SearchBrowseAboutContactDonate
Page Preview
Page 739
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૪૮ તર્કરહસ્યદીપિકા આ નોદનાઓથી અર્થાત્ પ્રેરણાત્મક વેદવાક્યોથી પ્રેરિત થઈને જે પુરુષ પ્રેરણા અનુસાર જે દ્રવ્ય, ગુણ અને ક્રિયાઓથી હવન આદિમાં પ્રવૃત્તિ તથા હિંસા આદિથી નિવૃત્તિ કરે છે તે પુરુષને માટે તે દ્રવ્ય, ગુણ અને ક્રિયાઓમાં રહેનારી ઇષ્ટ સ્વર્ગાદિફલો સાધી આપનારી યોગ્યતા જ ધર્મ છે. પુરુષરૂપ દ્રવ્ય જે બુદ્ધિ આદિ ગુણો દ્વારા સમિધ તથા હવનીય દ્રવ્યને ભેગાં કરવા માટે હલન-ચલન આદિ ક્રિયા કરે છે તે બધાં દ્રવ્ય, ગુણ અને ક્રિયાઓમાં સ્વર્ગ આદિ ફળોને પ્રાપ્ત કરાવી આપવાની જે યોગ્યતા યા શક્તિ છે તે જ ધર્મ કહેવાય છે. આનાથી એ પણ સૂચવાય છે કે વેદવચનોને સાંભળી તેમનાથી પ્રેરિત થઈને જે પુરુષ હવન આદિમાં પ્રવૃત્ત થતો નથી કે હિંસા આદિથી નિવૃત્ત થતો નથી અથવા વિપરીત કરે છે તે પુરુષની અન્યથા પ્રવૃત્તિમાં સાધનભૂત દ્રવ્ય, ગુણ અને ક્રિયાઓની નરક આદિ અનિષ્ટ ફળોને સાધી આપવાની યોગ્યતા યા શક્તિ પાપ યા અધર્મ કહેવાય છે. તાત્પર્ય એ કે ઇષ્ટના સાધનભૂત પદાર્થોની યોગ્યતા (શક્તિ) ધર્મ છે અને અનિષ્ટના સાધનભૂત પદાર્થોની યોગ્યતા (શક્તિ) અધર્મ છે. આ શક્તિ તો અતીન્દ્રિય હોવાથી પ્રત્યક્ષ આદિ પ્રમાણોનો વિષય નથી, તેનું જ્ઞાન તો વેદથી જ થાય છે. શાબરભાષ્યમાં કહ્યું છે કે – “જે શ્રેયસ્કર છે તે જ ધર્મ છે” [શાબરભાષ્ય, ૧.૧.૨.]. આ વાક્ય દ્વારા શબરસ્વામીએ દ્રવ્ય, ગુણ આદિની ઇષ્ટ અર્થને સિદ્ધ કરવાની યોગ્યતાને જ ધર્મ’ શબ્દ દ્વારા જણાવી છેઃ કુમારિલ ભટ્ટે પણ પણ કહ્યું છે કે – “પુરુષની પ્રીતિને શ્રેય કહે છે. આ પ્રીતિ નોદના દ્વારા અર્થાત્ વેદવાક્ય દ્વારા પ્રતિપાદિત યાગ આદિમાં ઉપયોગી બનનાર દ્રવ્ય, ગુણ અને ક્રિયાઓથી ઉત્પન્ન થાય છે, તેથી સ્વર્ગ આદિરૂપ પ્રીતિનાં સાધન દ્રવ્ય, ગુણ આદિમાં જ ધર્મરૂપતા છે. તે દ્રવ્ય, ગુણ અને ક્રિયાઓ ઇન્દ્રિયગમ્ય છે છતાં તેમનું રૂપ ધર્મતા (તેમની ધર્મરૂપ શક્તિ) ઇન્દ્રિયગમ્ય નથી. પરંતુ વેદદ્વારા પ્રતિપાદિત તેમની શ્રેયઃસાધકતા જ ધર્મ છે. વેદ દ્રવ્ય, ગુણ આદિની શ્રેયઃસાધનતાનું સદા પ્રતિપાદન કરે છે, તેથી દ્રવ્ય, ગુણ આદિની વેદપ્રતિપાદિત શ્રેયઃસાધનતા જ ધર્મ કહેવાય છે. આ કારણે જ દ્રવ્ય, ગુણ, ક્રિયા આદિની શ્રેયઃસાધનતારૂપ શક્તિ, જેને ધર્મ કહેવામાં આવે છે તે, ઇન્દ્રિયોનો વિષય નથી.” [ મીમાંસાશ્લોકવાર્તિક, ચોદનાસ. શ્લોક ૧૯૧ અને ૧૩-૧૪]. (૭૧) --- 16. अथ विशेषलक्षणं प्रमाणस्याभिधानीयं तच्च सामान्यलक्षणाविनाभूतम्, ततः प्रथमं प्रमाणस्य सामान्यलक्षणमभिधीयते । 'अनधिगतार्थाधिगन्तृ प्रमाणम्' इति । अनधिगतः अगृहीतो योऽर्थी बाह्यः स्तम्भादिस्तस्याधिगन्तृ आधिक्येन संशयादिव्युदासेन परिच्छेदकम् । अनधिगतार्था Jain Education International ? For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy