SearchBrowseAboutContactDonate
Page Preview
Page 730
Loading...
Download File
Download File
Page Text
________________ મીમાંસક-લોકાયતમત ૬૩૯ [ 3. ઉત્તરમીમાંસાવાદીઓ વેદાન્તી છે. તેઓ બ્રહ્માāતને જ માને છે. ‘સર્વનેતવિજ્ બ્રહ્મ (આ બધું જ બ્રહ્મ છે)’ [છાન્દોગ્ય ઉપનિષદ્ ૩.૧૪.૧] આ તેમનું સાંપ્રદાયિક સૂત્ર તેઓ ઉચ્ચાર્યા કરે છે અને તેને સિદ્ધ કરવા પોતાની પૂરી શક્તિ લગાવી પ્રમાણો યા યુક્તિઓ રજૂ કરે છે. તેમનું કહેવું છે કે સર્વ શરીરોમાં એક જ આત્મા (બ્રહ્મ) પ્રતીત થાય છે. કહ્યું પણ છે કે— “એક જ ભૂતાત્મા (સિદ્ધ બ્રહ્મ) પ્રત્યેક ભૂતમાં અર્થાત્ પ્રાણીમાં રમમાણ છે. તે જ એક રૂપે તથા અનેક રૂપે જલગત ચન્દ્રની જેમ દેખાય છે.’ ]. “જે કંઈ અતીત છે અને જે કંઈ અનાગત છે તે બધુ જ પુરુષ (=અત્મા=બ્રહ્મ) છે.” [ઋગ્વેદ ૧૦.૯૦.૨] આત્મામાં (બ્રહ્મમાં) લય પામવો એ જ મુક્તિ છે. આ બ્રહ્મલયાવસ્થા સિવાય બીજી કોઈ જાતની મુક્તિ વેદાન્તીઓને ઇષ્ટ નથી. તેઓ બ્રાહ્મણ હોય છે અને તેમને ‘ભગવત્' નામથી બોલાવવામાં આવે છે. તેમના ચારભેદ છે —કુટીચર, બહૂદક, હંસ અને પરમહંસ. ત્રિદંડ ધારણ કરનારા, ચોટલી રાખનારા, બ્રહ્મસૂત્ર (જનોઈ) પહેરનાર, યજમાનોના ઘરે ભોજન કરનારા, ઘરને છોડી કુટી (ઝૂંપડી) બનાવી રહેનારા કુટીચર કહેવાય છે, તેઓ એકાદવાર પોતાના પુત્રને ત્યાં પણ ભોજન કરી લે છે. બહૂદકોનો વેશ કુટીચરોના વેશ જેવો જ હોય છે. તેઓ બ્રાહ્મણોનાં ઘરોમાં ભિક્ષાવૃત્તિથી નીરસ ભોજન કરે છે. તેઓ વિષ્ણુનો જાપ કરે છે. નદીના પાણીમાં (બહુ) સ્નાન કરવાના કા૨ણે તેઓ બહૂદક કહેવાય છે. હંસ સંન્યાસીઓ જનોઈ પહેરતા નથી, ચોટલી રાખતા નથી, કાષાય વસ્ત્ર પહેરે છે, દંડ ધારણ કરે છે, ગામમાં એક રાત અને નગરમાં ત્રણ રાત રહે છે. ચૂલાઓમાંથી ધૂમાડો નીકળતો બંધ થઈ જાય અને ચૂલાઓની આગ ઓલવાઈ જાય પછી બ્રાહ્મણોનાં ઘરોમાં ભિક્ષાવૃત્તિથી ભોજન કરે છે. તેઓ કઠિન તપસ્યાઓ કરી શરીરને કૃશ કરે છે અને દેશદેશાન્તરમાં ભ્રમણ કરે છે. હંસ સંન્યાસીઓને જ્યારે તત્ત્વજ્ઞાન ઉત્પન્ન થાય છે ત્યારે તેઓ પરમહંસ કહેવાય છે. પરમહંસ સંન્યાસીઓ શૂદ્રસહિત ચાર વર્ણોને ત્યાં ભિક્ષા-ભોજન કરે છે. તેઓ ઇચ્છાનુસાર કોઈ વાર દંડ ધારણ કરે છે તો કોઈવાર નથી કરતા. જ્યારે તેઓ અશક્ત થઈ જાય છે ત્યારે ઈશાન દિશામાં જઈને અનશન ગ્રહણ કરે છે. તેમના અધ્યયનનો એકમાત્ર વિષય વેદાન્ત છે. તેઓ રાતદિવસ બ્રહ્મના સ્વરૂપનું ચિન્તન કરે છે. કુટીચર, બહૂદક, હંસ અને પરમહંસ આ ચારમાં ક્રમશઃ ઉત્તર ઉત્તરના પૂર્વ પૂર્વ કરતાં ચડિયાતા છે. આ ચારેય કેવલબ્રહ્માદ્વૈતવાદને સિદ્ધ કરવામાં જ પોતાની સઘળી શક્તિ લગાવી દે છે, તેમને બ્રહ્માદ્વૈતને સાધવાનું વ્યસન થઈ ગયું હોય છે. તેઓ બ્રહ્મ સિવાય સઘળા શબ્દો અને અર્થોનો નિરાસ કરવા માટે યુક્તિઓની જાળ રચીને છેવટે અનિર્વચનીય બ્રહ્મની સિદ્ધિમાં વાદની સમાપ્તિ કરે છે. અનિર્વચનીય બ્રહ્મની સિદ્ધિ તથા પરમતખંડનની યુક્તિજાળને ખંડનખંડખાદ્ય નામના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy