SearchBrowseAboutContactDonate
Page Preview
Page 632
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનમત ૫૪૧ ન્યાયભાષ્ય ૧.૧.૩.] વળી, નૈયાયિકો અને વૈશેષિકો એક જ અનેક રંગોવાળા ચિત્રપટરૂપ અવયવીમાં ચિત્ર-વિચિત્ર એક રંગ માને છે. આમ એક ચિત્રરૂપની માન્યતામાં તેમને વિરોધ જણાતો નથી. તેઓ પોતે એક ચિત્રરૂપમાં આવતા વિરોધનો પરિહાર કરે છે. ન્યાયકન્દલીમાં શ્રીધરાચાર્યે વિરોધનો પરિહાર કરતાં લખ્યું છે કે – શંકા– એક રૂપ અનેક સ્વભાવવાળું માનવામાં તો વિરોધ દોષ આવે છે. તેથી એક રૂપને ચિત્રરૂપ માનવું અયુક્ત છે. કોઈ અન્ય મતવાદીએ વિવાદમાં કહ્યું પણ છે કે જો એક છે તો ચિત્ર કેવી રીતે હોઈ શકે? અર્થાત જો એક રૂપ હોય તો તે જ ચિત્રરૂપ કેવી રીતે હોઈ શકે? અને જો તે ચિત્ર હોય તો તેનામાં એકતા કેવી રીતે હોઈ શકે? અર્થાત્ જો ચિત્રરૂપ હોય તો તે ચિત્રરૂપમાં એકરૂપતા કેવી રીતે હોઈ શકે? એકતા અને ચિત્રતા તો પરસ્પર વિરોધી છે. એક છે એમ પણ કહેવું અને ચિત્ર અર્થાત્ અનેક છે એમ પણ કહેવું એ તો વસ્તુતઃ ચિત્રતર છે અર્થાત અત્યન્ત આશ્ચર્યની વાત છે. સમાધાન–એમાં શો વિરોધ છે ? રૂપને ચિત્રસ્વભાવ માનવું કોઈ રીતે અયોગ્ય નથી, કેમ કે ચિત્રસ્વભાવવાળા કારણોથી રૂ૫ સ્વયં ચિત્ર ઉત્પન્ન થાય છે એ તો સૌના પ્રત્યક્ષ અનુભવની વાત છે. પ્રત્યક્ષસિદ્ધ વસ્તુમાં વિરોધ કેવો ?” [પ્રશસ્તપાદભાષ્યકન્ટલીટીકા પૃ.૩૦]. આમ ચિત્રરૂપને માનવું અનેકાન્તને સ્વીકાર્યા વિના શક્ય નથી. ચિત્રરૂપની માન્યતામાં અનેકાન્તનો સ્વીકાર છે જ. વળી, એક જ ધૂપદાનીનો એક ભાગ ઠંડો અને બીજો ભાગ ગરમ અનુભવાય છે. જો કે ધૂપદાનીમાં અવયવભેદ માની શકાય છે પરંતુ ધૂપદાની નામનો અવયવી તો અવયવોથી ભિન્ન એક જ અવયવી છે અને ધૂપદાનીરૂપ એક અવયવીમાં પરસ્પર વિરોધી શીત અને ઉષ્ણ બન્નેય સ્પર્શી અનુભવાય છે. વૈશેષિકોનો જ એ સિદ્ધાન્ત છે કે એક જ પટ આદિ અવયવીમાં એક ભાગે હલનચલન હોય છે અને અન્ય ભાગ અચલ હોય છે, એક ભાગ લાલ રંગના સંયોગથી લાલ હોય છે અને બીજા ભાગમાં રંગ ચડાવ્યો ન હોવાથી તે સફેદ હોય છે, એક ભાગ બીજા કપડાથી ઢંકાયેલો હોય છે અને બીજો ભાગ ઢંકાયા વિનાનો ખુલ્લો હોય છે – આમ અનેક વિરોધી ધર્મો હોવા છતાં પણ કોઈ વિરોધ નથી. ભિન્ન ભિન્ન ભાગોની અપેક્ષાએ ભિન્ન ભિન્ન ધર્મો હોવામાં કોઈ વિરોધ નથી. અહીં પણ તેઓએ વિના કહ્યું અનેકાન્ત સ્વીકાર્યો જ છે. વળી, તેઓ નિત્ય એક ઈશ્વરમાં જગતના સર્જનની ઈચ્છા અને જગતના સંહારની ઈચ્છા, રજો ગુણરૂપ સ્વભાવ અને તમોગુણરૂપ સ્વભાવ, પૃથ્વી-જલ-અગ્નિ-વાયુ-આકાશ આદિ આઠ મૂર્તિઓ, અનેક સાત્વિક સ્વભાવો – આ બધા પરસ્પર વિરોધી ધર્મો યા સ્વભાવનો સ્વીકારે જ છે. આ પણ અનેકાન્તનું જ રૂપ છે. વળી, તેઓ એક જ આમળામાં કમળની અપેક્ષાએ મોટાપણું અને બોરની અપેક્ષાએ નાનાપણું સ્વીકારે છે, એક જ ઈશુદંડને યજ્ઞમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy