SearchBrowseAboutContactDonate
Page Preview
Page 725
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૩૪ તર્કરહસ્યદીપિકા (પ્રમાકરણ) કહેવામાં આવે છે. આ અનુમાન કાર્યઅનુમાન, કારણઅનુમાન આદિ અનેક પ્રકારનું છે. “આ આનું સંબંધી છે’ એવી નિયતસંબંધિતાપૂર્વક ઉત્પન્ન થતાં કાર્ય, કારણ, સંયોગી, સમવાયી, વિરોધી આદિ અનેક પ્રકારનાં અનુમનો છે.” [વૈશેષિકસૂત્ર૯.૨.૧.] કાર્યહેતુ દ્વારા કારણાનુમાન – કાર્ય સદા કારણપૂર્વક ઉપલબ્ધ થાય છે, દેખાય છે, કારણ વિના કાર્યની ઉત્પત્તિ થતી નથી, તેથી કાર્યને જોઈને કારણનું અનુમાન થાય છે. ઉદાહરણાર્થ, આ નદીનું પૂર વૃષ્ટિના કારણે આવ્યું છે, કેમ કે નદીનું પૂર લાકડાં, પાંદડાં આદિને તાણી જનારું ફીણવાળું વિશિષ્ટ છે, જેમ કે પહેલાં જોયેલું વિશિષ્ટ નદીપૂર. કારણહેતુ દ્વારા કાર્યનુમાન – કારણ પણ કાર્યને ઉત્પન્ન કરે છે, ઘણી વાર અવિકલ અને પ્રતિબન્ધકરહિત સશક્ત કારણને કાર્ય ઉત્પન્ન કરતું જોયું છે. તેથી આજ પણ કારણને જોઈને કાર્યનું અનુમાન કરવામાં આવી રહ્યું છે. વર્ષા થશે કારણ કે વરસાદી કાળાં કાળાં વિશિષ્ટ વાદળો ચડી આવ્યાં છે. સંયોગી હેતુ દ્વારા સંયોગીઅનુમાન – ધૂમ અગ્નિનો સંયોગી છે, તેથી ધૂમને દેખીને થતું અગ્નિનું અનુમાન સંયોગી હેતુ દ્વારા સંયોગીનું અનુમાન છે. સમવેતકેતુ દ્વારા સમવાયીઅનુમાન– ગરમ જલના ઉષ્ણ સ્પર્શ દ્વારા જલપ્રવિષ્ટ અગ્નિનું અનુમાન સમવેત હેતુ દ્વારા સમવાયીનું અનુમાન છે. [અગ્નિદ્રવ્ય છે અને ઉષ્ણસ્પર્શ તેનો ગુણ છે. ગુણ દ્રવ્યમાં સમવાય સંબંધથી રહે છે. ગુણ દ્રવ્યમાં સમવેત છે અને દ્રવ્ય સમવાયી છે. વળી, દ્રવ્ય ગુણનું સમવાયિકારણ પણ છે.] વિરોધીહેતુ દ્વારા વિરોધીઅનુમાન – ફુંફાડા મારતા સાપને જોઈને સમીપમાં નોળિયાનું અનુમાન અથવા અગ્નિથી શીતાભાવનું અનુમાન વિરોધીહેતુ દ્વારા વિરોધીનું અનુમાન છે. ‘અસ્વેમ્’ આ વૈશેષિકસૂત્રમાં કાર્ય, કારણ આદિ કેટલાક હેતુઓનાં નામ ગણાવ્યાં છે તે તો ઉદાહરણ તરીકે જ ગણાવ્યાં છે, તે ઉપરથી એવો નિયમ ન સમજવો જોઈએ કે કાર્ય આદિ પાંચ જ હેતુઓ (લિંગો) છે, કેમ કે કાર્ય આદિ પાંચ હેતુઓથી અતિરિક્ત કેટલાય હેતુઓ છે. ઉદાહરણાર્થ, ચન્દ્રોદય સમુદ્રમાં ભરતીનું અને કુમુદવિકાસનું અનુમાન કરાવતો હેતુ છે. આ ચન્દ્રોદય ન તો સમુદ્રભરતી અને કુમુદવિકાસનું કાર્ય છે કે ન તો તેમનું કારણ. અમુક વિશિષ્ટ દિક્, દેશ, કાલ આદિના સંયોગથી ચંદ્રોદય, સમુદ્રનાં મોજાં (ભરતી) તથા કુમુદની પાંદડીઓનો વિકાસ સ્વતન્ત્રપણે તેમનાં પોતપોતાનાં કારણોથી થાય છે. અલબત્ત, તેમનામાં અવિનાભાવ અવશ્ય છે, તેથી તેના બળે ચન્દ્રોદયથી તેમનું અનુમાન થાય છે. તેવી જ રીતે શરદ ઋતુમાં જલની નિર્મળતાથી અગસ્ત્યોદયનું અનુમાન થાય છે. આ જલની નિર્મળતા અમુક વાયુ આદિ પોતાનાં કારણોથી ઉત્પન્ન થયેલી છે. પરંતુ તેનો અગસ્ત્યોદય સાથે અવિનાભાવ સંબંધ હોવાના કારણે તે અગસ્ત્યોદયનું અનુમાન કરાવે છે. અગસ્ત્યોદય અને શરત્કાલીન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy