SearchBrowseAboutContactDonate
Page Preview
Page 751
Loading...
Download File
Download File
Page Text
________________ તર્કરહસ્યદીપિકા _33. ઉપરના ઉદ્ભત શ્લોકમાં “સા(ત)' શબ્દ શ્લોકગત “અનુત્પત્તિનું વિશેષણ છે. સન્મતિતર્કની ટીકામાં અભાવપ્રમાણને આ ત્રણ પ્રકારે વર્ણવવામાં આવ્યું છે. અમે પણ તેમને અનુસરી તે ત્રણ પ્રકારો દર્શાવ્યા છે. 34. रत्नाकरावतारिकायां तु प्रत्यक्षादेरनुत्पत्तिरित्यस्यैवोक्तस्य बलेन द्विधा तद्वर्णितमास्ते । तत्र सशब्दः पुल्लिङ्गः प्रमाणाभावस्य विशेषणं कार्यम् इति । तत्त्वं तु बहुश्रुता जानते । 34. રત્નાકરાવતારિકામાં પ્રત્યક્ષ આદિની અનુત્પત્તિને જ બે પ્રકારની માનીને તેના બળે અભાવપ્રમાણનું બે પ્રકારે વર્ણન કર્યું છે. રત્નાકરાવતારિકામાં ['સા'ના બદલે] “' શબ્દ પુલ્લિગ છે, તેથી તે “પ્રમાણાભાવ' શબ્દનું વિશેષણ છે. તત્ત્વ શું છે? અર્થાત્ અભાવ પ્રમાણના બે પ્રકાર છે કે ત્રણ? –તે તો બહુશ્રુત આચાર્યો જાણે છે. એટલે તેમના ગ્રન્થોમાંથી જાણી લેવું.] 35. अथ येऽभावप्रमाणमेकधाभिदधति तन्मतेन प्रस्तुतश्लोको व्याख्यायते । प्रमाणपञ्चकं प्रत्यक्षादिप्रमाणपञ्चकं यत्र यस्मिन् वस्तुरूपे घटादिवस्तुरूपे न जायते न व्यापिपर्ति । वस्तुरूपं द्वधा, सदसदूपभेदात्। अतो द्वयो रूपयोरेकतरव्यक्तये प्राह 'वस्तुसत्ता' इत्यादि । वस्तुनो घटादेः सत्ता सद्भपता सदंश इति यावत्, तस्या अवबोधार्थं सदंशो हि प्रत्यक्षादिपञ्चकस्य विषयः, स चेत्तेन न गृह्यते, तदा तत्र वस्तुरूपे शेषस्यासदंशस्य ग्रहणेऽभावस्य प्रमाणतेति । 35. હવે જેઓ અભાવપ્રમાણનો એક જ પ્રકાર માને છે તેમના મતે આ ઉદ્ધત શ્લોકની વ્યાખ્યા આ પ્રમાણે છે-જ્યારે ઘટ આદિ વસ્તુના જે અંશમાં અર્થાત્ સદંશમાં પ્રત્યક્ષ આદિ પાંચ પ્રમાણોની ઉત્પત્તિ થતી નથી અર્થાત વ્યાપાર થતો નથી ત્યારે તે વસ્તુના શેષ (બાકીના) અંશને અર્થાત્ અસદંશને ગ્રહણ કરવામાં અભાવપ્રમાણ પ્રવૃત્ત થાય છે, વ્યાપાર કરે છે, અસદંશને ગ્રહણ કરવામાં અભાવપ્રમાણની પ્રમાણતા છે. વસ્તુરૂપ બે પ્રકારનું છે – સતૂપ અને અસતૂપ. તેથી આ બે રૂપોમાંથી કયું રૂપ પ્રત્યક્ષ આદિ પ્રમાણનો વિષય છે એ જણાવવા માટે કહ્યું છે – “વસ્તુસત્તા' ઇત્યાદિ. ઘટ આદિ વસ્તુની સત્તા અર્થાત્ સદ્ગપતા યા સદંશના અવબોધ માટે પ્રત્યક્ષ આદિ પાંચ પ્રમાણો વ્યાપાર કરે છે. બીજા શબ્દોમાં, સદંશ પ્રત્યક્ષ આદિ પાંચ પ્રમાણોનો વિષય છે. જ્યારે પ્રત્યક્ષ આદિ પાંચ પ્રમાણો સદંશને ગ્રહણ કરતા નથી ત્યારે વસ્તુના બાકીના રૂપને અર્થાત અસદંશને ગ્રહણ કરવા અભાવપ્રમાણ વ્યાપાર કરે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy