SearchBrowseAboutContactDonate
Page Preview
Page 639
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪૮ તર્કરહસ્યદીપિકા ન જ્યારે એક જ સંશયજ્ઞાનમાં પરસ્પર બે વિરોધી આકારોનો પ્રતિભાસ અને ઉલ્લેખ સ્વીકારે છે ત્યારે તેઓ અનેકાન્તનું ખંડન ન કરી શકે. બધા દાર્શનિકો પોતાની યુક્તિઓ તથા પ્રમાણોને સ્વપક્ષસાધક અને પરપક્ષોછેક માને છે. આમ તેઓ એક જ હેતુમાં (અનુમાનમાં) સ્વપક્ષસાધકતા અને પરપક્ષઅસાધકતા (પરપક્ષબાધકતા) એવા બે વિરુદ્ધ ધર્મો માને જ છે, તો પછી તેઓ અનેકાન્તનું ખંડન ક્યા મોઢે કરશે ? મોરના ઈંડાના તરલ પદાર્થમાં નીલ-પીત વગેરે અનેક રંગો છે, તે રંગોને ન તો સર્વથા એકરૂપ જ કહી શકાય કે ન તો સ્વતન્ત્રભાવે અનેકરૂપ પણ કહી શકાય. તેથી જેવી રીતે મોરના ઈંડામાં નીલ વગેરે બધા રંગો કચિત્ એક–અનેકરૂપે તાદાત્મ્યભાવથી રહે છે તેવી જ રીતે વસ્તુમાં એક અને અનેક, નિત્ય અને અનિત્ય આદિ અનેક ધર્મો કથંચિત્ તાદાત્મ્યરૂપે જ રહે છે, તેઓ ન તો સર્વથા ભિન્ન છે કે ન તો સર્વથા અભિન્ન. એક જ વસ્તુમાં નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ આ ચારે નિક્ષેપોથી વ્યવહાર થાય છે. આ નામ, સ્થાપના આદિ રૂપે અનેકાન્તનું સમર્થન કરતા જૈન આચાર્ય લખે છે કે – “જેવી રીતે મોરના ઈંડામાં નીલ વગેરે અનેક રંગો પરસ્પર મિશ્રિત થઈને કથંચિત્ તાદાતમ્ય રૂપે રહે છે તેવી જ રીતે એક જ ‘ઘટ’ શબ્દમાં નામઘટ, સ્થાપનાઘટ આદિ રૂપે ચાર નિક્ષેપો સાપેક્ષ ભાવે રહે છે, એક જ ‘ઘટ’ શબ્દમાં આ ચારે નિક્ષેપાર્થરૂપ ધર્મ પરસ્પર સાપેક્ષભાવે મળીને રહે છે. (૧). માટીના ઘડામાં ન તો માટી અને ઘડાનો સર્વથા અભેદ (અન્વય) માની શકાય કે ન તો સર્વથા ભેદ. માટીનો ઘડાથી સર્વથા અભેદ નથી કેમ કે માટી એ તો દ્રવ્યસામાન્ય છે, તે પિંડ, શરાવ આદિ અનેકમાં હોય છે, જ્યારે ઘડો તો માટીદ્રવ્યનો એક આકાર છે, પર્યાય છે.ઘટાકાર નાશ પામે છે પણ માટીદ્રવ્ય તો પડ્યું રહે છે. એટલે માટી અને ઘડો તદ્દન એકાન્ત અભિન્ન નથી. માટી અને ઘડાનો સર્વથા ભેદ નથી. માટીદ્રવ્ય વિના માટીના ઘડાનું અસ્તિત્વ જ નથી. માટી માટીના ઘડામાં તેના અસ્તિત્વની સર્વ ક્ષણોમાં, સર્વ અવસ્થાઓમાં અનુસ્યૂત છે. આ અર્થમાં માટી અને ઘડાનો સર્વથા ભેદ નથી. આમ ઘડો ન માટીથી સર્વથા ભિન્ન છે કે ન તો અભિન્ન પરંતુ ભેદરૂપ અને અભેદરૂપ બે જાતિઓથી અતિરિક્ત કથંચિત્ ભેદાભેદરૂપ ત્રીજી જ જાતિનો છે. દ્રવ્યરૂપે ઘટનો માટી સાથે અભેદ છે. પણ પર્યાયરૂપે ઘટનો માટીથી ભેદ છે. (૨).' આ શ્લોકમાં ‘હિ’ શબ્દનો અર્થ ‘યસ્માત્ અર્થાત્ કારણ કે’ છે. નરસિંહાવતાર પ્રસિદ્ધ છે. “તે ઉપરના મુખ આદિ અવયવોમાં સિંહના આકારના તથા અન્ય પગ આદિ અવયવોની દૃષ્ટિએ નરના આકારના છે.તાત્પર્ય એ કે જે ઉક્ત બન્ને પ્રકારના અવયવોનું અખંડ અવિભાગીરૂપ છે તે જ નરસિંહ કહેવાય છે. (૩). તેમાં ભેદ દૃષ્ટિએ ભલે નર અને સિંહની કલ્પના કરવામાં આવે પરંતુ વસ્તુતઃ તે બન્ને પ્રકારના અવયવો સાથે તાદાત્મ્ય ધરાવતો એક અખંડ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy