SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ તર્કરહસ્યદીપિકા 9. શ્લોકમાં ‘વીર નર્વા' કહ્યું છે. વ્યાકરણશાસ્ત્રના નિયમ અનુસાર જે ક્રિયાને ક્વા' પ્રત્યય લાગે છે તે ક્રિયા પછીથી થનારી કોઈ બીજી ક્રિયાની અપેક્ષા રાખે છે. તેથી અહીં “નવા' (‘નમન કરીને) ક્રિયાનો ‘‘નાદ” (“કહેવામાં આવે છે')એ ક્રિયાપદ યા ક્રિયા સાથે સંબંધ જોડવો જોઈએ. શું કહેવામાં આવે છે? બધાં દર્શનોને જે વસ્તુ (અર્થ) કહેવાની છે તે. તેથી સીધો વાક્યર્થ આ પ્રમાણે થશે – “વીર પ્રભુને નમસ્કાર કરીને બૌદ્ધદર્શન આદિ બધાં મૂલદર્શનોમાં પતિપાદિત દેવ, તત્ત્વ અને પ્રમાણ આદિનું સ્વરૂપ સંક્ષેપમાં કહેવામાં આવે છે. જો કે શ્લોકમાં ‘નિદ્યતે' ક્રિયાનો કર્તા થા' (મારા વડે') અનુક્ત છે તો પણ ક્રિયાના સામર્થ્યથી તેનો અધ્યાહાર કરી લેવો જોઈએ. 10. તેને સાક્ષામિથે મખ્યથા, સંવન્યપ્રયોગને તુ સામથ્થવા सर्वदर्शनवक्तव्यदेव-तत्त्वादिज्ञानमुपेयम्, इदं शास्त्रं तस्योपायः, एवमुपायोपेयलक्षणः संबन्धः सूचितो द्रष्टव्यः । प्रयोजनं तु द्वेधा कर्तुः श्रोतुश्च । द्वयमपि द्वेधा – अनन्तरं परंपरं च । कर्तुरनन्तरं प्रयोजनं सत्त्वानुग्रहः । श्रोतुरनन्तरं सर्वदर्शनाभिमतदेव-तत्त्व-प्रमाणादिज्ञानम् ।द्वयोरपि परंपरंपुनर्हेयोपादेयदर्शनानि ज्ञात्वा हेयान्यपहाय, उपादेयं चोपादाय परंपरयानन्तचतुष्टयात्मिका સિદ્ધિતિ 10. આ શ્લોકમાં આચાર્યે બધાં દર્શનોની વાત કહેવાની પ્રતિજ્ઞા કરીને ગ્રન્થનો અભિધેય વિષય બધાં દર્શનોનાં દેવ આદિ તત્ત્વો છે એ સાક્ષાત્ પોતે જ જણાવી દીધું છે. સંબંધ અને પ્રયોજન સામર્થ્યથી જ જ્ઞાત થઈ જાય છે. અહીં બધાં દર્શનોમાં પ્રતિપાદિત દેવતા તથા તત્ત્વ આદિનું યથાર્થ જ્ઞાન જ ઉ૫ય છે અર્થાત પ્રાપ્તવ્ય છે અને આ ગ્રન્થ તે જ્ઞાન મેળવવાનું સાધન હોવાથી ઉપાય છે. આમ ઉપાયોપેયરૂપ સંબંધ સૂચવાય છે. પ્રયોજન બે જાતનું છે – એક ગ્રન્થકારનું અને બીજું શ્રોતાનું (યા વાચકનું). આ બન્ને પ્રયોજનો સાક્ષાત અને પરંપરાના ભેદથી બે બે પ્રકારનાં છે. આ ગ્રન્થને રચવાનું ગ્રન્થકારનું સાક્ષાત્ પ્રયોજન આ છે – તત્ત્વનું સમીચીન જ્ઞાન કરાવી જીવો ઉપર ઉપકાર કરવો. બધાં દર્શનોમાં પ્રતિપાદિત દેવ, તત્ત્વ અને પ્રમાણ આદિના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન કરવું એ શ્રોતાનું સાક્ષાત્ પ્રયોજન છે. ગ્રન્થકાર અને શ્રોતા બન્નેનું પરંપરાથી પ્રયોજન એક જ છે અને તે આ છે – દર્શનો અંગે હેયઉપાદેયનો વિવેક કરી હેયનો ત્યાગ કરવો અને ઉપાદેયનું ગ્રહણ કરવું અને તે દ્વારા પરંપરાથી અનન્તજ્ઞાન આદિ ચતુષ્ટયરૂપ સિદ્ધિને પ્રાપ્ત કરવી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy