SearchBrowseAboutContactDonate
Page Preview
Page 722
Loading...
Download File
Download File
Page Text
________________ વૈશેષિકમત ધર્મને જાણનાર આત્માને ઇન્દ્રિયોથી સવિકલ્પક જ્ઞાન ઉત્પન્ન થાય છે. વૈશેષિક પરંપરામાં કણાદ કહે છે કે સૌપ્રથમ સામાન્યવિશેષોનું (અર્થાત્ સત્તાસામાન્ય અને અવાન્તર સામાન્યોનું) જ્ઞાન થાય છે. પછી સામાન્યવિશેષસાપેક્ષ દ્રવ્ય, ગુણ અને કર્મનું જ્ઞાન થાય છે, અને છેવટે દ્રવ્ય, ગુણ અને કર્મ એ ત્રિતયસાપેક્ષ દ્રવ્યનું જ્ઞાન થાય છે. આમ સામાન્યવિશેષમાં સામાન્યવિશેષ ન હોવાથી કશાની અપેક્ષા વિના જ સામાન્યવિશેષનું જ્ઞાન સૌપ્રથમ થાય છે. આ સામાન્યવિશેષના જ્ઞાનને પણ વ્યવસાયાત્મક જ ગણવું જોઈએ, અન્યથા તેનું વ્યવસાયાત્મક જ્ઞાન કદી થતું જ નથી એમ માનવું પડે અને જેનું વ્યવસાયાત્મક જ્ઞાન કદી થયું જ ન હોય એ પદાર્થનો સ્વીકાર કેવી રીતે થઈ શકે ? સામાન્યવિશેષનું જ્ઞાન નિષ્ટકારક (વિશેષણના પ્રતિભાસથી રહિત) છે એનું કારણ તો એ છે કે સામાન્યવિશેષમાં કંઈ સમવાયસંબંધથી રહેતું નથી અને નહિ કે તેનું જ્ઞાન વ્યવસાયાત્મક નથી. કણાદે આમાંના કોઈ જ્ઞાનને નિર્વિકલ્પક ગણ્યું નથી. તેમણે નિર્વિકલ્પક અને સવિકલ્પકનો ભેદ કર્યો નથી. આ બધાં જ્ઞાનો એકસરખાં છે. પ્રશસ્તપાદે વૈશેષિક દર્શનમાં મહાન પરિવર્તન કર્યું છે અને નવા નવા વિચારોને સ્થાન આપ્યું છે. તેમના મત પ્રમાણે સામાન્યવિશેષના જ્ઞાન પહેલાં પણ પદાર્થોને વિષય કરતું જ્ઞાન હોય છે. તે જ્ઞાનને તેઓ ‘અવિભક્ત આલોચન’ નામ આપે છે. ‘અવિભક્ત’ શબ્દ સૂચક છે. તે સૂચવે છે કે સૌપ્રથમ આપણને દ્રવ્ય, ગુણ, કર્મ, સામાન્યવિશેષ અને સમવાય બધા જ પદાર્થોનું એક અવિભક્ત પિંડરૂપે જ્ઞાન થાય છે. ત્યાર પછી જ સામાન્યવિશેષનું જ્ઞાન થાય છે. આ જ્ઞાનને તેઓ ‘સ્વરૂપાલોચન’ નામ આપે છે. પછી સામાન્યવિશેષસાપેક્ષ દ્રવ્ય, ગુણ, કર્મનું જ્ઞાન થાય છે અને છેવટે દ્રવ્ય, ગુણ અને કર્મ સાપેક્ષ દ્રવ્યનું જ્ઞાન થાય છે. અવિભક્ત આલોચન પ્રત્યક્ષ પ્રમાણ છે, તેનું કોઈ બીજું પ્રમાણ નથી કેમ કે અવિભક્ત આલોચન અફલરૂપ છે અર્થાત્ પ્રમાણફલ (પ્રમિતિ) નથી. અવિભક્ત આલોચન પ્રમાણ છે અને સ્વરૂપાલોચન તેનું ફળ (પ્રમિતિ) છે. સ્વરૂપાલોચન પ્રમાણ છે અને દ્રવ્યાદિવિષયક જ્ઞાન તેનું ફળ (પ્રમિતિ) છે. પ્રશસ્તપાદે પણ નિર્વિકલ્પક અને સવિકલ્પક શબ્દોનો ક્યાંય પ્રયોગ કર્યો નથી. પરંતુ આ જ્ઞાનોમાંથી કોઈક જ્ઞાનને નિર્વિકલ્પક ગણવું હોય તો તે જ્ઞાન ‘અવિભક્ત આલોચન' છે, સ્વરૂપાલોચન નહિ કેમ કે સ્વરૂપાલોચનમાં પિંડમાંથી પૃથક્કરણની પ્રક્રિયા શરૂ થઈ જાય છે. ૬૩૧ પ્રશસ્તપાદના પહેલાં બૌદ્ધોનો નિર્વિકલ્પક પ્રત્યક્ષનો સિદ્ધાન્ત સ્થાપિત થઈ ચૂક્યો હતો. તેમના મતે પ્રત્યક્ષ કલ્પનાપોઢ છે, તેમાં નામ, જાતિ, દ્રવ્ય આદિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy