પણ એ પ્રસન્નતા અને રુદ્રતાની વચ્ચે કોઈ પુલ તો હોવો જોઈએ, સેતુ ૯૬ - જીવન-માંગલ્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002142
Book TitleJivan Mangalya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Devnagari & History
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy