SearchBrowseAboutContactDonate
Page Preview
Page 682
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનમત પ૯૧ વિપ્રકુમાર પોતાની કુલપરંપરા ચાલુ રાખ્યા વિના જ સ્વર્ગે ગયા છે.” આ પૂર્વાપર વિરોધી વચનો નથી શું? વળી, આ મનુસ્મૃતિનો શ્લોક (૫.૫૬) કહે છે, “માંસ ખાવામાં, શરાબ પીવામાં અને મૈથુન સેવનમાં કોઈ દોષ નથી. એમનામાં પ્રાણીઓ સ્વાભાવિક રીતે જ પ્રવૃત્ત થાય છે. પરંતુ તેમનો ત્યાગ કરવાથી અવશ્ય મહાન ફળ મળે છે.' આ શ્લોકમાં સ્પષ્ટપણે બે વિરોધી વાતોનું પ્રતિપાદન થયું છે. જો જીવોની માંસભક્ષણ આદિ પ્રવૃત્તિ નિર્દોષ હોય તો તેમનો ત્યાગ કરવાથી પુણ્ય કેવી રીતે થાય? એવો તે કયો મૂર્ખ હોય જે માંસભક્ષણ આદિને નિર્દોષ જાણીને પણ તેમનો ત્યાગ કરે ? પ્રવૃત્તિમાં જો દોષ ન હોય તો નિવૃત્તિ મહાફલા કેવી રીતે હોઈ શકે ? આ તો વદતોવ્યાઘાત છે. 468. વેવિદિત હિંસા થતુરિત્યત્ર પ્રદ વ વવવનવિરોધ, तथाहि-धर्महेतुश्चेद्धिसा कथम् । हिंसा चेद्धर्महेतुः कथम् । न हि भवति माता च वन्ध्या चेति । धर्मस्य च लक्षणमिदं श्रूयते । "श्रूयतां धर्मसर्वस्वं श्रुत्वा चैवावधार्यताम् । आत्मनः प्रतिकूलानि परेषां न समाचरेत् ॥१॥[चाणक्य १७] इत्यादि अचिर्मार्गप्रपत्नैर्वेदान्तवादिभिर्गर्हिता चेयं हिंसा । "अन्धे तमसि मज्जामः पशुभिर्ये यजामहे । હિંસા નામ મદ્ધ ન ભૂતો ન ભવિષ્યતિ " રૂતિ છે 468. વેદવિહિત યાજ્ઞિક હિંસાને ધર્મનું કારણ કહેવામાં તો ચોખ્ખો સ્વવચનવિરોધ છે. તે આ પ્રમાણે –જો તે ધર્મનું કારણ હોય તો તે હિંસા કેવી રીતે હોઈ શકે? અને જો તે હિંસા હોય તો તે ધર્મનું કારણ કેવી રીતે હોઈ શકે? “માતા પણ હોય અને વાંઝણી પણ હોય’ એ તો અસંભવ વાત છે. હિંસા ત્રિકાલમાં કદી પણ ધર્મનું કારણ યા સાધન બની શકતી નથી. આપના શાસ્ત્રોમાં અહિંસાને જ ધર્મનું લક્ષણ કહ્યું છે. જુઓ નીચેનો શ્લોક – “જે વ્યવહાર આપણને પ્રતિકૂળ હોય, ન ગમે, દુ:ખદાયક હોય તેવો વ્યવહાર બીજાઓ સાથે આપણે ન કરવો જોઈએ. આ જ બધા ધર્મોનો સાર છે, આ જ ધર્મસર્વસ્વ છે, તેને સારી રીતે સાંભળી ધારણ કરો.” [ચાણક્ય ૧.૭.]. અર્ચિમાર્ગી વેદાન્તીઓએ આ વૈદિકી હિંસાની અત્યંત કઠોર અને માર્મિક શબ્દોમાં નિદા કરી છે– “જેઓ પશુઓનો વધ કરીને ઈશ્વરની પૂજા કરે છે યા યજ્ઞ કરે છે તેઓ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy