SearchBrowseAboutContactDonate
Page Preview
Page 714
Loading...
Download File
Download File
Page Text
________________ વૈશેષિકમત વૈશેષિકો એહીં બે સામાન્યો સ્વીકારતા નથી. જાતિબાધક સંકરના વૈશેષિક સિદ્ધાન્તનું તેમના બાહ્યાર્થવાદના સંદર્ભમાં મહત્ત્વ છે. તે મહત્ત્વ શું છે એ સમજીએ. બધાં ભૌતિક કાર્યો પાર્થિવ, જલીય, તૈજસ યા વાયવીય અણુઓનાં બનેલાં છે, અર્થાત્ બધાં ભૌતિક કાર્યોનાં આરંભક અણુઓ છે. આ વૈશેષિક સિદ્ધાન્ત અનુસાર કોઈ પણ એક ભૌતિક કાર્યના આરંભક અવયવો એકથી વધારે જાતિના હોતા નથી એ વાત આપણા ધ્યાન બહાર ઘણી વાર રહી જાય છે. ચા૨માંથી કોઈ પણ એક જ જાતિના પરમાણુઓ તે ભૌતિક કાર્યના આરંભક હોવા જોઈએ એવો વૈશેષિક સિદ્ધાન્ત છે. આ આરંભક અવયવો જ કાર્યનું સમવાયિકારણ ગણાય છે. આરંભક અવયવો સાથે સંયુક્ત બીજી જાતિના અવયવો પણ હોય છે પણ તે અવયવો અનારંભક છે. તે અનારંભક અવયવો સાથે કાર્યનો સંયોગસંબંધ હોય છે, સમવાયસંબંધ નહિ. આરંભક અવયવ અને અનારંભક અવયવ વચ્ચેનો સંયોગ જ અનારંભક અવયવ અને કાર્ય વચ્ચેના સંયોગનો જનક છે. સામાન્ય રીતે માનવશરીર પાંચભૌતિક મનાય છે. વૈશેષિક સિદ્ધાન્ત અનુસાર માનવશરીર ઐકભૌતિક છે અને કેવળ પાર્થિવ પરમાણુઓ જ તેના આરંભક અવયવો છે. જલીય પરમાણુઓ તો પાર્થિવ પરમાણુઓ સાથેના સંયોગ દ્વારા પાર્થિવ પરમાણુઓના કાર્યભૂત શરીર સાથે સંયોગસંબંધ ધરાવે છે. આમ જલીય પરમાણુઓ માનવશરીરના આરંભક અવયવો નથી પરંતુ અનારંભક અવયવો છે. અર્થાત્ માનવશરીર સમવાયસંબંધથી પાર્થિવ પરમાણુઓમાં રહે છે, જલીય પરમાણુઓમાં સમવાયસંબંધથી રહેતું નથી. જો માનવશરીરના કે કોઈ પણ ભૌતિક કાર્યના આરંભક પરમાણુઓ બે કે વધુ જાતિના માનવામાં આવે તો તે કાર્યની અંદર પૃથ્વીત્વ, જલત્વ જેવી બે કે વધુ જાતિઓ માનવી પડે. એમ માનતાં સંકર થાય કારણ કે પૃથ્વીત્વ અને જલત્વ માનવશરીરમાં સાથે ૨હે પણ બીજે એકના અભાવમાં બીજું રહે, દાખલા તરીકે ઘટમાં પૃથ્વીત્વ છે પણ જલત્વ નથી અને બરફમાં જલત્વ છે પણ પાર્થિવત્વ નથી. આ સંકરના કારણે પૃથ્વીત્વ અને જલત્વ બે જુદાં સામાન્યો માની ન શકાય.પરંતુ પૃથ્વીત્વ, જલત્વ વગેરે સામાન્યો છે. એટલે પ્રસ્તુત સંકરને ટાળવા વૈશેષિકોએ એવો સિદ્ધાન્ત સ્વીકાર્યો કે ભૌતિક કાર્યના આરંભક સદા એક જ જાતિના હોય છે ] જાતિમાં જાતિ માનવાથી અનવસ્થા દૂષણ આવે છે. આ અનવસ્થા મૂલતઃ સામાન્યપદાર્થનો જ લોપ કરી નાખશે. વિશેષ પદાર્થમાં જો સામાન્ય માનવામાં આવે તો વિશેષ પદાર્થનું ‘સ્વતઃ વ્યાવર્તક હોવું’ એ સ્વરૂપ જ નાશ પામે, કેમ કે જે પદાર્થોમાં જાતિ રહે છે તે પદાર્થો જાતિ દ્વારા જ અન્ય પદાર્થોથી વ્યાવૃત્ત થાય છે, Jain Education International ૬૨૩ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy