SearchBrowseAboutContactDonate
Page Preview
Page 717
Loading...
Download File
Download File
Page Text
________________ તર્કરહસ્યદીપિકા વ્યાવૃત્ત છે' એવી વ્યાવૃત્તિબુદ્ધિ ઉત્પન્ન થવી શક્ય નથી. તેથી તેમનામાં વ્યાવૃત્તિબુદ્ધિનો જનક વિશેષ પદાર્થ મનાયો છે. યોગીઓને તેમનામાં આ વિશેષ પદાર્થ સ્પષ્ટ પ્રત્યક્ષ દેખાય છે. આ વિશેષ પદાર્થ બધાં પરમાણુ આદિ નિત્ય દ્રવ્યોમાં રહે છે પરંતુ “અન્ત' અર્થાત્ આખરનાં દ્રવ્યોમાં તેનો પ્રતિભાસ વધારે સ્પષ્ટયા વિશદ હોય છે, તેથી વિશેષ પદાર્થને “નિત્યદ્રવ્યવૃત્તિ” અને “અન્ય' બે વિશેષણો લગાવવામાં આવ્યા છે. પ્રત્યેક નિત્ય દ્રવ્યમાં એક જ વિશેષ પદાર્થ રહે છે, અનેક રહેતા નથી. જ્યારે એક જ વિશેષથી તે નિત્ય દ્રવ્યની અન્ય દ્રવ્યોથી વ્યાવૃત્તિ થઈ જાય છે ત્યારે તેમાં એકથી વધુ વિશેષો માનવા નિરર્થક છે. આ રીતે બધાં નિત્ય દ્રવ્યોમાં એક એકના હિસાબે કુલ વિશેષો અનન્ત છે તેમ છતાં સામાન્યરૂપે કહેવા માટે વિશેષ શબ્દનો એકવચનનો પ્રયોગ સંગ્રહની અપેક્ષાએ કરવામાં આવ્યો છે. 44. તથા ૨ પ્રાતઃ– “ોષ મવા કન્યા, સ્વાશ્રયી વિશેષकत्वात् विशेषाः, विनाशारम्भरहितेषु नित्यद्रव्येष्वण्वाकाशकालदिगात्ममनःसु प्रतिद्रव्यमेकशो वर्तमाना अत्यन्तव्यावृत्तिबुद्धिहेतवः, यथास्मदादीनां गवादिष्वश्वादिभ्यस्तुल्याकृतिगुणक्रियावयवसंयोगनिमित्ता प्रत्ययव्यावृत्तिर्दृष्टा, यथा गौः शुक्लः, शीघ्रगतिः, पीनककुद्यान्, महाघण्ट इति । तथास्मद्विशिष्टानां योगिनां नित्येषु तुल्याकृतिगुणक्रियेषु परमाणुषु मुक्तात्ममनःसु चान्यनिमित्तासंभवाद्येभ्यो निमित्तेभ्यः प्रत्याधारं विलक्षणोऽयं विलक्षणोऽयमिति प्रत्ययव्यावृत्तिः, देशकालविप्रकृष्टे च परमाणौ स एवायमिति प्रत्यभिज्ञानं च भवति, तेऽन्त्या विशेषाः ।" [प्रश० भा० पृ० ૬૮] કૃતિ | 44. પ્રશસ્તપાદ પોતાના ભાષ્યમાં આ પ્રમાણે કહે છે : “વિશેષો અન્તોમાં અર્થાત્ આખરી દ્રવ્યોમાં રહેતા હોવાના કારણે અન્ય છે. પોતાના આશ્રયભૂત દ્રવ્યોના વિશેષક અર્થાત્ વ્યાવર્તક હોવાથી તેઓ વિશેષ છે. તેઓ ઉત્પાદવિનાશરહિત પરમાણુઓ, આકાશ, કાલ, દિફ, આત્માઓ અને મનો આ બધા નિત્ય દ્રવ્યોમાં પ્રતિદ્રવ્ય એક એક રહે છે અને તેમની અત્યન્ત વ્યાવૃત્તિની બુદ્ધિની ઉત્પત્તિમાં તેઓ કારણ છે. જેવી રીતે આપણને બળદ આદિમાં અશ્વ આદિથી જાતિ, આકૃતિ, ગુણ, ક્રિયા, વિશિષ્ટઅવયવ, ગળામાં બાંધેલ ઘંટ આદિ નિમિત્તો દ્વારા વ્યાવૃત્તિબુદ્ધિ (ભદબુદ્ધિ) ઉત્પન્ન થાય છે કે “આ બળદ છે, શ્વેત છે, શીધ્ર ગતિવાળો છે, મોટી ખૂંધવાળો છે, ગળામાં મોટી ઘંટડી બાંધેલી છે તેવી જ રીતે આપણાથી વિશિષ્ટ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy