SearchBrowseAboutContactDonate
Page Preview
Page 654
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનમત दीनामसद्धित्वे तल्लक्षणाः सर्वेऽपि हेतवोऽसिद्धा एव । 425. હેતુને વિશેષરૂપ તો કહી શકાય જ નહિ, કેમ કે વિશેષ તો અસાધારણ હોય છે, પરસ્પર વિલક્ષણ હોય છે, તેમનામાં અન્વય હોતો નથી, તેથી તેઓ સાધ્યનું અનુમાન ન કરાવી શકે. અન્વય તો સાધારણ અર્થાત્ સદેશ વસ્તુઓમાં જ હોઈ શકે. પરસ્પર નિરપેક્ષ અર્થાત્ અત્યન્ત ભિન્ન સામાન્ય અને વિશેષને હેતુ માનવામાં તો સામાન્ય અને વિશેષ બન્ને પક્ષમાં લાગતા દોષોની આપત્તિ આવે. અનુભયરૂપ હેતુ તો માની શકાય જ નહિ કેમ કે અનુભયરૂપ વસ્તુ તો જગતમાં સંભવતી જ નથી. સામાન્ય અને વિશેષ તો સર્વથા પરસ્પર વ્યાવૃત્ત છે, એકબીજાને વ્યાવૃત્ત કરીને જ રહે છે. જે સામાન્ય હશે તે વિશેષનો વ્યવચ્છેદ કરશે અને જે વિશેષ હશે તે સામાન્યનો વ્યવચ્છેદ કરશે. તેથી જો હેતુ સામાન્યરૂપ ન હોય તો તે વિશેષરૂપ અવશ્ય હોય અને જો તે વિશેષરૂપ ન હોય તો તે સામાન્યરૂપ અવશ્ય હોય. એકનો નિષેધ કરવાથી બીજાનું વિધાન અવશ્યભાવી છે, બન્નેનો નિષેધ એક સાથે કરી જ ન શકાય. આમ અનુભયરૂપ વસ્તુનો જ અભાવ હોવાથી અનુભયરૂપ હેતુ ઘટતો નથી. વળી, બુદ્ધોએ માનેલું બુદ્ઘિકલ્પિત અન્યાપોહરૂપ સામાન્ય તો અવસ્તુ છે, તેનો સાધ્યની સાથે અવિનાભાવ સંબંધ પણ નથી. આમ તે સર્વથા અસિદ્ધ હોવાના કારણે હેતુ બનીને સાધ્યનું સાધક બની શકતું નથી. આ રીતે સામાન્ય આદિ અસિદ્ધ હોવાના કારણે સામાન્ય આદિરૂપ હેતુ પણ અસિદ્ધ જ છે. 426. तथा प्रतिबन्धविकलाः समस्ता अपि परोपन्यस्ता हेतवोऽनैकान्तिका अवगन्तव्याः । न चैकान्तसामान्ययोर्विशेषयोर्वा साध्यसाधनयोः प्रतिबन्ध उपपद्यते । तथाहि - सामान्ययोरेकान्तेन नित्ययोः परस्परमनुपकार्योपकारकभूतयोः कः प्रतिबन्धः, मिथः कार्यकारणादिभावेनोपकार्योपकारकत्वे त्वनित्यत्वापत्तेः । विशेषयोस्तु नियतदेशकालयोः प्रतिबन्धग्रहेऽपि तत्रैव तयोर्ध्वंसात्साध्यधर्मिण्यगृहीतप्रतिबन्ध एवान्यो विशेषो हेतुत्वेनोपादीयमानः कथं नानैकान्तिकः । ૫૬૩ 426. પ્રતિવાદીઓ દ્વારા પ્રયુક્ત હેતુઓનો પોતાનાં સાધ્યો સાથે અવિનાભાવ સંબંધ નથી. તેથી તે બધા હેતુઓને અવિનાભાવશૂન્ય હોવાથી અનૈકાન્તિક જ સમજવા જોઈએ. પરવાદીઓ સાધ્ય અને હેતુને યા તો સામાન્યરૂપ માને છે યા તો વિશેષરૂપ માને છે, તેઓ સામાન્ય વશેષરૂપ તો માનતા જ નથી. તેથી સર્વથા સામાન્યરૂપ યા સર્વથા વિશેષરૂપ હતુ અને સાધ્યમાં અવિનાભાવ સંબંધ જ ઘટતો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy