SearchBrowseAboutContactDonate
Page Preview
Page 740
Loading...
Download File
Download File
Page Text
________________ મીમાંસક-લોકાયતમત ૬૪૯ धिगन्तृ प्रागज्ञातार्थपरिच्छेदकम्, समर्थविशेषणोपादानाज्ज्ञानं विशेष्यं लभ्यते, अगृहीतार्थग्राहकं ज्ञानं प्रमाणमित्यर्थः । अत्र 'अनधिगत' इति पदं धारावाहिज्ञानानां गृहीतग्राहिणां प्रामाण्यपराकरणार्थम् । 'अर्थ' इति ग्रहणं स्वसंवेदननिराकरणार्थम् । संवेदनं स्वसंविदितं न भवति, स्वात्मनि क्रियाविरोधात्, किन्तु नित्यं परोक्षमेवेति ज्ञापनार्थम् । तच्च परोक्षं ज्ञानं भाट्ट मतेऽर्थप्राकट्यफलानुमेयम् प्राभाकरमते संवेदनाख्यफलानुमेयं वा प्रतिपत्तव्यम् । 16. પ્રમાણોનાં વિશેષ લક્ષણોનું કથન પ્રમાણના સામાન્ય લક્ષણના કથનપૂર્વક હોય છે. તેથી પહેલાં પ્રમાણનું સામાન્ય લક્ષણ કહીએ છીએ. “ન જાણેલા અર્થાત્ અનધિગત અર્થને જાણનારું જ્ઞાન પ્રમાણ છે.” અનધિગત અર્થાત્ ન જાણેલા સ્તંભ આદિ બાહ્ય અર્થને સંશય આદિનું નિરાકરણ કરીને અધિકતા સાથે અર્થાત્ વિશેષતા સાથે જાણનારું જ્ઞાન પ્રમાણ છે. લક્ષણ વાક્યમાં “જ્ઞાન” પદ નથી, તેમ છતાં “અગૃહીત અર્થને જાણનાર – અનધિગતાર્થાધિગન્તુ આ વિશેષણના સામર્થ્યથી વિશેષ્યભૂત જ્ઞાનનો બોધ થઈ જ જાય છે. તાત્પર્ય એ કે અગૃહીત અર્થને ગ્રહણ કરનારું, અર્થાત્ ન જાણેલા અર્થને જાણનારું જ્ઞાન પ્રમાણ છે. લક્ષણવાક્યમાં “અનધિગત' પદ અગિત અર્થાત્ ગૃહીત (જ્ઞાત) અર્થને જાણનાર (ગ્રહણ કરનાર) ગૃહીતગ્રાહી ધારાવાહી જ્ઞાનોની પ્રમાણતાનું નિરાકરણ કરવા માટે મૂકવામાં આવ્યું છે. લક્ષણવાક્યમાં “અર્થ પદ સ્વસંવેદનનું નિરાકરણ કરવા માટે મૂકવામાં આવ્યું છે. જ્ઞાન કેવળ અર્થને જ જાણે છે, પોતે પોતાને જાણતું નથી. જ્ઞાન સ્વસંવેદી નથી કેમ કે કર્તા પોતે પોતાના ઉપર ક્રિયા કરે છે એમ માનવામાં વિરોધ છે, એક જ ક્રિયામાં કર્તા અને કર્મ એક છે એમ માનવામાં વિરોધ છે, કશળ નટ પણ પોતે પોતાના ઉપર ચડી શકે નહિ. જ્ઞાન નિત્ય પરોક્ષ છે એમ “અર્થપદથી સૂચવાયું છે. ભારુ મતમાં આ પરોક્ષ જ્ઞાનનું અનુમાન અર્થપ્રાટ્ય નામના ફળ ઉપરથી થાય છે. જ્યારે અર્થ જ્ઞાનથી જ્ઞાત થાય છે ત્યારે તેમાં જ્ઞાતતા અર્થાત પ્રાચ્ય નામનો ધર્મ ઉત્પન્ન થાય છે. આ પ્રાટ્ય ઉપરથી જ્ઞાનનું અનુમાન થાય છે. જો જ્ઞાન ન થયું હોત તો અર્થમાં પ્રાટ્ય યા જ્ઞાતતા ઉત્પન્ન ન થઈ હોત. પ્રાભાકરમતમાં પ્રમાણના સંવેદન નામના ફળ ઉપરથી પરોક્ષ જ્ઞાનનું અનુમાન થાય છે. (૭૧). 17. अथ प्रमाणस्य विशेषलक्षणं विवक्षुः प्रथमं तन्नामानि तत्संख्यां चाह Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy