SearchBrowseAboutContactDonate
Page Preview
Page 693
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૦૨ તર્કરહસ્યદીપિકા નથી. આ આતિવાહિક શરીર વિના એકલું મન આટલે દૂર સુધી (સ્વર્ગ આદિ સુધી) જઈ શકે નહિ. મરણ અને નૂતન જન્મ વચ્ચે રહેનારું આ સૂક્ષ્મશરીર મનને સ્વર્ગ અને નરક આદિ સુધી લઈ જાય છે, પહોંચાડે છે, તેથી જ તેને આતિવાહિક કહેવામાં આવે છે. ‘કાલદિગાત્મમનાંસિ’ આ દ્વન્દ્વ સમાસ છે. શ્લોકગત ‘ચ (અને)’ શબ્દ સમુચ્ચયાર્થક છે. [મન એટલે ચિત્ત કહેવામાં શૈથિલ્ય છે, પરિભાષાની ચોકસાઈ નથી. વૈશેષિકો મન માટે ‘ચિત્ત’ શબ્દનો પ્રયોગ કરતા નથી. આપણે જાણીએ છીએ કે સાંખ્ય દર્શન બહુ પ્રાચીન છે. તે કહે છે કે મન કરતાં બુદ્ધિ ચડિયાતું તત્ત્વ છે, બુદ્ધિ કરતાં આત્મા ચડિયાતું તત્ત્વ છે, આત્માથી ચડિયાતું કંઈ જ નથી. બુદ્ધિને માટે ‘ચિત્ત’ શબ્દનો પ્રયોગ સાંખ્ય-યોગમાં પ્રચલિત છે. બુદ્ધિ એ જ ચિત્ત છે. આમ મન, ચિત્ત અને આત્મા ત્રણ જુદી વસ્તુઓ છે. મન એ કરણ છે. એકાદશ ઇન્દ્રિયોમાં તેની ગણના છે. ચિત્ત જ્ઞાતા છે અને આત્મા (પુરુષ) દ્રષ્ટા છે. આમ સાંખ્યે જ્ઞાન અને દર્શન બે શક્તિઓ માટે બે જુદા તત્ત્વો ચિત્ત અને આત્મા માન્યા. જૈનો અને બૌદ્ધોએ આત્માનો અસ્વીકાર કરી એકલા ચિત્તને માન્યું અને જ્ઞાન તેમ જ દર્શન બન્ને ચિત્તની શક્તિઓ માની. સાંખ્યો ચિત્તમાં જ્ઞાન, સુખ, દુ:ખ આદિ જે ધર્મો માનતા હતા તે બધા જ ધર્મો તો જૈનોએ ચિત્તમાં માન્યા પણ આત્માને હટાવી તેનો દર્શન ધર્મ પણ ચિત્તમાં માન્યો. બૌદ્ધો ચિત્ત માટે કોઈક જ વાર ‘આત્મા’ શબ્દનો પ્રયોગ કરે છે જ્યારે જૈનો તો ચિત્ત માટે ‘ચિત્ત’ શબ્દનો પ્રયોગ કરવાનું સાવ છોડી દઈ ‘આત્મા’ શબ્દનો જ પ્રયોગ કરતા થઈ ગયા છે. આ પરિભાષાનું શૈથિલ્ય છે. જૈનોનો આત્મા ચિત્ત જ છે. તેમના સચિત્ત, અચિત્ત, પુઢઇચિત્ત વગેરે શબ્દપ્રયોગો પણ આ જ સાબિત કરે છે. જૈનો અને બૌદ્ધોએ આત્માને દૂર કરી તેનો ધર્મ દર્શન ચિત્તને જ આપી દીધો. કરણરૂપ મનને તો બન્ને ચિત્તથી અલગ સ્વીકારે છે જ. ન્યાય-વૈશેષિકોએ ઊલટું જ કર્યું. તેમણે ચિત્તને હટાવી ચિત્તના જ્ઞાન આદિ સઘળા ધર્મો આત્માને આપી દીધા. અને મનને તો કરણરૂપે તેમણે પણ સ્વીકારેલ છે. એટલે મન એ વૈશેષિકોના મતે ચિત્ત છે એમ કહેવામાં પરિભાષાની ચોકસાઈ નથી. આપણા બધા દાર્શનિકોમાં આ દોષ છે. કેટલાક મનને માટે ‘ચિત્ત’ શબ્દનો પ્રયોગ કરે છે, કેટલાક ચિત્ત માટે ‘મન’ શબ્દનો પ્રયોગ કરે છે, તો વળી કેટલાક ચિત્ત માટે ‘આત્મા’ શબ્દનો પ્રયોગ કરે છે. આના કારણે ભ્રાન્તિ, ગોટાળો થાય છે. ખરેખર તો શાસ્ત્રમાં તો આવી શિથિલતા ન જ હોવી જોઈએ.] 12. तत्र पृथिव्यापस्तेजोवायुरित्येतच्चतुः सङ्ख्यं द्रव्यं प्रत्येकं नित्यानित्यभेदाद्विप्रकारम् । तत्र परमाणुरूपं नित्यं "सदकारणवन्नित्यम् " [ वैशे० सू० ४।१।१ ] इति वचनात् । तदारब्धं तु द्वयणुकादिकार्यद्रव्य Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy