SearchBrowseAboutContactDonate
Page Preview
Page 770
Loading...
Download File
Download File
Page Text
________________ મીમાંસક-લોકાયતમત ૬૭૯ યદક્ તદ્ભુત્ સ્થિતાત્મતા । અર્થાત્, પૃથિવી આદિ ભૂતોનો સંયોગ થતાં દેહ આદિ ઉત્પન્ન થાય છે. ‘દેહ આદિ’ અહીં ‘આદિ’ શબ્દથી પર્વત આદિ બધા પદાર્થો ભૂતોના સંયોગથી ઉત્પન્ન થાય છે એમ સમજવું. જેમ મદિરાની સામગ્રીમાંથી મદશક્તિ ઉત્પન્ન થાય છે તેમ ભૂતોના વિશિષ્ટ સંયોજનમાંથી શરીરમાં આત્મતા યા ચેતનતા ઉત્પન્ન થાય છે. વાચસ્પતિએ કહ્યું છે કે – “પૃથ્વી, જલ, અગ્નિ અને વાયુ આ ચાર તત્ત્વો છે. તેમના વિશિષ્ટ સંયોજનોને જ શરીર, વિષય અને ઇન્દ્રિય નામો આપવામાં આવ્યાં છે અને તેમનામાંથી જ ચૈતન્ય ઉત્પન્ન થાય છે.” (૮૪). 15. एवं स्थिते यथोपदिशन्ति तथा दर्शयन्नाह - तस्माद्दृष्टपरित्यागाद्यददृष्टे प्रवर्तनम् । लोकस्य तद्विमूढत्वं चार्वाकाः प्रतिपेदिरे ॥८५॥ 15. ચાર્વાક મતમાં આ પ્રમાણે સ્થિર થયું છે ત્યારે ચાર્વાકો જેવો ઉપદેશ આપે છે તેવા જ તેમના ઉપદેશને આચાર્ય દર્શાવે છે— તેથી દૃષ્ટ ભોગોને છોડીને જે લોકો અદૃષ્ટ પરલોકના સુખ માટે પ્રવૃત્તિ (વ્રત, તપ આદિ) કરે છે તેઓ અત્યન્ત મૂર્ખ છે એમ ચાર્વાકો કહે છે. (૮૫). 16. व्याख्या-यस्माद्भूतेभ्यश्चैतन्योत्पत्तिः तस्मात्कारणाद्दृष्टपरित्यागात्-दृष्टं प्रत्यक्षानुभूतमैहिकं लौकिकं यद्विषयजं सुखं तस्य परित्यागाददृष्टे परलोकसुखादौ तपश्चरणादिकष्टक्रियासाध्ये यत्प्रवर्तनं प्रवृत्तिः तल्लोकस्य विमूढत्वम् अज्ञानमेवेति चार्वाकाः प्रतिपेदिरे प्रतिपन्नाः । यो हि लोको विप्रतारकवचनोपन्यासत्रासितसंज्ञानो हस्तगतमिहत्यं सुखं विहाय स्वर्गापवर्गसुखप्रेप्सया तपोजपध्यानहोमादौ यद्यतते तत्र तस्याज्ञानतैव कारणमिति तन्मतोपदेशः ॥ ८५ ॥ . 16. શ્લોકવ્યાખ્યા– કેમ કે ભૂતોમાંથી જ ચૈતન્ય ઉત્પન્ન થાય છે એટલે દૃષ્ટ અર્થાત્ પ્રત્યક્ષસિદ્ધ લૌકિક વિષયસુખોને છોડીને અદષ્ટ પરલોકના સુખ માટે તપશ્ચર્યા આદિ કષ્ટદાયક ક્રિયાઓમાં પ્રવૃત્ત રહેવું એ તો મહામૂઢતા તથા અજ્ઞાનની પરાકાષ્ઠા જ છે. ચાર્વાકો સદા એ જ કહે છે કે ભવિષ્યત્ની આશામાં વર્તમાનનો ત્યાગ કરવો એ નરી મૂર્ખતા છે. જે લોકો ધુતારાઓનાં વચનોના પ્રભાવથી ભોળવાઈને પોતાના સમ્યગ્નાનને તિલાંજલિ આપીને સામે ઉપસ્થિત વિષયભોગોની સુખકર સામગ્રી છોડી દઈને અદષ્ટ સ્વર્ગ-મોક્ષના સુખની ખોટી ઝંખનાથી તપ, જપ, ધ્યાન, હોમ આદિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy