SearchBrowseAboutContactDonate
Page Preview
Page 636
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનમત ૫૪૫ કાં તો અવયવોનું જ. અભેદપક્ષમાં બન્નેનું અસ્તિત્વ શક્ય નથી. આ રીતનો સર્વથા અભેદ જૈનો સ્વીકારતા જ નથી. તેઓ તો અવયવીને કથંચિત્ અવયવરૂપ જ માને છે. હા, ભેદની વિવક્ષા હોય ત્યારે ‘આ અવયવી છે, આ અવયવો છે', ‘આ અવયવોમાં આ અવયવી છે' આ જાતનો ભેદ અવયવી અને અવયવોનો દર્શાવી શકાય છે. [તાણા-વાણારૂપે પરસ્પર સમ્બદ્ધ તંતુઓને છોડીને તેમનાથી ભિન્ન અર્થાત્ પૃથક્ પટ નામનો કોઈ અતિરિક્ત અવયવી છે જ નહિ.] સર્વત્ર અવયવ અને અવયવીનો કથંચિત્ ભેદાભેદ જ નિર્બાધ પ્રતીતિનો વિષય બને છે. [આપણે ગમે તેટલું ઇચ્છીએ કે તન્તુઓથી પૃથક્ પટ મળે પરંતુ તે મળી શકતો જ નથી, એટલે તેમનો અભેદ છે. તેમની પૃથક્ દેશસ્થિતિ નથી, તેથી તેમનો અભેદ છે. પરંતુ પટની પટસંજ્ઞા છે અને તન્નુની તત્તુસંજ્ઞા છે, આમ સંજ્ઞાભેદ છે. ઉપરાંત લક્ષણભેદ પણ છે. આ ભેદોની દૃષ્ટિએ તન્તુ અને પટમાં ભેદ પણ છે.] આ રીતે અવયવોથી અવયવીનો કથંચિત્ ભિન્નાભિન્ન પ્રતિભાસ થવા છતાં પણ જો તેમનામાં અપ્રતિભાસમાન અત્યન્ત ભેદ માનશો તો પછી અપ્રતિભાસમાન બ્રહ્માદ્વૈત યા શૂન્યાદ્વૈત આદિને પણ માનવાની આપત્તિ આવશે, તેમને પણ તમારે માનવા જોઈએ. [તેવી જ રીતે દહીં અને ઘડો, વગેરેમાં સંયોગસંબંધ માનો છો. બે દ્રવ્યોમાં સંયોગસંબંધ હોય છે, સિવાય કે તે બે દ્રવ્યોમાં અવયવ-અવયવીભાવ ન હોય. ગુણ અને ગુણી, ક્રિયા અને ક્રિયાવાન્, વિશેષ અને નિત્ય દ્રવ્ય તથા અવયવ અને અવયવીમાં સમવાયસંબંધ હોય છે.] સંયોગ,સમવાય, ગુણ, સામાન્યનો ક્રમશઃ પોતાના સંયોગીઓથી, સમવાયીઓથી, ગુણીથી અને વ્યક્તિઓથી તમે નૈયાયિકો અને વૈશેષિકો અત્યન્ત ભેદ માનો છો, તેથી સંયોગ પોતાના સંયોગીઓમાં, સમવાય પોતાના સમવાયીઓમાં, ગુણ પોતાના ગુણીમાં અને સામાન્ય પોતાની વ્યક્તિઓમાં એકદેશથી રહે છે કે સર્વદેશથી એ પ્રશ્ન પૂછી તમને દોષો, ઉપર અવયવ અને અવયવીની બાબતમાં આપ્યા તે પ્રમાણે જ, આપવા જ જોઈએ. આમ સર્વથા ભેદ માનવામાં અનેક દોષો છે અને તેમનો પરિહાર કરવો પણ અસંભવ છે પરંતુ અનેકાન્તવાદમાં કોઈ પણ દોષની ગંધ સુધ્ધાં નથી, તે સર્વથા નિર્દોષ છે. તેથી છેવટે દૂષણોનો પરિહાર કરવા માટે અને વસ્તુવ્યવસ્થા કરવા માટે અનેકાન્તને માન્યા વિના છૂટકો જ નથી ત્યારે સારું તો એ જ છે કે ઈર્ષ્યા અને દુરાગ્રહને છોડીને પહેલેથી જ એનો સ્વીકાર કરી લેવામાં આવે. પ્રતીતિથી બાધિત સર્વથા અર્થાત્ એકાન્ત ભેદની અયોગ્ય કલ્પના કરી આત્માને વ્યર્થ ક્લેશ કરાવવો એમાં શું ડહાપણ છે ? 406. सांख्यः सत्त्वरजस्तमोभिरन्योन्यं विरुद्धैर्गुणैर्ग्रथितं प्रधानमभिदधान एकस्याः प्रकृतेः संसारावस्थामोक्षसमययोः प्रवर्तननिवर्तनधर्मो Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy