SearchBrowseAboutContactDonate
Page Preview
Page 628
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનમત ૫૩૭ સહકારીકારણ છે તથા ચક્ષુરાદિ ઇન્દ્રિયો અધિપતિ પ્રત્યય છે. ચક્ષુરાદિ ઇન્દ્રિયો જ્ઞાનની સ્વામી બનીને કારણ બને છે. જે ઇન્દ્રિયથી જ્ઞાન ઉત્પન્ન થાય છે તે ઇન્દ્રિયના નામથી તે જ્ઞાન ચાક્ષુષ, રાસન આદિ રૂપે ઓળખાય છે, તેથી ચક્ષુ આદિ ઇન્દ્રિયો અધિપતિપ્રત્યય છે.] આ રીતે એક જ રૂપષણ અનેક કાર્યોને એક સાથે ઉત્પન્ન કરે છે. આ બાબતે અમે સૌત્રાન્તિકોને પૂછીએ છીએ કે – તે રૂપષણ યુગપત્ અનેક કાર્યોને એક સ્વભાવથી ઉત્પન્ન કરે છે કે અનેક સ્વભાવોથી? જો એક જ સ્વભાવથી અનેક કાર્યો ઉત્પન્ન કરે છે એ પક્ષ સ્વીકારશો તો તે કાર્યોમાં સ્વભાવભેદ નહિ ઘટે, તે બધાં એક જ સ્વભાવવાળા બની જશે. વળી, આ રીતે નિત્ય પણ જો એક સ્વભાવથી અનેક કાર્યો કરે છે તો તેનાં કાર્યોમાં અભિન્ન સ્વભાવતાની આપત્તિ આપીને તેનો પ્રતિષેધ તમે સૌત્રાન્તિકો શા માટે કરો છો ? જો એક સ્વભાવવાળું હોવાથી નિત્ય કારણ અનેક કાર્યોને કરી શકતું ન હોય તો એક સ્વભાવવાળું ક્ષણિક કારણ પણ અનેક કાર્યોને કેવી રીતે કરી શકે ? નિત્યની જેમ ક્ષણિકને પણ તમે સૌત્રાન્તિકો નિરંશ અને એકસ્વભાવવાળું જ માનો છો. જો તમે સૌત્રાન્તિકો કહો કે વિભિન્ન સહકારીઓની મદદથી નિરંશ અને એકસ્વભાવવાળું હોવા છતાં ક્ષણિક કારણ અનેક કાર્યોને ઉત્પન્ન કરે છે, તો તેવી જ રીતે વિભિન્ન સહકારીઓની મદદથી નિરંશ અને એકસ્વભાવવાળું નિત્ય કારણ પણ અનેક કાર્યોને ઉત્પન્ન કરે છે એ તમારે સ્વીકારી લેવું જોઈએ. જો ક્ષણિક કારણ (રૂપક્ષણ) અનેક સ્વભાવોથી અનેક કાર્યો ઉત્પન્ન કરે છે એ પક્ષ તમે સૌત્રાન્તિકો સ્વીકારશો તો તમારે નિત્ય કારણને પણ અનેક સ્વભાવોથી અનેક કાર્યોને ઉત્પન્ન કરતું સ્વીકારવું જોઈએ. જો કહો કે એક સ્વભાવવાળું હોવાના કારણે કૂટસ્થનિત્ય સદાસ્થાયી કારણમાં અનેક સ્વભાવોની સંભાવના નથી, તો અમે કહીશું કે નિરંશ તથા એકસ્વભાવવાળા ક્ષણિક કારણમાં પણ અનેક સ્વભાવોની સંભાવના નથી. આ રીતે સર્વથા નિત્ય તથા સર્વથા ક્ષણિક વસ્તુમાં બરાબર સમાન દોષો આવે છે. તેથી નિત્યાનિત્યાત્મક વસ્તુને જ કાર્યકારી માનવી યોગ્ય છે. વસ્તુને નિત્યાનિત્યાત્મક માનવાથી સર્વથા નિત્ય અને સર્વથા અનિત્ય પક્ષમાં આવતા બધા દોષોનો પરિહાર થઈ જાય છે. આમ સૌત્રાન્તિકો એક ક્ષણને યુગપતુ અનેક કાર્યકારી માનીને પણ પોતાના સર્વથા ક્ષણિકત્વના સિદ્ધાન્તને સિદ્ધ કરી શક્તા નથી, પરંતુ તેમ છતાં તેઓ સર્વથા ક્ષણિકત્વના આગ્રહને છોડી અનેકાન્તનો (નિત્યાનિત્યત્વનો) સ્વીકાર કરતા નથી.]. 403. ज्ञानवादिनोऽपि ताथागताः स्वार्थाकारयोरभित्रमेकं संवेदनं संवेदनाच्च भिन्नौ ग्राह्यग्राहकाकारौ स्वयमनुभवन्तः कथं स्याद्वादं निरस्येयुः। तथा संवेदनस्य ग्राह्यग्राहकाकारविकलता स्वप्नेऽपि भवद्भिर्नानु Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy