SearchBrowseAboutContactDonate
Page Preview
Page 718
Loading...
Download File
Download File
Page Text
________________ વૈશેષિકમત ૬ ૨૭ જ્ઞાનવાળા યોગીઓને તો એકસરખી આકૃતિઓ, એકસરખા ગુણો અને એકસરખી ક્રિયાઓ ધરાવતા નિત્ય પરમાણુઓમાં, મુક્ત આત્માઓમાં અને મુક્ત આત્માઓએ છોડી દીધેલાં મનોમાં જાતિ આદિ વ્યાવર્તક નિમિત્તો ન હોવાના કારણે તે નિમિત્તોથી તો વ્યાવૃત્તિબુદ્ધિ ઉત્પન્ન થતી નથી પણ જેમનાથી પ્રત્યેક પરમાણુ આદિમાં “આ વિલક્ષણ છે, આ વિલક્ષણ છે” (“આ અન્યોથી વ્યાવૃત્ત છે', “આ અન્યોથી વ્યાવૃત્ત છે) એવી વિલક્ષણબુદ્ધિ યા વ્યાવૃત્તિબુદ્ધિ ઉત્પન્ન થાય છે તેમને અન્ય વિશેષો કહેવામાં આવે છે. વળી, આ વિશેષ પદાર્થના કારણે જ પહેલાં જોયેલા પરમાણુને દેશાત્તરમાં કે કાલાન્તરમાં પુનઃ જોતાં જ “આ તે પરમાણુ છે' એવું નિબંધ પ્રત્યભિજ્ઞાન પણ ઉત્પન્ન થાય છે.” (પ્રશસ્તપાદભાષ્ય, પૃ. ૧૬૮]. 45. જો તુ નિત્યવ્યવૃત્તિયોન્યા વિશેષરૂતિ સૂત્રખેવં વ્યાવક્ષત્તિો नित्यद्रव्येष्वेव वृत्तिरेव येषामिति सावधारणं वाक्यमेतत् । नित्यद्रव्यवृत्तय इति पदमन्त्यपदस्य विवरणमेतत्, तथा चोक्तम्-"नित्यद्रव्याण्युत्पत्तिविनाशयोरन्ते व्यवस्थितत्वादन्तशब्दवाच्यानि तेषु भवास्तवृत्तयो विशेषा अन्त्याः" [ ] इत्याख्यायन्त इति । अमी चात्यन्तव्यावृत्तिहेतवो दव्यादिभ्यो वैलक्षण्यात्पदार्थान्तरम् ॥६५॥ 45. કેટલાક વ્યાખ્યાકારો “નિત્ય દ્રવ્યોમાં રહેનારા અન્ય વિશેષો છે” આ સૂત્રમાં આવેલા “નિત્યદ્રવ્યવૃત્તિ (નિત્ય દ્રવ્યોમાં રહેનારા) એ વિશેષણને “અન્ય' પદનું વિવરણ માનીને વ્યાખ્યાન કરે છે – નિત્ય દ્રવ્યોમાં જ આ વિશેષોની વૃત્તિ જ છે, આ રીતે “નિચંદ્રવ્યવૃત્તિ:' પદ ઉભયતઃ અવધારણાત્મક (નિશ્ચયાત્મક) છે. નિત્યદ્રવ્યવૃત્ત:' પદ અન્યપદનું વિવરણ કરે છે, તેનો અર્થ પ્રકટ કરે છે. કહ્યું પણ છે કે “નિત્ય દ્રવ્યો ઉત્પાદ અને વિનાશ બન્નેથી પર છે એટલે તેમને “અન્ત' કહે છે. “અત્તમાં રહેનાર અર્થાત્ નિત્ય દ્રવ્યોમાં રહેનાર વિશેષ પદાર્થને આ કારણે “અન્ય' પણ કહેવામાં આવે છે.” આ વિશેષ પદાર્થ અત્યન્ત વ્યાવૃત્તિનું યા વ્યાવૃત્તિબુદ્ધિનું કારણ હોવાથી દ્રવ્યાદિ પદાર્થોથી વિલક્ષણ છે, એટલે સ્વતંત્ર પદાર્થ છે. (૬૫). 46. ૩થ સમવાય સ્વરૂપનો નિરૂપતિय इहायुतसिद्धानामाधाराधेयभूतभावानाम् । संबन्ध इह प्रत्ययहेतुः स हि भवति समवायः ॥६६॥ 46. હવે આચાર્ય સમવાયના સ્વરૂપનું નિરૂપણ કરે છે– Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy