SearchBrowseAboutContactDonate
Page Preview
Page 640
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનમત ૫૪૯ પદાર્થ છે. તેને ન તો નર કહી શકાય કેમ કે તે અંશતઃ સિંહરૂપ પણ છે કે તેને ન તો સિંહ કહી શકાય કેમ કે તે અંશતઃ નરરૂપ પણ છે. તે તો તે બન્નેથી ભિન્ન એક ત્રીજી જ જાતિનો અખંડ પદાર્થ છે જેમાં બન્ને ભાગ મળે છે. તેનું કારણ એ કે નરસિંહનો વાચક શબ્દ, નરસિંહાકાર જ્ઞાન તથા નરસિંહનું કાર્ય ક્રમશઃ મનુષ્ય અને સિંહના વાચક શબ્દ, જ્ઞાન અને કાર્યથી અત્યન્ત ભિન્ન છે. (૪). જે બૌદ્ધ અને નૈયાયિક ચિંતકો એક જ હેતુમાં અનુક્રમે ત્રણ અને પાંચ રૂપો (લક્ષણો) માને છે તેઓ કેમ એક વસ્તુમાં સત્ અને અસત્ આદિ રૂપો માનતા નથી? [આ તો આશ્ચર્ય કહેવાય.] (પ). 409. यथैकस्यैव नरस्य पितृत्वपुत्रत्वाद्यनेकसंबन्धा भिन्ननिमित्ता न विरुध्यते । तद्यथा - स नरः स्वपित्रपेक्षया पुत्रः, स्वसुतापेक्षया तु पितेत्यादि। अभिन्ननिमित्तास्तु संबन्धा विस्थ्यन्ते, तद्यथा-स्वपित्रपेक्षयैव स पिता पुत्रश्चेत्यादि । एवमनेकान्तेऽपि द्रव्यात्मनैकं पर्यायात्मना त्वेनकमित्यादिभिन्ननिमित्ततया न विरुध्यते । द्रव्यात्मनैवैकमनेकं चेत्यादि त्वभिन्ननिमित्ततया विरुध्यते । अभिन्ननिमित्तत्वं हि विरोधस्य मूलं, न पुनर्भिन्ननिमित्तत्वमिति । सुखदुःखनरदेवादिपर्याया अप्यात्मनो नित्यानित्यत्वाद्यनेकान्तमन्तरेण नोपपद्यन्ते, यथा सर्पदव्यस्य स्थिरस्योत्फणविफणावस्थे मिथो विरुद्धे अपि द्रव्यापेक्षया न विरुद्धे, यथैकस्या अगुल्याः सरलताविनाशो वक्रतोत्पत्तिश्च, यथा वा गोरसे स्थायिनि दुग्धपर्यायविनाशोत्तरदधिपर्यायोत्पादौ संभवन्तौ प्रत्यक्षादिप्रमाणेनोपलब्धौ, एवं सर्वस्य वस्तुनो द्रव्यपर्यायात्मकतापि । 409. જેવી રીતે એક જ પુરુષમાં પિતાપણું-પુત્રપણું આદિ અનેક ધર્મો ભિન્ન ભિન્ન પુરુષોની અપેક્ષાએ ઘટે છે, એમાં કોઈ જ વિરોધ નથી તેવી જ રીતે એક વસ્તુમાં સત્ત્વ અને અસત્ત્વ, નિત્યત્વ અને અનિત્યત્વ આદિ અનેક ધર્મો હોવામાં પણ કોઈ વિરોધ નથી, અર્થાત્ વસ્તુની અનેકાન્તાત્મકતા નિબંધ છે. એકનો એક મનુષ્ય પોતાના પિતાની અપેક્ષાએ પુત્ર છે અને પોતાના પુત્રની અપેક્ષાએ પિતા છે. જે એક જ નિમિત્તથી – પોતાના પિતાની જ અપેક્ષાએ તે પિતા અને પુત્ર બને રૂપોવાળો છે એમ કહીએ તો વિરોધ અવશ્ય આવે પરંતુ પિતા ભિન્ન અપેક્ષાએ છે અને પુત્ર ભિન્ન અપેક્ષાએ છે એમ કહીએ તો તેમાં કોઈ જ વિરોધ આવતો નથી. તેવી જ રીતે અનેકાન્તાત્મક વસ્તુ પણ દ્રવ્યદષ્ટિએ એક તથા પર્યાયદષ્ટિએ અનેક એમ ભિન્ન ભિન્ન દષ્ટિએ (=અપેક્ષાથી, નિમિત્તથી) માનવામાં કોઈ જ વિરોધ નથી. હા, વસ્તુને એક જ દૃષ્ટિએ – દ્રવ્યદૃષ્ટિ જ – એક અને અનેક બન્ને ધર્મોવાળી માનીએ તો તેમાં વિરોધ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy