SearchBrowseAboutContactDonate
Page Preview
Page 647
Loading...
Download File
Download File
Page Text
________________ પપ૬ તર્કરહસ્યદીપિકા હોવું જોઈએ. વિપક્ષવ્યાવૃત્તિ અને વ્યતિરેકનો સીધો અર્થ જ અવિનાભાવ છે. તેથી અવિનાભાવવિશિષ્ટ અન્વયથી જ હેતુ સાધ્યનો વસ્તુતઃ સાધક બને છે. તે જ રીતે કેવળ વ્યતિરેકથી પણ હેતુમાં ગમતા નથી પરંતુ ગમકતા તો અન્વયની અપેક્ષા રાખનાર વ્યતિરેકથી આવે છે. પરસ્પર નિરપેક્ષ અન્વય અને વ્યતિરેક પણ હેતુની ગમકતામાં કારણ નથી. ગમતા માટે તો પોતાનું સ્વરૂપ છોડ્યા વિના અન્વય અને વ્યતિરેકે પરસ્પર સાપેક્ષ બનીને તાદાભ્ય ધરાવવું જોઈએ. નિશ્ચિત અવિનાભાવી હેતુમાં અન્વય અને વ્યતિરેક પરસ્પર સાપેક્ષ હોય છે અને તાદાસ્ય ધરાવે છે. સાધ્યના અભાવમાં ન હોવું એ સાધ્યના હોતાં જ હોવું એની સાથે તાદાભ્યસંબંધ ધરાવે છે. આમ જૈનો છે કે એકમાત્ર અવિનાભાવને જ હેતુનું લક્ષણ માને છે તેમ છતાં પણ તેમના અનેકાન્ત સિદ્ધાંતને કોઈ ક્ષતિ પહોંચતી નથી, કેમ કે જૈનો હેતુના પ્રયોગને જ માત્ર અવિનાભાવની દષ્ટિએ નિયમિત કરવા ઈચ્છે છે અને નહિ કે હેતુના સ્વભાવને. જો હેતુનો કોઈ પણ એક સ્વભાવનિયત કરી દેવામાં આવે, તેમાં કોઈ પરિવર્તન અને અનેકરૂપતા ન માનવામાં આવે તો તે અસતુ સ્વભાવવાળા શશશંગની જેમ નિઃસ્વભાવ જ બની જાય. તેથી જે હેતુ અનુમાનપ્રયોગની દષ્ટિએ એક માત્ર અવિનાભાવ લક્ષણવાળો છે તે જ સ્વભાવની દૃષ્ટિએ અનેકરૂપ છે, અનેકાન્તાત્મક 417. તથા નનુ શો: મોઃ સર્વ પ્રતિપ્રસિદ્ધમા પ્રતિષ્ઠિતनेकान्तविरुद्धबुद्धिभिर्भवद्भिरन्यैश्च कणभक्षाक्षपादबुद्धादिशिष्यकैरूपन्यस्यमानाः सर्व एव हेतवो विवक्षयासिद्धविरुद्धानैकान्तिकतां स्वीकुर्वन्तीत्यवगन्तव्यम् । तथाहि-पूर्वं तावत्तेषां विरुद्धताभिधीयते । यदि ह्येकस्यैव हेतोस्त्रीणि पञ्च वा रूपाणि वास्तवान्यभ्युपगम्यन्ते, तदा सोऽनेकधर्मात्मकमेव वस्तु साधयतीति कथं न विपर्ययसिद्धिः, एकस्य हेतोरनेकधर्मात्मकस्याभ्युपगमात् । न च यदेव पक्षधर्मस्य सपक्ष एव सत्त्वं तदेव विपक्षात्सर्वतो व्यावृत्तत्वमिति वाच्यं, अन्वयव्यतिरेकयोर्भावाभावरूपयोः सर्वथा तादात्म्यायोगात्, तत्त्वे वा केवलान्वयी केवलव्यतिरेकी वा सर्वो हेतुः स्यात्, न तु त्रिरूप: पञ्चरूपो वा, तथा च साधनाभासोऽपि गमकः 417. વળી, વધુમાં આપ કાન ખોલીને સાંભળી લો કે પ્રમાણસિદ્ધ તથા સર્વાનુભવસિદ્ધ અનેકાન્તવાદાવરુદ્ધ પોતાના ખોટા અભિપ્રાયો ધરાવનારા આપે તેમ Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy