SearchBrowseAboutContactDonate
Page Preview
Page 633
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪૨ તર્કરહસ્યદીપિકા કામમાં આવતી લાકડીની અપેક્ષાએ લાંબો અને વાંસની અપેક્ષાએ ટૂંકો સ્વીકારે છે. આમ એકમાં જ પરસ્પર વિરુદ્ધ ધર્મોનો સ્વીકાર અનેકાન્ત જ છે. ઉપરાંત તેઓ દેવદત્તને તેના પિતાની અપેક્ષાએ નાનો અને તેના પુત્રની અપેક્ષાએ મોટો માને છે. અપર સામાન્યને તેઓ સામાન્ય અને વિશેષ ઉભયરૂપ સ્વીકારે છે અને તેથી તેને સામાન્યવિશેષ કહે છે. દ્રવ્યત્વ, ગુણત્વ અને કર્મત્વ સત્તાની અપેક્ષાએ અપર સામાન્ય છે અર્થાત્ સામાન્યવિશેષ છે. જે દ્રવ્યત્વ પૃથ્વી આદિ નવ દ્રવ્યોમાં અનુગત હોવાથી સામાન્યરૂપ છે તે જ દ્રવ્યત્વ ગુણ, કર્મ આદિમાં ન હોવાના કારણે તેમનાથી વ્યાવૃત્ત હોવાના કારણે વિશેષરૂપ પણ છે. તેવી જ રીતે ગુણત્વ આદિ ગુણવ્યક્તિઓમાં અનુગત હોવાથી સામાન્ય છે પરંતુ દ્રવ્ય, કર્મ આદિથી વ્યાવૃત્ત હોવાથી વિશેષ પણ છે, કર્મત્વ ઉત્તેપણ આદિ કર્મવ્યક્તિઓમાં અનુગત હોવાથી સામાન્ય છે પરંતુ દ્રવ્ય,ગુણ આદિથી વ્યાવૃત્ત હોવાથી વિશેષ પણ છે. આમ આ અપર સામાન્યો સામાન્ય પણ છે અને વિશેષ પણ છે, તેથી તેઓ સામાન્યવિશેષ કહેવાય છે. આમ એક જ પદાર્થમાં પરસ્પર વિરુદ્ધ સામાન્યરૂપ અને વિશેષરૂપ ધર્મો હોવાથી તે અનેકાન્ત જ સિદ્ધ થાય છે.વળી, તેઓ હેતુનાં પક્ષધર્મત્વ, સપક્ષસત્ત્વ આદિ પાંચ રૂપો માને છે. આ પણ અનેકાન્તનું દૃષ્ટાન્ત છે. ઉપરાંત, તેઓ એક જ પૃથ્વીના પરમાણુમાં સત્તાના સમવાયસંબંધ દ્વારા સત્તા, દ્રવ્યત્વના સમવાયસંબંધ દ્વારા દ્રવ્યત્વ, પૃથ્વીત્વના સમવાયસંબંધ દ્વારા પૃથ્વીત્વ, પરમાણુત્વના સમવાયસંબંધ દ્વારા પરમાણુત્વ આદિ અનેક સામાન્યો માને છે અને તે જ પરમાણુ તેનામાં રહેનાર અન્યવિશેષના કારણે સ્વવ્યતિરિક્ત સઘળા પરમાણુઓથી વ્યાવૃત્ત હોવાથી વિશેષ પણ છે એમ પણ સ્વીકાર કરે છે. તેથી એક જ પરમાણુમાં સામાન્યાત્મકતા અને વિશેષાત્મકતા તેઓને સ્વીકારવી જ પડે છે. જો સત્ત્વ, દ્રવ્યત્વ, પૃથ્વીત્વ આદિથી તે પરમાણુનો અત્યન્ત ભેદ માનવામાં આવે તો તે પરમાણુ અસત્, અદ્રવ્ય, અપૃથ્વીરૂપ બની જાય. તેવી જ રીતે એક જ દેવદત્તના આત્મામાં સત્ત્વ, દ્રવ્યત્વ, આત્મત્વના સમવાયસંબંધથી સત્ત્વ, દ્રવ્યત્વ, આત્મત્વ સામાન્યો છે અને તે જ દેવદત્તનો આત્મા તેમાં રહેનાર અન્ય વિશેષ દ્વારા યજ્ઞદત્ત વગેરેના આત્માઓથી વ્યાવૃત્ત અર્થાત્ ભિન્ન પણ છે, તેથી દેવદત્તના આત્મામાં વિશેષ પણ છે એમ તેઓ સ્વીકારે છે. આમ એક જ આત્મામાં સામાન્યરૂપતા અને વિશેષરૂપતા એ બે વિરોધી ધર્મો અવશ્ય પ્રાપ્ત થાય છે અને પરિણામે અનેકાન્ત પણ. આ જ રીતે આકાશ, કાલ વગેરેમાં સત્તા, દ્રવ્યત્વની અપેક્ષાએ સામાન્યરૂપતા તથા અન્ય દ્રવ્ય, ગુણ, કર્મ આદિથી ભિન્નતાની અપેક્ષાએ વિશેષરૂપતા સમજી લેવી. નૈયાયિકો અને વૈશેષિકો અનુસાર તુલ્ય આકૃતિ, સમાન ગુણ અને એકસરખી ક્રિયાઓવાળા એકસરખા પરમાણુઓમાં, મુક્ત જીવોના નવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy