SearchBrowseAboutContactDonate
Page Preview
Page 726
Loading...
Download File
Download File
Page Text
________________ વૈશેષિકમત આ સામાન્ય જલની નિર્મળતા વચ્ચે પરસ્પર કોઈ કાર્ય-કારણભાવ નથી, બન્ને પોતપોતાનાં કારણોથી ઉત્પન્ન થાય છે. કાર્ય, કારણ આદિ પાંચ લિંગોથી (હેતુઓથી) અતિરિક્ત બીજાં બધાં લિંગો ‘અસ્થેટ’ ‘આ આનો સંબંધી છે અવિનાભાવસૂચક પદ દ્વારા ગૃહીત થઈ જાય છે. ‘ આ સાધ્યનું આ સંબંધી છે’ એ રૂપે જે જેના દેશ, કાલ આદિ સાથે અવિનાભાવ સંબંધ ધરાવે છે તે તેનું લિંગ હોય છે. તેથી ‘અસ્વેદ’ સૂત્રથી સમસ્ત લિંગોનો સંગ્રહ થઈ જતો હોવાથી સૂત્ર અવ્યાસ – અપર્યાપ્ત નથી પરંતુ સર્વથા પૂર્ણ છે, વ્યાપક છે. આનું વિશેષ વિવરણ પ્રશસ્તપાદભાષ્યની ન્યાયકન્દલી ટીકામાં જોઈ લેવું જોઈએ. આગમ આદિ પ્રમાણો પણ પોતાના સંબંધી પદાર્થથી પરોક્ષ અર્થનું જ્ઞાન કરાવતા હોવાના કારણે અનુમાનમાં જ સમાવિષ્ટ છે. પ્રમાણોની આ બે સંખ્યા કન્જલીકાર શ્રીધરાચાર્યના મતથી કહેવામાં આવી છે. વ્યોમવતી ટીકાકાર વ્યોમશિવાચાર્ય તો પ્રત્યક્ષ, અનુમાન અને આગમ આ ત્રણ પ્રમાણોને માને છે. આ રીતે વૈશેષિકમતનું આ સંક્ષિપ્ત નિરૂપણ પૂર્ણ થયું. 53. अथात्राप्यनुक्तं किंचिदुच्यते । व्योमादिकं नित्यम् । प्रदीपादि कियत्कालावस्थायि । बुद्धिसुखादिकं च क्षणिकम् । चैतन्यादयो रूपादयश्च धर्माः आत्मादेर्घटादेश्च धर्मिणोऽत्यन्तं व्यतिरिक्ता अपि समवायसंबन्धेन संबद्धाः, स च समवायो नित्यः सर्वगत एकश्च । सर्वगत आत्मा । बुद्धिसुखदुःखेच्छाधर्माधर्मप्रयत्नभावनाख्यसंस्कारद्वेषाणां नवानामात्मविशेषगुणानामुच्छेदो मोक्षः । परस्परविभक्तौ सामान्यविशेषौ द्रव्यपर्यायौ च प्रमाणगोचरः । द्रव्यगुणादिषु षट्सु पदार्थेषु स्वरूपसत्त्वं वस्तुत्वनिबन्धनं विद्यते । द्रव्यगुणकर्मसु च सत्तासंबन्धो वर्त्तते सामान्यविशेषसमवायेषु च स नास्तीति ॥६७॥ Jain Education International - 53. મૂલ ગ્રન્થકાર આચાર્યે જે બાબતોનો નિર્દેશ નથી કર્યો તે બાબતોનું પણ કંઈક નિરૂપણ કરીએ છીએ. આકાશ આદિ નિત્ય છે. દીપક આદિ કેટલોક કાળ ટકનારા છે – કેટલોક કાળ સ્થિર (સ્થાયી) છે. અને બુદ્ધિ, સુખ આદિ ક્ષણિક છે. ચૈતન્ય આદિ ધર્મો ધર્મી આત્માથી તથા રૂપ આદિ ધર્મો ધર્મી ઘટ આદિથી અત્યન્ન ભિન્ન હોવા છતાં સમવાયસંબંધથી ધર્મી આત્મા અને ઘટ આદિમાં રહે છે. સમવાય નિત્ય, એક અને સર્વગત છે. આત્મા સર્વવ્યાપી (વિભુ) છે. બુદ્ધિ, સુખ, દુ:ખ, ઇચ્છા, ધર્મ, અધર્મ, પ્રયત્ન, ભાવના નામનો સંસ્કાર અને દ્વેષ આ નવ આત્માના વિશેષ ગુણોનો અત્યન્ત ઉચ્છેદ મોક્ષ છે. સામાન્ય અને વિશેષ તથા દ્રવ્ય અને પર્યાય પરસ્પર વિભિન્ન છે અને પ્રમાણના વિષયો છે. દ્રવ્ય, ગુણ આદિ છ પદાર્થોમાં ‘વસ્તુત્વ’નો વ્યવહાર કરાવનાર For Private & Personal Use Only ૬૩૫ www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy