SearchBrowseAboutContactDonate
Page Preview
Page 663
Loading...
Download File
Download File
Page Text
________________ તર્કરહસ્યદીપિકા 438. न च यदेव रूपं रूपान्तराद्र्यावर्तते तदेव कथमनुवृत्तिमासा - दयति, यच्चानुवर्तते तत्कथं व्यावृत्तिमाश्रयति इति वक्तव्यं, अनुवृत्तव्यावृत्तरूपतयाध्यक्षतः प्रतीयमाने वस्तुरूपे विरोधासिद्धेः, सामान्यविशेषवच्चित्रज्ञानवच्चित्रपटस्यैकचित्ररूपवद्वा । ૫૭૨ 438. નૈયાયિક— એક જ વસ્તુ સામાન્ય-વિશેષાત્મક કેવી રીતે હોઈ શકે ? એક જ વસ્તુ બીજી વસ્તુઓમાં અનુગત તેમ જ બીજી વસ્તુઓથી વ્યાવૃત્ત કેવી રીતે હોઈ શકે ? એક જ વસ્તુ અનુગતાકાર અર્થાત્ એકાકાર જ્ઞાનનું અને વ્યાવૃત્તાકાર જ્ઞાનનું કા૨ણ કેવી રીતે હોઈ શકે ? સામાન્ય અને વિશેષ તો પરસ્પર વિરોધી છે, તેથી તે એક જ વસ્તુમાં કેવી રીતે સંભવે ? જૈન— [તમે તૈયાયિકો જ સામાન્યવિશેષ નામથી જ પૃથ્વીત્વ આદિ અપર સામાન્યોનો સ્વીકાર કરો છો. તમારા મતે પૃથ્વીત્વ અપર સામાન્ય સામાન્યવિશેષરૂપ છે, પૃથ્વીત્વ અપર સામાન્ય જલ આદિથી વ્યાવૃત્ત હોવાના કારણે વિશેષરૂપ છે તથા પૃથ્વી વ્યક્તિઓમાં અનુગત હોવાથી સામાન્યરૂપ પણ છે, અને તેથી જ પૃથ્વીત્વ વ્યાવૃત્તાકાર જ્ઞાનનું તેમ જ અનુગતાકાર અર્થાત્ એકાકાર જ્ઞાનનું પણ કારણ બને છે. આ તો ખુદ તમે જ સ્વીકાર્યું છે.] વળી, તમે જ અનેક રંગોવાળા એક પટમાં (ચિત્રપટમાં) અનેક રંગાત્મક એક ચિત્રરંગ (ચિત્રરૂપ) પણ સ્વીકાર્યો છે. તથા નીલ, પીત આદિ અનેક આકારોવાળું એક ચિત્રજ્ઞાન પણ તમે અને બૌદ્ધોએ સ્વીકાર્યું જ છે. તેવી જ રીતે, એક જ વસ્તુ અનુગતાકાર તેમ જ વ્યાવૃત્તાકાર અર્થાત્ સામાન્યરૂપ તેમજ વિશેષરૂપ પ્રત્યક્ષથી સિદ્ધ હોય તો તેમાં વિરોધ કેવી રીતે હોઈ શકે ? જેમનો એક સાથે પ્રત્યક્ષાનુભવ થતો હોય તેમનામાં વિરોધ ન હોય. વિરોધ તો તેમનામાં હોય જેમની ઉપલબ્ધિ એક સાથે થઈ શકતી ન હોય. 439, વિશ્વ ાન્તવાદ્યુપન્યસ્તોતો: માથ્થું નિ સામાન્યમાોસ્વિद्विशेष उतोभयं परस्परविविक्तमुतस्विदनुभयमिति विकल्पाः । न तावत्सामान्यम्, केवलस्य तस्यासंभवादर्थक्रियाकारित्ववैकल्याच्च । नापि विशेषः, तस्याननुयायित्वेन साधयितुमशक्यत्वात् । नाप्युभयम्; उभयदोषानतिवृत्तेः । नाप्यनुभयम्; तस्यासतो हेत्वव्यापकत्वेन साध्यत्वायोगात् । तस्माद्विवादास्पदीभूतसामान्यविशेषोभयात्मकसाध्यधर्मस्य साध्यधर्मिणि साधनायान्योन्यानुविद्धान्वयव्यतिरेकस्वभावद्वयात्मैकहेतोः प्रदर्शने लेशतोऽपि नैकान्तपक्षोक्तदोषावकाशः संभवी, अतोऽनेकान्तात्मकं हेतुस्वरूपं Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy