SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના ૫૭ સાપનું અધિષ્ઠાનકારણ છે. આવી જ રીતે પ્રપંચરૂપ મિથ્યા જગતને વૈશ્વિક અજ્ઞાન યા માયા બ્રહ્મરૂપ અધિષ્ઠાન ઉપર ઉપજાવે છે. અજ્ઞાન દૂર થતાં દોરડીરૂપ અધિષ્ઠાન ઉપર ભ્રાન્ત સાપનો આરોપ કરતાં આપણે અટકી જઈએ છીએ અને પરિણામે દોરડી તેના ખરા રૂપમાં દેખાય છે. તેવી જ રીતે વૈશ્વિક અજ્ઞાન દૂર થતાં બ્રાન્ત જગતનો આરોપ બ્રહ્મરૂપ અધિષ્ઠાન ઉપર કરતાં આપણે અટકી જઈએ છીએ અને પરિણામે આપણને બ્રહ્મનો સાક્ષાત્કાર થાય છે. ૧ શાંકર વેદાન્તનો કાર્યકારભાવનો સિદ્ધાન્ત વિવર્તવાદ કહેવાય છે. કારણ વસ્તુતઃ પોતાના સ્વરૂપમાં જ રહે છે, તેનામાં કોઈ ફેરફાર થતો નથી, પરંતુ તેના બદલાઈ જવાનો આપણને કેવળ ભ્રમ થાય છે. દોરડી પોતે સાપમાં ફેરવાઈ જતી નથી. પરંતુ દોરડીમાં આપણને સાપનો ભ્રમ જ થાય છે. આ જ રીતે બ્રહ્મ જે કારણ છે તે જગતના રૂપમાં ફેરવાઈ જતું નથી, પરંતુ અજ્ઞાનના કારણે આપણને જગતની ભ્રાન્ત પ્રતીતિ થાય છે. જેવી રીતે દોરડામાં પ્રતીત થનારો સાપ મિથ્યા છે તેવી જ રીતે બ્રહ્મમાં પ્રતીત થતું જગત પણ મિથ્યા છે. આ સિદ્ધાન્ત માયાવાદ કહેવાય છે. બધી પરિભાષા ત્યજીને સીધે સીધું કહેવું હોય તો એમ કહી શકાય કે બ્રહ્મ યા આત્મા એક જ છે અને તે જ પરમ તત્ત્વ છે. નાના જીવો અને ઈશ્વર પણ અવિદ્યા યા માયાની નીપજ છે, અને જ્યા સુધી અવિદ્યા યા માયા હોય ત્યાં સુધી જ તે હોય છે. શંકારાચાર્ય પણ વિજ્ઞાનવાદી અને શૂન્યવાદીની માફક સતની ત્રણ કોટિ સ્વીકારે છે – પારમાર્થિક, વ્યાવહારિક અને પ્રતિભાસિક. તેમના મતે ત્રિકાલાબાધિત કૂટનિત્ય બ્રહ્મચેતન જ પરમાર્થ સતુ છે કારણ કે તે ત્રિકાલ સ્થાયી છે. ઘટ, પટ આદિ વ્યાવહારિક સત્ છે કારણ કે તે વ્યવહારકાલસ્થાયી છે પરંતુ તત્ત્વજ્ઞાનથી તેમનો નાશ થાય છે. રક્લસર્પ આદિ પ્રાતિમાસિક સત છે કારણ કે તે પ્રતિભાસકાલમાત્રસ્થાયી છે પરંતુ અધિષ્ઠાનનું ( રજુનું) જ્ઞાન થતાં જ તેમનું અસ્તિત્વ દૂર થાય છે. શંકરાચાર્ય વ્યાવહારિક જગતના ઉપાદાનકારણ તરીકે અવિદ્યા નામના તત્ત્વને સ્વીકારે છે એ તો આપણે જોયું. તે અવિઘાને સત-અસવિલણ કહી વર્ણવે છે. તે સતું નથી કારણ કે તે બાધિત થાય છે, તે અસતું નથી કારણ કે તે સદ્રુપ જગતનું ઉપાદાનભૂત કારણ છે. શંકરાચાર્ય જ્ઞાન ઉપર ભાર આપે છે. તેમનો માર્ગ જ્ઞાનમાર્ગ છે. (૧૫) વિશિષ્ટાદ્વૈત વેદાન્ત (રામાનુજ) રામાનુજ અનુસાર ચેતન જીવ અને જડજગત બન્ને બ્રહ્મમાંથી જ ઉત્પન્ન થાય ૧. શાંકરભાષ્ય, સૂત્ર ૧, ૧.૧-૪. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy