SearchBrowseAboutContactDonate
Page Preview
Page 715
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૨૪ તર્કરહસ્યદીપિકા સ્વતઃ વ્યાવૃત્ત થતા નથી. જો વિશેષમાં પણ જાતિ માનવામાં આવે તો તે સ્વતઃ વ્યાવૃત્ત નહિ રહી શકે પરંતુ જાતિ દ્વારા જ વ્યાવૃત્ત થશે. તેથી ‘સ્વતઃ વ્યાવર્તકત્વ’ સ્વરૂપની હાનિ થવાની આપત્તિ આવતી હોવાથી વિશેષમાં જાતિ માનવામાં નથી આવી. સમવાયમાં જાતિ માનવાથી સમ્બન્ધાભાવ નામનું દૂષણ આવે છે. સત્તા અન્ય પદાર્થોમાં સમવાયસંબંધથી રહે છે. સમવાયમાં સત્તા કયા સંબંધથી રહે છે ?, કેમ કે બીજો સમવાય તો છે નહિ, સમવાય એક જ છે. દ્રવ્ય, ગુણ અને કર્મ સત્તાયોગના કારણે સત્ છે જ્યારે બીજા પદાર્થો તો સ્વરૂપથી જ સત્ છે. 42. પરે પુનઃ પ્રાદુ: સામાન્યં ત્રિવિત્રં, મહાસામાન્ય સત્તામામાનું सामान्यविशेषसामान्यं च । तत्र महासामान्यं षट्स्वपि पदार्थेषु पदार्थत्वबुद्धिकारि । सत्तासामान्यं त्रिपदार्थसद्बुद्धिविधायि । सामान्यविशेषसामान्यं तु द्रव्यत्वादि । अन्ये त्वाचक्षते त्रिपदार्थसत्कारी सत्ता, सामान्यं द्रव्यत्वादि, सामान्यविशेषः पृथिवीत्वादिरिति । लक्षणभेदादेतेषां सत्तादीनां द्रव्यगुणकर्मभ्यः पदार्थान्तरत्वं सिद्धम् । 42. કેટલાક વૈશેષિક આચાર્યો સામાન્યના ત્રણ પ્રકાર માને છે – (૧) મહાસામાન્ય, (૨) સત્તાસામાન્ય અને (૩) સામાન્યવિશેષસામાન્ય. મહાસામાન્ય બધા જ છ પદાર્થોમાં રહે છે તથા તે છ પદાર્થોમાં ‘આ પદાર્થ છે' એવી એકાકાર (અનુગતાકાર) પદાર્થત્વબુદ્ધિ ઉત્પન્ન કરે છે. સત્તાસામાન્ય દ્રવ્ય, ગુણ અને કર્મ આ ત્રણ પદાર્થોમાં ‘આ સત્ છે’ ‘આ સત્ છે’ એવી એકાકાર (અનુગતાકાર) બુદ્ધિ ઉત્પન્ન કરે છે. દ્રવ્યત્વ આદિ અપર સામાન્યો સામાન્યવિશેષ છે, [તે સામાન્ય અનુગતાકાર બુદ્ધિ અને વ્યાવૃત્તાકાર બુદ્ધિ બન્નેને ઉત્પન્ન કરે છે.] કેટલાક વૈશેષિક આચાર્યો સામાન્યના આ ત્રણ પ્રકારો માને છે સત્તાસામાન્ય (મહાસામાન્ય), દ્રવ્યત્વાદિ સામાન્ય અને પૃથ્વીત્પાદિ સામાન્યવિશેષ. સત્તાસામાન્ય દ્રવ્ય, ગુણ અને કર્મ આ ત્રણ પદાર્થોમાં ‘આ સત્ છે’ ‘આ સત્ છે’ એવી અનુગતાકાર બુદ્ધિ ઉત્પન્ન કરે છે. આદિનું લક્ષણ દ્રવ્ય, ગુણ અને કર્મનાં લક્ષણોથી ભિન્ન છે એટલે સત્તાદિ દ્રવ્ય, ગુણ, કર્મથી ભિન્ન છે, સ્વતન્ત્ર પદાર્થ છે. સત્તા - 43. ‘અથ' ત્યાનન્તયેં। વિશેષસ્તુ નિશ્ચયત:-તત્ત્વવૃત્તિત વ विनिर्दिष्टः, न पुनर्घटपटकटादिवि व्यवहारतो विशेषः । तुशब्दोऽनन्तरोक्तसामान्यादस्यात्यन्तव्यावृत्तिबुद्धिहेतुत्वेन भृशं वैलक्षण्यं सूचयति । यत एव निश्चयतो विशेषः, तत एव 'नित्यद्रव्यवृत्तिरन्त्यः' इति । तत्र नित्य Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy