SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૦ તર્કરહસ્યદીપિકા અને પાછાં એમાં જ લીન થઈ જાય છે. સૃષ્ટિ તો તેમનું ઉન્મીલન માત્ર છે. આ દર્શનમાં પ્રકૃતિને માયા અને શુદ્ધ સત્ત્વવિશિષ્ટ પુરુષને “શુદ્ધવિદ્યા” કે “સદ્વિદ્યા” કહેવામાં આવે છે, આ ઉપરાંત ઈશ્વરતત્ત્વ, સદાશિવતત્ત્વ અને શક્તિતત્ત્વનો સ્વીકાર કરવામાં આવ્યો છે. ઈશ્વરતત્ત્વથી સદાશિવતત્ત્વ પર છે. સદાશિવતત્ત્વથી શક્તિતત્ત્વ પર છે. શક્તિતત્ત્વથી પરમશિવતત્ત્વ પર છે પરંતુ પરમશિવતત્ત્વથી પર કોઈ તત્ત્વ નથી. પરમશિવ સર્વકર્તા, સર્વજ્ઞ, પૂર્ણ, નિત્ય, વ્યાપક, અસંકુચિત, શક્તિસંપન્ન હોવા છતાં પોતાની ઇચ્છાથી સંકુચિત થઈ કલા, વિદ્યા, રાગ, કાલ અને નિયતિ એમ માયાના પાંચ કંચુકરૂપે પોતે જ અભિવ્યક્ત થાય છેક્રમશઃ આ પાંચ કંચકોને આવરણરૂપે સ્વીકારી પુરુષ' સંસારી બને છે. આ પાંચ કંયુકોથી આવૃત ચૈતન્ય પુરુષતત્ત્વ છે. પરમશિવના સ્વરૂપને આવૃત કરવાના કારણે કલા વગેરેને કંચુક કહેવામાં આવે છે. શિવ શક્તિ વિના હોતા નથી અને શક્તિ શિવ વિના હોતી નથી. આ દૃષ્ટિએ બન્નેનો અભેદ છે, સામરણ્ય છે. શિવશક્તિના આંતર નિમેષને સદાશિવ કહેવામાં આવે છે અને બાહ્ય ઉન્મેષને ઈશ્વર કહેવામાં આવે છે. દર્શનોનો વિભાગ પ્રચલિત પરંપરા અનુસાર ચાર્વાક, જૈન અને બૌદ્ધ નાસ્તિક છે જયારે સાંખ્ય, યોગ, ન્યાય, વૈશેષિક, મીમાંસા અને વેદાન્ત આસ્તિક છે. સામાન્ય રીતે આસ્તિક સર્વજ્ઞ સદામુક્ત જગત્કર્તા ઈશ્વરને માનનારને ગણવામાં આવે છે. પરંતુ અહીં આસ્તિક “નાસ્તિક’ શબ્દોને આ અર્થમાં લઈ શકાય એમ નથી, કારણ કે આસ્તિક ગણાતાં દર્શનોમાંથી મીમાંસા અને સાંખ્ય નિરીશ્વરવાદી છે. વળી, શાંકર વેદાન્તનો બ્રહ્મવાદ ઈશ્વરના સિદ્ધાન્તનો પોષક નથી જ. ન્યાય અને વૈશેષિક મૂળમાં આવા ઈશ્વરને સ્વીકારતા ન હતાં. ઈ.સ.ની છઠ્ઠી શતાબ્દીમાં પાશુપત ભક્તોએ આવા ઈશ્વરનો પ્રવેશ કરાવ્યો છે. ન્યાયસૂત્રકાર અને ભાષ્યકાર વાત્સ્યાયન તો જીવન્મુક્ત ઉપદેટાને જ ઈશ્વર ગણતા જણાય છે અને યોગસૂત્રકારનો પણ આ જ મત લાગે છે. વળી, આ ત્રણે દર્શનોની દાર્શનિક પ્રક્રિયામાં નિત્યમુક્ત જગત્કર્તા ઈશ્વરને માટે કોઈ ' સ્થાન નથી. આ ઉપરથી સ્પષ્ટ થાય છે કે નિત્ય મુક્ત જગતકર્તા ઈશ્વરને માનવા અને ન માનવાની દૃષ્ટિથી દર્શનોનો આસ્તિક-નાસ્તિક વિભાગ બનતો નથી. એટલે આસ્તિક'નો અર્થ વેદને સ્વીકારનાર અને “નાસ્તિક'નો અર્થ વેદને ન સ્વીકારનાર ૧. ૩ન્મીતનમવતિૌવ પ્રીઝરમ્ પ્રત્યભિજ્ઞાહૃદય ૨. શ્વ દોષો નિષોત્ત: શિવઃ I ઈશ્વરપ્રભિજ્ઞા, ૩.૧ ૩. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy