SearchBrowseAboutContactDonate
Page Preview
Page 713
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૨૨ તર્કરહસ્યદીપિકા દ્રવ્યોની એક એક જ વ્યક્તિ છે એટલે તેમનામાં આકાશત્વ આદિ જાતિઓ નથી. પૃથ્વીમાં પૃથ્વીત્વ અને ભૂમિત્વ નામની બે જાતિઓ નથી રહેતી કેમ કે પૃથ્વીત્વ અને ભૂમિત્વ બન્ને તુલ્ય છે, એક જ છે, બે જાતિઓ નથી, કેવળ બે શબ્દો જુદા છે, અર્થ એક જ છે. એકબીજીના અત્યન્નાભાવમાં પ્રાપ્ત થતી બે જાતિઓનો એક સ્થાન પર સમાવેશ હોવો સંકર છે. ઉદાહરણાર્થ, ઘટમાં પરમાણુત્વનો અત્યન્નાભાવ છે પણ ઘટમાં પૃથ્વીત્વ જાતિ છે અને જલપરમાણુમાં પૃથ્વીત્વનો અત્યન્નાભાવ છે પણ જલપરમાણુમાં પરમાણુત્વ છે. પરંતુ પાર્થિવ પરમાણુઓમા તો પરમાણુત્વ અને પૃથ્વીત્વ બન્નેનો સમાવેશ છે, તેથી સંકર દોષ થાય છે, એટલે પરમાણુત્વજાતિ માની શકાતી નથી. પરમાણુત્વને જાતિ માનવાથી તેનો પૃથ્વીત્વ, જલત્વ, અગ્નિત્વ અને વાયુત્વ આ બધા સાથે સંકર થાય છે તેથી પરમાણુત્વ એક ધર્મવિશેષ છે પરંતુ જાતિ નથી. વૈિશેષિક સિદ્ધાન્ત પ્રમાણે પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ આ પાંચ ભૂતો છે. અને પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને મન મૂર્ત છે. પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશની બાબતમાં ‘આ ભૂત છે’ ‘આ ભૂત છે’ એવી અનુવૃત્તિબુદ્ધિ થાય છે. આ અનુવૃત્તિબુદ્ધિનું કારણ ભૂતત્વ છે. પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને મનની બાબતમાં ‘આ મૂર્ત છે’ ‘આ મૂર્ત છે’ એવી અનુવૃત્તિબુદ્ધિ થાય છે. આ અનુવૃત્તિબુદ્ધિનું કારણ મૂર્તત્વ છે. પરંતુ આ ભૂતત્વ અને મૂર્તત્વ કેટલીક વ્યક્તિઓમાં સાથે રહે છે, કેટલીક વ્યક્તિઓમાં ભૂતત્વ રહે છે પણ મૂર્તત્વ રહેતું નથી અને કેટલીક વ્યક્તિઓમાં મૂર્તત્વ રહે છે પણ ભૂતત્વ રહેતું નથી. બીજી રીતે કહીએ તો મૂર્તત્વના ક્ષેત્રનો કેટલોક ભાગ ભૂતત્વના ક્ષેત્રમાં ઘુસી જાય છે અને ભૂતત્વના ક્ષેત્રનો કેટલોક ભાગ મૂર્તત્વના ક્ષેત્રમાં ઘુસી જાય છે. આવી પરિસ્થિતિને સંકર કહેવામાં આવે છે. મૂર્તત્વ અને ભૂતત્વ બન્નેને સામાન્યો ગણતાં સંકર થાય છે, એટલે તે બન્નેનો યા બેમાંના એકનો સામાન્ય તરીકે સ્વીકાર ન કરવો જોઈએ. આનો અર્થ એ કે વૈશેષિક સિદ્ધાન્ત અનુસાર બે સામાન્યોના ક્ષેત્રો કાં તો પરસ્પર અત્યન્ત વ્યાવૃત્ત હોવાં જોઈએ (જેમ કે ઘટત્વ અને પટત્વ) કાં તો એકનું ક્ષેત્ર વ્યાપક અને બીજાનું ક્ષેત્ર વ્યાપ્ય હોવું જોઈએ (અર્થાત્ એકનુ ક્ષેત્ર વધુ અને બીજાનું ક્ષેત્ર ઓછું હોવું જોઈએ તેમજ ઓછું ક્ષેત્ર વિશાળ ક્ષેત્રમાં સંપૂર્ણપણે સમાઈ જવું જોઈએ જેમ કે પૃથ્વીત્વ અને ઘટત્વ). આ બે સિવાય ત્રીજી શક્યતા વૈશેષિકો સ્વીકારતા નથી. આ બે સિવાયની શક્યતા જ્યાં લાગતી હોય ત્યાં વૈશિષિકો કહેશે કે તે બે સામાન્યો નથી (અર્થાત્ બેમાંનું એક જ સામાન્ય છે, બીજું સામાન્ય નથી; અથવા બન્ને સામાન્ય નથી.) સંકરમાં ત્રીજી શક્યતા જણાય છે. અહીં જણાતાં બે સામાન્યોનાં ક્ષેત્રો પરસ્પર અત્યન્ત વ્યાવૃત્ત નથી કે એકનું ક્ષેત્ર બીજાના ક્ષેત્રમાં સંપૂર્ણ સમાઈ જતું નથી. એટલે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy