SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮ તર્કરહસ્યદીપિકા છે, બ્રહ્મ તેમનું નિમિત્ત તેમજ ઉપાદાન કારણ બને છે. અલબત્ત, બ્રહ્મના વિના તેમનું અસ્તિત્વ સંભવતું ન હોઈ એક માત્ર અતિ તત્ત્વ તો બ્રહ્મ જ કહેવાય. આ બ્રહ્મ સગુણ જ છે. તે સદ્ગુણોનો ભંડાર છે. તે નિર્ગુણ એટલા જ અર્થમાં છે કે તેમાં દુર્ગુણોનો અભાવ છે. આમ બ્રહ્મ પરમ પુરુષ છે, ઈશ્વર છે. જીવ અને જડ જગત ઉપાદાનકારણભૂત બ્રહ્મમાંથી ઉત્પન્ન થયા છે, તેઓ અસતું નથી પણ સતુ છે. તે બન્ને ઈશ્વરના શરીર જેવા છે. જેમ જીવાત્માનું શરીર અસતું નથી તેમ તે બન્ને પણ અસતુ નથી.' જીવ અને જડ જગત ઉપાદાનકારણભૂત બ્રહ્મમાંથી ઉત્પન્ન થયા હોવા છતાં તે બન્ને બ્રહ્મથી ભિન્ન છે, અર્થાત જેવી રીતે શરીર આત્મા નથી બની શકતું તેવી જ રીતે તે બન્ને બ્રહ્મ નથી બની શકતા. આમ બ્રહ્મ યા ઈશ્વરનું અદ્વૈતસ્વરૂપ જીવ અને જડ જગતનાદ્વૈતરૂપથી વિશિષ્ટ છે. એટલે આ સિદ્ધાન્તને વિશિષ્ટાદ્વૈત કહેવામાં આવે છે. રામાનુજના આ વિશિષ્ટાદ્વૈત વેદાન્તમાં ભક્તિ ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. (૧૬) દ્વૈતાદ્વૈત વેદાન્ત (નિમ્બાર્ક) નિમ્બાર્ક ત્રણ તત્ત્વો માને છે – (૧) ચિત (જીવ), (૨) અચિત્ અર્થાત જડ જગત અને (૩) ઈશ્વર. આ ત્રણ ક્રમશઃ ભોક્તા, ભોગ્ય અને નિયત્તા છે. જીવ જ્ઞાનસ્વરૂપ છે. જીવના જ્ઞાનસ્વરૂપ હોવાનો અર્થ એ છે કે જીવ જ્ઞાન પણ છે અને જ્ઞાનવાળો પણ છે, જેમ સૂર્ય પ્રકાશ પણ છે અને પ્રકાશવાળો પણ છે. આ ત્રણ તત્ત્વો (ચિત, અચિત અને ઈશ્વર) વચ્ચે શો સંબંધ છે? નિમ્બાર્કનો ઉત્તર છે કે તેમની વચ્ચે સર્વથા તાદાત્મ (અભેદ) સંબંધ નથી, કારણ કે એવો સંબંધ માનવાથી તેમના સ્વભાવ અને ગુણોના ભેદનો ખુલાસો કરવો અશક્ય બની જાય. વળી, તેમની વચ્ચે સર્વથા ભેદનો સંબંધ માનીએ તો ઈશ્વર(બ્રહ્મ)ને જીવ અને જડ જગતથી ભિન્ન માનવા પડે અને પરિણામે ઈશ્વરનું આનન્ય જોખમાય. એટલે તેમની વચ્ચે અમુક દષ્ટિએ ભેદ અને અમુક દષ્ટિએ અભેદ એમ ભેદભેદનો સંબંધ છે. ભેદનો અર્થ એ છે કે જીવ અને જડની પૃથક સત્તા તો છે પરંતુ તે ઈશ્વરને અધીન છે, અર્થાત “પરત– સત્તાનો ભાવ’ છે. અભેદનો અર્થ એ છે કે તે બન્નેની ઈશ્વરથી સ્વતંત્ર સત્તા નથી અર્થાત્ “સ્વતંત્ર સત્તાનો અભાવ છે. આમ ભેદ અને અભેદ અર્થાત્ દ્વૈત અને અદ્વૈત બન્ને સાચા છે. १. स्थूलसूक्ष्मचिदचित्प्रकारकं ब्रह्मैव कारणं चेति ब्रह्मोपादानं जगत् । सूक्ष्मचिदचितो: सर्वावस्थावस्थितयोः परमपुरुषशरीरत्वेन तत्प्रकारतया पदार्थत्वात् तत्प्रकार: परमपुरुषः सर्वदा સર્વશદ્વારા રૂતિ વિશેષ: શ્રીભાષ્ય, પૃ. ૮૨. २. सूक्ष्मचिदचिद्विशिष्टस्य ब्रह्मणः तदानीं सिद्धत्वात् विशिष्टस्यैव अद्वितीयत्वं सिद्धम् । વેદાન્તતqસાર. ૩. દશશ્લોકી, વેદાન્તપારિતસૌરભ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy