SearchBrowseAboutContactDonate
Page Preview
Page 660
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનમત ૫૬૯ નથી. આમ તમારા મતમાં કોઈ જ વસ્તુ અર્થક્રિયાકારી ઘટતી નથી. તેથી તમારા મતમાં કોઈ પણ વસ્તુ કારણ હોવી સંભવતી નથી, કેમ કે જે કારણ હોય તે કાર્યકારી (અર્થક્રિયાકારી) હોય પણ તમારા મતમાં તો કોઈ વસ્તુ કાર્યકારી નથી. હવે જોઈએ કે નિત્ય વસ્તુ કે અનિત્ય વસ્તુ કેમ કાર્યકારી નથી. પહેલાં જોઈએ કે નિત્ય વસ્તુ કેમ કાર્યકારી નથી. નિત્ય વસ્તુ પોતે કરવાનાં કાર્યો કાં તો ક્રમથી કરે કાં તો અક્રમથી (અર્થાત્ બધાં એકસાથે, યુગપત્). આ બે વિકલ્પો સિવાય ત્રીજો કોઈ વિકલ્પ નથી. નિત્ય વસ્તુ ક્રમથી પોતાનાં કાર્યો કરે છે એમ સ્વીકારીએ તો પ્રશ્ન ઊભો થાય કે બીજી, ત્રીજી ઇત્યાદિ ક્ષણોએ જે કાર્યો તે કરે છે તે કાર્યોને ઉત્પન્ન કરવાનો સ્વભાવ પ્રથમ ક્ષણે તેનામાં નથી ? જો કહો કે સ્વભાવ હોવા છતાં સહકારીઓ ન હોવાથી પ્રથમ ક્ષણે તે બધાં કાર્યો કરતી નથી અને સહાકારીઓ મળતાં તે કાર્યો તે કરે છે, તો સહકારી હોતાં જનકત્વ અને ન હોતાં અજનકત્વ એમ બે સ્વભાવો સ્વીકારવા પડે. પહેલાં જે નિત્ય વસ્તુ અજનક હતી તે સહકારીઓ આવી મળતાં જનક બની જાય છે, એનો અર્થ એ થયો કે નિત્ય વસ્તુ નિત્ય રહી નહિ, તેના સ્વભાવમાં પરિવર્તન થવાથી પરિવર્તનશીલ બની ગઈ. નિત્ય વસ્તુનો તો એક જ સ્વભાવ તમે માનો છો, બે સ્વભાવો તો માનતા નથી. આ તમારા માટે આપત્તિ છે. જો તમે બીજો અક્રમનો વિકલ્પ સ્વીકારશો તો નિત્ય વસ્તુ પ્રથમ ક્ષણે જ તેનાં બધાં કાર્યો કરી નાખશે અને પરિણામે બીજી, ત્રીજી વગેરે ક્ષણે તે અકાર્યકારી બની જશે. આમ આ વિકલ્પમાં પણ નિત્ય વસ્તુ પ્રથમ ક્ષણે કાર્યકારી અને અન્ય ક્ષણોએ અકાર્યકારી એમ બે સ્વભાવોવાળી બની જઈ નિત્યત્વ ગુમાવે જે તમને ઇષ્ટ નથી, તમને તો નિત્ય વસ્તુનો એક જ સ્વભાવ ઇષ્ટ છે. હવે જોઈએ કે અનિત્ય (સર્વથા ક્ષણિક) વસ્તુ કેમ કાર્યકારી નથી. સર્વથા ક્ષણિક વસ્તુ ન તો પોતાના સદ્ભાવ વખતે કાર્યકારી છે કે ન તો પોતાના અસદ્ભાવ વખતે કાર્યકારી છે. જો તે પોતાના સદ્ભાવ વખતે જ પોતાના કાર્યને ઉત્પન્ન કરે છે એ પક્ષ સ્વીકારવામાં આવે તો પહેલી વાત તો એ કે સમાન સમયવાળાઓમાં કાર્યકારણભાવ સંભવતો નથી. બીજું, જો એક જ સમયમાં વર્તમાન વસ્તુઓ વચ્ચે કાર્યકારણભાવનો સંભવ માનીએ તો સમસ્ત ઉત્તરોત્તર કાર્ય પૂર્વ પૂર્વ ક્ષણમાં જ ઉત્પન્ન થઈ જાય. નવમો ક્ષણ પોતાની હયાતીમાં જ અર્થાત્ નવમા ક્ષણમાં જ દસમા ક્ષણને ઉત્પન્ન કરી દે, તેવી જ રીતે આઠમો ક્ષણ નવમા ક્ષણને પોતાની હયાતીમાં જ અર્થાત્ આઠમાં ક્ષણમાં જ ઉત્પન્ન કરી દે, સાતમો ક્ષણ આઠમાને પોતાની હયાતીમાં જ અર્થાત્ સાતમા ક્ષણમાં જ ઉત્પન્ન કરી દે, છઠ્ઠો ક્ષણ સાતમા ક્ષણને છઠ્ઠા ક્ષણમાં, આમ સમસ્ત ઉત્તરોત્તર ક્ષણ ખસતો ખસતો પ્રથમ ક્ષણમાં જ ઉત્પન્ન થઈ જાય અને બીજા ક્ષણમાં નાશ પામી જગતને શૂન્ય, ખાલી કરી નાખે. વળી ક્ષણિક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy