SearchBrowseAboutContactDonate
Page Preview
Page 661
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૭૦ તર્કરહસ્યદીપિકા વસ્તુઓમાં કાર્યકારણભાવ માનીએ તો સહભૂવસ્તુઓમાં જ પરસ્પર કાર્યકારણભાવ માનવો પડે અને સહભૂ વસ્તુઓ વચ્ચે કાર્યકારણભાવ હોતો નથી, જેમ કે ગાયનાં બે સહભૂ શિંગડાં. સ્વોત્પત્તિની ક્ષણ સિવાયની અન્ય ક્ષણે તો તે કાર્ય ઉત્પન્ન કરી શકે નહિ કારણ કે તે ક્ષણિક હોઈ અન્ય ક્ષણોએ તો તેનું અસ્તિત્વ જ નથી અર્થાત્ તે અસત્ છે, અને અસત કારણ કાર્યને ઉત્પન્ન કરી શકતું નથી કેમ કે અસત પદાર્થ સર્વ શક્તિઓથી રહિત હોય છે એટલે તેનામાં કાર્યને ઉત્પન્ન કરવાની શક્તિ હોતી જ નથી. જો અસત્ પદાર્થ પણ કાર્ય ઉત્પન્ન કરવા લાગે તો શશશૃંગ પણ કાર્ય ઉત્પન્ન કરે છે એમ માનવાની આપત્તિ આવે. આમ તૈયાયિકોના એકાન્તમતમાં સાધ્ય અને સાધન આદિનો સંબધ જ જ્યારે ઘટતો નથી ત્યારે હેતુનાં પક્ષધર્મવ આદિ રૂપો કેવી રીતે સિદ્ધ થઈ શકે? પક્ષધર્મત્વ આદિને હેતુનાં લક્ષણ માનવાં અસંગત ઠરે છે. આમ સાધ્ય અને સાધન આદિનો સંબંધ સિદ્ધ કરવો વસ્તુતઃ કઠિન છે. 434. તર્થશાસ્તવત્નિ પ્રતિલિપિ ન ગાયટીતિ, વિચલિતस्वरूपे आत्मनि ज्ञानपौर्वापर्याभावात्, प्रतिक्षणध्वंसिन्यपि कार्यकारणाधुभयग्रहणानुवृत्त्यैकचैतन्याभावात् । 434. એકાન્ત નિત્યવાદી આત્માને સર્વથા અપરિવર્તનશીલ અર્થાત ફૂટસ્થનિત્ય માને છે. તે સર્વથા પરિવર્તનરહિત હોવાથી તેમાં જ્ઞાનના પર્યાયો પણ બદલાતા નથી, અર્થાત પહેલાં અમુક જ્ઞાન, પછી અમુક જ્ઞાન એમ અનેક જ્ઞાનો ક્રમશઃ થતા ન હોઈ જ્ઞાનોમાં પૌર્વાપર્ય હોતું જ નથી. જ્યારે આવો ફૂટસ્થનિત્ય આત્મા હોય ત્યારે તે આત્મા સાધ્ય-સાધનના સંબંધનું ગ્રહણ ન કરી શકે. જે આત્મા સાધ્ય અને સાધનને પહેલાં સાથે સાથે જુએ, પછી ઊહ કે તર્ક દ્વારા તેમના સર્વોપસંહારી અવિનાભાવનું ગ્રહણ કરે, આમ ક્રમશઃ જ્ઞાન કરે તે આત્માને જ સાધ્ય-સાધનના અવિનાભાવ સંબંધનું જ્ઞાન થઈ શકે. જે સદા સર્વથા એકરૂપ જ છે તેમાં ક્રમિક પરિવર્તન અસંભવ છે. એટલે કૂટનિત્ય આત્માને સાધ્ય-સાધનના અવિનાભાવ સંબંધનું જ્ઞાન ઘટતું નથી. અને તૈયાયિકોનો આત્મા કુટસ્થનિત્ય છે. બૌદ્ધો આત્માને એકાન્ત અનિત્ય અર્થાત સર્વથા ક્ષણિક માને છે. ક્ષણિક આત્મા પણ સાધ્ય-સાધનના સંબંધને ગ્રહણ કરી શકે નહિ. જે જ્ઞાનક્ષણે સાધનને જાણ્યું છે તે જ જ્ઞાનક્ષણ સાધ્યને જાણતું નથી અને સાધ્યને જાણનારો જ્ઞાનક્ષણ સાધનને જાણતો નથી. આમ કાર્ય અને કારણ યા સાધ્ય અને સાધન બન્નેને જાણનાર અન્વયી એક ચૈતન્યનો અભાવ હોવાથી તે બન્નેના સંબંધને જાણવો ક્ષણિક આત્મા માટે નિતાત્ત અસંભવ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy