SearchBrowseAboutContactDonate
Page Preview
Page 728
Loading...
Download File
Download File
Page Text
________________ છઠ્ઠો અધિકાર મીમાંસક-લોકાયતમત अथ षष्ठोऽधिकारः मीमांसक-लोकायतमते (१) अथ मीमांसकमतम् (૧) મીમાંસકમત 1. મણ મીમાંસપતિ જૈમિનીયાપદ્ધ પ્રોદ્યતે | વિનીયા વેપે सांख्या इवैकदण्डास्त्रिदण्डा धातुरक्तवाससो मृगचर्मोपवेशनाः कमण्डलुधरा मुण्डशिरसः संन्यासिप्रभृतयो द्विजाः । तेषां वेद एव गुरुन पुनरन्यो वक्ता गुरुः। त एव स्वयं तव संन्यस्तं संन्यस्तमिति भाषन्ते । यज्ञोपवीतं च प्रक्षाल्य त्रिर्जलं पिबन्ति। 1. હવે મીમાંસકમત અપનામ જૈમિનીયમતનું અમે નિરૂપણ કરીએ છીએ. જૈમિનીયો સાંખ્ય પરિવ્રાજકોની જેમ એકદંડધારી અને ત્રિદંડધારી હોય છે, તેઓ ગેરુઆ વસ્ત્ર પહેરે છે, મૃગચર્મ પર બેસે છે, કમંડળ રાખે છે, માથું મુંડાવે છે. જૈમિનીય સંન્યાસીઓ વગેરે દ્વિજ હોય છે. વેદ જ તેમનો ગુરુ છે, વેદ સિવાય અન્ય કોઈ વક્તા સર્વજ્ઞ આદિ ગુરુ નથી, તેથી તેઓ પોતે જાતે જ સંન્યાસ દીક્ષા લે છે. સ્વયં સંન્યાસદીક્ષા લેતી વખતે “તું સંન્યસ્ત થઈ ગયો, તું સંન્યસ્ત થઈ ગયો’ એમ તેઓ બોલે છે, અને યજ્ઞોપવીતને ધોઈ ત્રણ વાર જલપાન કરે છે. 2. તે ક્રિયા, પ યાજ્ઞિતિઃ પૂર્વમીમાંસાવાહિક, પરે દૂત્તરમીમાંसावादिनः । तत्र पूर्वमीमांसावादिनः कुकर्मविवर्जिनो, यजनादिषट्कर्मकारिणो, ब्रह्मसूत्रिणो गृहस्थाश्रमसंस्थिताः शूदानादिवर्जका भवन्ति । ते च द्वेधा भाट्टाः प्राभाकराश्च षट् पञ्च प्रमाणप्ररूपिणः । 2. મીમાંસકોના બે ભેદ છે–પૂર્વમીમાંસાવાદી અને ઉત્તરમીમાંસાવાદી. તેમાંથી પૂર્વમીમાંસાવાદીઓ જ જૈમિનીયો છે. વ્યવહારમાં તેમને જ મીમાંસક કહેવામાં આવે છે અને ઉત્તરમીમાંસાવાદીઓ વેદાન્તી કહેવાય છે. પૂર્વમીમાંસાવાદીઓ અર્થાત જૈમિનીયો યજ્ઞ આદિ ક્રિયાકાંડમાં મુખ્યપણે પ્રવૃત્ત રહે છે, તેઓ યાજ્ઞિક ક્રિયાકાંડી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy