SearchBrowseAboutContactDonate
Page Preview
Page 650
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનમત પપ૯ निश्चयमुत्पादयेत् । स्वाधारनिश्चयोऽपि निजाधारनिश्चयमिति सकलो जनः सर्वज्ञः प्रसज्यते । 420. નૈયાયિક જે સામાન્ય નિયતદેશવર્તી વ્યક્તિઓમાં રહે છે તે જ સામાન્ય દૂરદેશવર્તી અને અતીતાદિકાલવર્તી વ્યક્તિઓમાં પણ રહે છે. તેથી નિયત દેશમાં (નિયતદેશવર્તી વ્યક્તિઓમાં) તેનું પ્રત્યક્ષ થવાથી તેના દૂરદેશવર્તી અને અતીતાદિકાલવર્તી વ્યક્તિઓમાં રહેતા સ્વરૂપનું પણ પ્રત્યક્ષ થઈ જાય છે. જૈનના, આમ કહેવું બરાબર નથી. જો સામાન્ય નિયતદેશવર્તી વ્યક્તિઓમાં રહેતા સામાન્યથી સર્વથા અભિન્ન હોય તો તે પણ નિયતદેશવર્તી જ બની જશે. એવી હાલતમાં તે સર્વવ્યાપી કે સર્વસ્વ વ્યક્તિવ્યાપી ન હોઈ શકે. આ રીતે વ્યાપી સામાન્યરૂપ હેતુ પ્રત્યક્ષસિદ્ધ ઘટતો નથી. વ્યાપી સામાન્યરૂપ હેતુને અનુમાનસિદ્ધ માનવામાં તો અનવસ્થા રાક્ષસી તમારા પક્ષનો કોળિયો કરી જશે. જે અનુમાન સામાન્યને સિદ્ધ કરવા ખડું થશે તે લિંગજ્ઞાનપૂર્વક જ પ્રવૃત્તિ કરી શકે અને લિંગ વિશેષરૂપતો હોઈ શકે જ નહિ કેમ કે વિશેષનો તો બીજી વ્યક્તિઓમાં અનુગમ હોતો નથી. હવે રહ્યો વિકલ્પ સામાન્યરૂપ લિંગનો. તે સામાન્યરૂપ લિંગ જ્ઞાત થઈને લિંગ બને છે કે અજ્ઞાત રહીને ? અજ્ઞાત રહીને તો તે લિંગ બની શકે જ નહિ, અન્યથા જે વ્યક્તિ ધૂમાદિ લિંગને જાણતી નથી તેને પણ અગ્નિ આદિનું અનુમાન થઈ જાય અને વળી જે વ્યક્તિને જે તે લિંગથી જે તે સાધ્યનું જ્ઞાન થઈ જાય. હવે જો સામાન્યરૂપ લિંગ જ્ઞાત થઈને જ લિંગ બનતું હોય તો તેનું જ્ઞાન પ્રત્યક્ષથી થશે કે અનુમાનથી? પ્રત્યક્ષ તો ઈન્દ્રિય સાથે સંયોગ પામનાર સ્થૂળ પદાર્થોમાં જ પ્રવૃત્ત થાય છે, તેથી પ્રત્યક્ષથી સર્વવ્યાપી સામાન્યનું જ્ઞાન તો થઈ શકે જ નહિ. અનુમાનથી પણ સામાન્યરૂપ લિંગનું જ્ઞાન શક્ય નથી કેમ કે આ અનુમાન પણ લિંગજ્ઞાનપૂર્વક જ થાય, અને લિંગ વિશેષરૂપ નહિ પણ સામાન્યરૂપ જ હોય, આ સામાન્યરૂપ લિંગનું જ્ઞાન પ્રત્યક્ષથી થશે કે અનુમાનથી એ પ્રશ્ન એનો એ જ વારંવાર ખડો થતો જ રહેશે, એનો અન્ન જ નહિ આવે. આ રીતે તો હજાર અનુમાનોની કલ્પના કરીને પણ હજારો વર્ષેય એક સાધ્યનું પણ જ્ઞાન નહિ થઈ શકે. વળી, સામાન્ય તો સર્વ વ્યક્તિઓમાં રહે છે. જો આ સર્વવ્યાપી સામાન્યનું પ્રત્યક્ષ યા અનુમાન કોઈ પણ પ્રમાણથી જ્ઞાન થાય છે એમ માનીએ તો સર્વ વ્યક્તિઓ રૂપ આધારોમાં રહેતા સામાન્યનું જ્ઞાન થતાં જ આધારભૂત સર્વ વ્યક્તિઓનું જ્ઞાન પણ થઈ જ જાય, પરિણામે સર્વ આધારભૂત વ્યક્તિઓનું (અર્થાત્ સર્વદેશ અને સર્વકાલની સઘળી વ્યક્તિઓનું) જ્ઞાન થવાથી સકલ જન સર્વજ્ઞ બની જવાની આપત્તિ આવે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy