SearchBrowseAboutContactDonate
Page Preview
Page 626
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનમત ૫૩૫ થવાના કારણે બ્રાન્ત છે, પરંતુ તે વિકલ્પજ્ઞાનો પોતાના સ્વરૂપની દષ્ટિએ અભ્રાન્ત છે અર્થાત આવાં વિકલ્પજ્ઞાનો પોતાના જ્ઞાનત્વ સ્વરૂપની દૃષ્ટિએ તો અબ્રાન્ત જ છે. તેવી જ રીતે બોદ્ધો માને છે કે કહેવાતું મિથ્યા વિચન્દ્રજ્ઞાન પણ દ્વિત્વ અંશમાં વિસંવાદી હોવાથી અપ્રમાણ છે પરંતુ ધવલતા, નિયતદેશગમન આદિ ચન્દ્રગત ધર્મોમાં તો તે પ્રમાણ છે જ, તેથી એક જ દ્વિચન્દ્રજ્ઞાનને અંશતઃ પ્રમાણ અને અંશતઃ અપ્રમાણ ગણવું એ અનેકાન્ત જ છે. જે વ્યક્તિને બ્રાન્ત જ્ઞાન ઉત્પન્ન થાય છે તે તે બ્રાન્ત જ્ઞાનને જ્ઞાનરૂપે તો અનુભવે છે પરંતુ બ્રાન્તિરૂપે અનુભવતી નથી. અથવા બ્રાન્ત જ્ઞાન પોતે પોતાની જ્ઞાનરૂપતાનો તો સ્વસંવેદન પ્રત્યક્ષથી સાક્ષાત્કાર કરે છે પણ પોતાની ભ્રાન્તતાનો સાક્ષાત્કાર કરી શકતું નથી. આમ એક જ બ્રાન્ત જ્ઞાનનો અંશતઃ જ્ઞાનરૂપે સાક્ષાત્કાર અને અંશતઃ ભ્રાન્તિરૂપે અસાક્ષાત્કાર એ તો સ્પષ્ટપણે જ બે વિરોધી ભાવોને એક જ વસ્તુમાં દર્શાવતા અનેકાન્તને જ સિદ્ધ કરે છે. વળી, તેવી જ રીતે બૌદ્ધો કોઈ પણ ક્ષણને પૂર્વ ક્ષણનું કાર્ય તથા ઉત્તર ક્ષણનું કારણ માને જ છે. જો તે ક્ષણ પૂર્વ ક્ષણનું કાર્ય ન હોય તો સત્ હોઈને પણ કોઈનાથી તે ઉત્પન્ન ન થઈ હોવાના કારણે નિત્ય જ બની જાય અને જો તે ક્ષણ ઉત્તર ક્ષણને ઉત્પન્ન ન કરે તો અક્રિયાકારી ન હોવાથી અસત્ બની જાય.] તાત્પર્ય એ કે મધ્ય ક્ષણમાં પૂર્વ ક્ષણની અપેક્ષાએ કાર્યતા અને ઉત્તર ક્ષણની અપેક્ષાએ કારણતારૂપ બે વિરુદ્ધ ધર્મો માનવા એ તો ખુલ્લંખુલ્લા અનેકાન્તનો સ્વીકાર જ છે. “જે જ્ઞાન જે અર્થનો આકાર ધારણ કરે છે તે જ્ઞાન તે જ અર્થને જાણે છે, નિરાકાર જ્ઞાન અર્થને જાણતું નથી' આ તદાકારતાના નિયમને બૌદ્ધોએ પ્રમાણતાનો નિયામક માન્યો છે. આ નિયમ અનુસાર અનેક રંગોવાળા ચિત્રપટને જાણનારું જ્ઞાન પણ ચિત્રાકાર જ હોય. તેથી એક જ ચિત્રપટજ્ઞાનને અનેક આકારોવાળું માનવું એ તો એકને ચિત્ર-વિચિત્ર અનેક રૂપો ધરાવતું માનવું છે, અને એ અનેકાન્ત નથી તો શું છે? વળી, આ નિયમ અનુસાર જગતના સમસ્ત પદાર્થોને જાણનારા સર્વજ્ઞ સુરતનું જ્ઞાન સર્વીકાર અર્થાત્ ચિત્ર-વિચિત્ર અનેક આકારોવાળું હોવું જ જોઈએ. આ રીતે સુગતના એક જ જ્ઞાનને સર્વાકારવાળું માનવું એ પણ અનેકાન્તનું સમર્થન જ છે. બૌદ્ધો હેતુનાં ત્રણ રૂપો માને છે – પક્ષસત્ત્વ, સપક્ષસત્ત્વ અને વિપક્ષવ્યાવૃત્તિ. તેઓ હેતુને પક્ષમાં રહેવાના કારણે તથા સપક્ષમાં અર્થાત દૃષ્ટાન્તમાં તેની સત્તા હોવાના કારણે અન્વયાત્મક અને વિપક્ષમાં તેની સત્તા ન હોવાના કારણે વ્યતિરેકાત્મક માને છે. અન્વય અને વ્યતિરેક સ્પષ્ટપણે એકબીજાના વિરોધી છે. આ રીતે એક તરફ તો એક જ હેતુમાં વસ્તુતઃ અન્વય રૂપ અને વ્યતિરેક રૂપ બે વિરોધી રૂપો માનવા અને બીજી બાજુ અનેકાન્તનો પ્રતિષેધ કરવો એ તે કેવી અક્કલમંદી? આ રીતે વેભાષિક આદિ બૌદ્ધ ઉક્ત પ્રકારે સ્યાદ્વાદને સ્વયં સ્વીકારીને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy