SearchBrowseAboutContactDonate
Page Preview
Page 750
Loading...
Download File
Download File
Page Text
________________ મીમાંસક-લોકાયતમત ૬૫૯ प्रत्यक्षादेरनुत्पत्तिः, प्रमाणाभाव उच्यते । सात्मनो[ ] परिणामो वा, विज्ञानं वान्यवस्तुनि ॥१॥ [નો સ્નો સમાવ૦ ૦ ૨૨]. 32. કેટલાક આચાર્યો અભાવપ્રમાણ ત્રણ પ્રકારે વર્ણવે છે – (૧) અભાવપ્રમાણનું લક્ષણ યા સ્વરૂપ પ્રમાણપચકાભાવ છે. અર્થાત્ અભાવપ્રમાણ પ્રમાણપંચકાભાવરૂપ છે. (૨) જેનો નિષેધ કરાય છે તે પદાર્થના કેવળ આધારભૂત અન્ય પદાર્થનું જ્ઞાન એ અભાવપ્રમાણનું સ્વરૂપ છે. (૩) વિષયગ્રહણરૂપે (વિષયજ્ઞાનરૂપે) આત્માની અપરિણતિરૂપ અભાવપ્રમાણ છે. તેઓ પ્રસ્તુત શ્લોકનો આ અર્થ કરે છે– (૧) પ્રત્યક્ષ આદિ પાંચ પ્રમાણ જે ભૂતલ આદિ આધારમાં ઘટઆદિ રૂપ આધેયને ગ્રહણ કરવા માટે પ્રવૃત્તિ (વ્યાપાર) કરતા નથી તે ઘટ આદિ આધેયથી શૂન્ય શુદ્ધ ભૂતલને ગ્રહણ કરવામાં અભાવપ્રમાણની પ્રમાણતા છે. આ અર્થથી નિષિધ્યમાન ઘટથી અન્ય શૂન્ય શુદ્ધ ભૂતલનું જ્ઞાન જ અભાવપ્રમાણ છે, અભાવપ્રમાણની પ્રમાણતા છે. (૨) પ્રમાણપશ્ચ યત્ર' શ્લોકગત આ પદનો સમ્બન્ધ અહીં પણ આ પ્રમાણે થાય છે– જે વસ્તુરૂપમાં અર્થાત્ ઘટાદિ વસ્તુના અસદેશમાં પાંચ પ્રમાણો ગ્રાહક તરીકે પ્રવૃત્ત થતાં નથી, વ્યાપાર કરતા નથી તે અસદંશમાં અભાવપ્રમાણ ગ્રાહક તરીકે પ્રવૃત્ત થાય છે, અર્થાત્ અસદંશમાં અભાવપ્રમાણની પ્રમાણતા છે. આનાથી પાંચ પ્રમાણોના અભાવરૂપ અભાવપ્રમાણ છે એ કહેવાયું. (૩) તથા ઘટ આદિ વસ્તુઓની સત્તાને સિદ્ધ કરવા માટે જ્યારે પાંચ પ્રમાણો ઉત્પન્ન થતાં નથી, ઘટ આદિ વસ્તુઓના સદંશને ગ્રહણ કરવા વ્યાપાર કરતા નથી, અર્થાત વસ્તુની સત્તાના જ્ઞાનને ઉત્પન્ન કરવા માટે પ્રવૃત્ત થતા નથી ત્યારે સત્તાના અનવબોધમાં અર્થાત્ અજ્ઞાનમાં અભાવપ્રમાણની પ્રમાણતા છે. આ અર્થમાં આત્માની વિષયગ્રહણરૂપે અપરિણતિ જ અભાવપ્રમાણ છે. આમ અભાવપ્રમાણને ત્રણ પ્રકારે દર્શાવવામાં આવ્યું. કહ્યું પણ છે કે – “પ્રત્યક્ષ આદિ પાંચ પ્રમાણોની અનુત્પત્તિને પ્રમાણાભાવ અર્થાત્ અભાવપ્રમાણ કહે છે. અથવા, આત્માની વિષયગ્રહણરૂપે અપરિણતિ યા ઘટાદિ નિષિધ્યમાન પદાર્થથી અન્ય આધારભૂત શુદ્ધ ભૂતલ આદિ વસ્તુનું જ્ઞાન અભાવપ્રમાણ છે.” [મીમાંસા શ્લોકવાર્તિક, અભાવ. શ્લોક ૧૧]. 33. મત્ર શબ્દોનુત્પષિતથા યોન્ય તિ સતિટીયમभावप्रमाणं यथा त्रिधोपदर्शितं तथेहापि तद्दर्शितम् । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy