SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના ૫૯ (૧૭) દ્વૈત વેદાન્ત (મધ્ય) માધ્વો સ્પષ્ટ રીતે દૈતવાદી છે અને તેઓ અદ્વૈતનું ખંડન કરે છે. તેઓ બ્રહ્મ, જીવ અને જડ ત્રણેયને નિત્યસ્વત પદાર્થો માને છે અર્થાત્ જીવ અને જડબ્રહ્મમાંથી ઉત્પન્ન થયા નથી. માધ્વમતને દ્વૈતવાદ' કેવળ એટલા માટે કહેવામાં આવે છે કે તે અંતને નથી માનતો. - માધ્વો ઈશ્વર, જીવ અને જડનો પરસ્પર ભેદ માને છે. તે ઈશ્વરને કર્તા અને સંહર્તા તરીકે વર્ણવે છે. પરંતુ તે પ્રાણીકર્મસાપેક્ષ કર્તા છે. પ્રાણીઓનાં કર્મ અનુસાર તે સૃષ્ટિ નિર્માણ કરે છે. માથ્વોના મતે જીવો અણુ અને અનન્ત છે. જીવો સ્વતંત્ર અને નિત્ય હોઈ તેઓ નથી પરબ્રહ્મનો (અર્થાત્ ઈશ્વરનો) પરિણામ કે નથી તેનું કાર્ય કે નથી તેનો અંશ.' (૧૮) શુદ્ધાદ્વૈત વલ્લભાચાર્ય અનુસાર જીવ, જડ અને બ્રહ્મ આ ત્રણમાંથી પહેલા બે (જીવ અને જડ) બ્રહ્મથી ભિન્ન નથી પરંતુ બ્રહ્મરૂપ જ છે. જડ અને જીવ બ્રહ્મના પરિણામો છે પણ આ પરિણામોમાં બ્રહ્મ શુદ્ધ જ રહે છે. શુદ્ધ સુવર્ણમાંથી બનેલા કુંડળમાં સુવર્ણ શુદ્ધ જ રહે છે, વિકાર પામતું નથી. વલ્લભાચાર્યનો અવિકૃત પરિણામવાદ છે. જીવ અને જડની બ્રહ્મની સાથેની એકતા સ્વતઃ છે, શુદ્ધ છે, એમાં વિકારનો કે માયાનો સંપર્ક નથી. જીવ અને જગત તો બ્રહ્મનો લીલાવિલાસ છે." (૧૯) કાશ્મીર શૈવ દર્શન કાશ્મીરીય શૈવદર્શન પ્રત્યભિજ્ઞાદર્શનના નામથી પ્રસિદ્ધ છે. આ દર્શન અનુસાર પરમ તત્ત્વ શિવ છે. બીજાં તત્ત્વો તેમાંથી અભિવ્યક્ત થાય છે. અભિવ્યક્ત તત્ત્વોમાં સાંખ્યનાં પચીસ તત્ત્વોનો એ જ ક્રમમાં સ્વીકાર કરવામાં આવ્યો છે. પરંતુ ભેદ એટલો કે સાંખ્ય દર્શન પુરુષ અને પ્રકૃતિને નિત્ય અને સ્વતંત્ર ગણે છે જ્યારે આ દર્શન તેમને અનિત્ય અને પરત ગણે છે. બધાં તત્ત્વો પરમશિવને અધીન છે. એક માત્ર પરમશિવ સ્વતન્ત્ર છે, તે ચિત” છે. તેમાંથી જ બધાં તત્ત્વો આવિર્ભાવ પામે છે ૧. ગીવેશ્વમના વૈવ નડેશ્વમા તથા ૫ સર્વદર્શનસંગ્રહ (પૂર્ણપ્રજ્ઞદર્શન) . ૨. ભારતીય તત્ત્વવિદ્યા, પૃ. ૭૫. ૩. એજન. પૃ. ૭૦. ૪. ..દૈત શુદ્ધયોઃ પ્રદુઃ... જરા માયાસક્વદિત શુદ્ધીમત્યુષ્ય વધે કાર્યકારરૂપ દિ શુદ્ધ દ્રા ન મ મ્ ર૮ શુદ્ધાદ્વૈતમાર્તડ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy