SearchBrowseAboutContactDonate
Page Preview
Page 716
Loading...
Download File
Download File
Page Text
________________ વૈશેષિકમત ૬૨૫ द्रव्येषु विनाशारम्भरहितेष्वण्वाकाशकालदिगात्ममनःसु वृत्तिर्वर्तनं यस्य स नित्यद्रव्यवृत्तिः । तथा परमाणूनां जगद्विनाशारम्भकोटिभूतत्वात् मुक्तात्मनां मुक्तमनसां च संसारपर्यन्तरूपत्वादन्तत्वम्, अन्तेषु भवोऽन्त्यो विशेषो विनिर्दिष्टः - प्रोक्तः, अन्तेषु स्थितस्य विशेषस्य स्फुटतरमालक्ष्यमाणत्वात् । वृत्तिस्तु तस्य सर्वस्मिन्नेव परमाण्वादौ नित्ये द्रव्ये विद्यत एव । अत एव नित्यद्रव्यवृत्तिरन्त्य इत्युभयपदोपादानम् । विशेषश्च द्रव्यं द्रव्यं प्रत्येकैक एव वर्तते नानेकः, एकेनैव विशेषेण स्वाश्रयस्य व्यावृत्तिसिद्धेरनेकविशेषकल्पनावैयर्थ्यात् । सर्वनित्यद्रव्याण्याश्रित्य पुनर्विशेषाणां बहुत्वेऽपि जातावत्रैकवचनम् । 43. શ્લોકમાં ‘અથ' શબ્દનો પ્રયોગ આનન્તર્યના અર્થમાં થયો છે. વિશેષ પદાર્થને ‘વિશેષ’ નિશ્ચયતઃ અર્થાત્ તાત્ત્વિક દૃષ્ટિએ જ કહેવામાં આવેલ છે, જ્યારે ઘટ, પટ, કટાદિને ‘વિશેષ’ વ્યાવહારિક દૃષ્ટિએ કહેવામાં આવે છે. ‘તુ’ શબ્દથી સૂચિત થાય છે કે આ વિશેષ પદાર્થ અત્યન્ત વ્યાવૃત્તિની બુદ્ધિની ઉત્પત્તિનું કારણ હોવાથી સામાન્ય પદાર્થથી અત્યન્ત વિલક્ષણ છે. જે કારણે વિશેષ પદાર્થને તાત્ત્વિક દૃષ્ટિએ ‘વિશેષ’ કહેવામાં આવે છે તે જ કારણે તેને નિત્ય દ્રવ્યોમાં રહેનાર તથા અન્ય કહેવામાં આવે છે. જેમનો ન તો કદી ઉત્પાદ થાય છે કે ન તો કદી વિનાશ થાય છે તે સદા ઉત્પાદ-વિનાશરહિત પરમાણુઓ, આકાશ, કાલ, દિક્, આત્મા અને મનમાં વિશેષ પદાર્થ રહેતો હોવાથી તે નિત્યદ્રવ્યવૃત્તિ કહેવાય છે. અન્તમાં અર્થાત્ આખરની યા છેવટની વસ્તુઓમાં વિશેષ પદાર્થ રહેતો હોવાથી અન્ત્ય કહેવાય છે. સૃષ્ટિનો પ્રલય થાય છે ત્યારે અને સૃષ્ટિનો આરંભ થાય છે ત્યારે પરમાણુઓ જ પરમાણુઓ હોય છે, તેથી તેમને ‘અન્ત’ કહેવામાં આવે છે. તેવી જ રીતે મુક્ત આત્માઓ તથા મુક્ત આત્માઓએ છોડી દીધેલાં મનો પણ સંસારનો અન્ત કરી ચૂકેલા હોવાથી ‘અન્ત’ કહેવાય છે. આ બધા અન્તોમાં અર્થાત્ આખરની યા છેવટની વસ્તુઓમાં વિશેષ પદાર્થ વ્યાવૃત્તિબુદ્ધિ ઉત્પન્ન કરે છે અને તેમનામાં રહે છે તેથી વિશેષ પદાર્થને અન્ત્ય કહેવામાં આવેલ છે. આ અન્તોમાં અર્થાત્ પરમાણુઓ આદિમાં વિશેષ પદાર્થનું કાર્ય તદ્દન સ્પષ્ટ છે કેમ કે આ બધા પરમાણુઓ, મુક્ત આત્માઓ અને મુક્ત આત્માઓએ છોડી દીધેલાં મનો તુલ્યગુણ, તુલ્યક્રિયા અને તુલ્યઆકૃતિ આદિવાળા હોય છે એટલે પરમાણુઓને એકબીજાથી વ્યાવૃત્ત કરવા, મુક્ત આત્માઓને એકબીજાથી વ્યાવૃત્ત કરવા કે મુક્ત આત્માઓએ છોડી દીધેલાં મનોને એકબીજાથી વ્યાવૃત્ત કરવા શક્ય નથી, તેમનામાં ‘આ આનાથી ભિન્ન છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy