SearchBrowseAboutContactDonate
Page Preview
Page 625
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૩૪ તર્કરહસ્યદીપિકા સત્ત્વ, બોધરૂપતા અને સુખરૂપતામાં પ્રમાણ છે જયારે ક્ષણિકતા અને સ્વર્ગપ્રાપણશક્તિયુક્તત્વમાં અપ્રમાણ છે. આમ બૌદ્ધો એક જ પ્રત્યક્ષને પ્રમાણાત્મક અને અપ્રમાણાત્મક માનનારા હોઈ તેમણે અનેકાન્તવાદનો સ્વીકાર કરી જ લીધો છે. [આ જ વસ્તુને જરા બીજા શબ્દોમાં રજૂ કરીએ. બૌદ્ધો અહિંસારૂપ ધર્મક્ષણ પ્રત્યક્ષને પોતાની સત્તામાં પ્રમાણરૂપ તથા સ્વર્ગ પ્રાપ્ત કરાવી આપવાની શક્તિમાં અપ્રમાણરૂપ માને છે. હિંસાથી વિરક્ત થઈને અહિંસક બનવું તથા દાન દેવું આદિ શુભ ક્રિયાઓમાં સ્વર્ગે પહોંચાડવાની શક્તિ આગમથી પ્રસિદ્ધ છે, તે બધી ક્રિયાઓ ક્ષણિક છે. જે વખતે કોઈ વ્યક્તિ કોઈના ઉપર અહિંસા યા દયા કરીને તેને દાન આપે છે તે સમયે અહિંસા-દાન કરનારને અહિંસા-દાનનું પ્રત્યક્ષ થાય છે, આ પ્રત્યક્ષ અહિંસા-દાનની સત્તા, તેમની જ્ઞાનરૂપતા તથા તેમની સુખરૂપતાનો પ્રત્યક્ષ જ અનુભવ કરે છે તથા આગળ ઉપર “મેં દયા કરી તેનાથી મને સન્તોષ યા સુખ થયું' એવો અનુકૂળ વિકલ્પ ઉત્પન્ન કરવાના કારણે અહિંસા આદિની સત્તામાં અને સુખરૂપતામાં પ્રમાણ મનાય છે. અથવા અહિંસા અને દાનાદિ સ્વયં જ્ઞાનક્ષણરૂપ છે, તેથી તેઓ પોતાની સત્તા, જ્ઞાનરૂપતા તથા સુખરૂપતાનો સ્વયં જ અનુભવ કરવાના કારણે અને તેમનો અનુકૂળ વિકલ્પ ઉત્પન્ન કરવાના કારણે ઉક્ત અંશોમાં પ્રમાણ છે. પરંતુ અહિંસા આદિ જ્ઞાનક્ષણોમાં રહેનારી સ્વર્ગપ્રાપણશક્તિમાં તથા તેમની ક્ષણિકતામાં તે અહિંસારૂપ પ્રત્યક્ષજ્ઞાન પ્રમાણ નથી. જો કે અહિંસારૂપ પ્રત્યક્ષજ્ઞાનથી તેની ક્ષણિકતા તથા સ્વર્ગપ્રાપણશક્તિનો અનુભવ થઈ જ જાય છે તેમ છતાં તેમના અનુકૂળ “આ ક્ષણિક છે”, “આ સ્વર્ગપ્રાપક છે' વિકલ્પોની ઉત્પત્તિ થતી ન હોવાના કારણે પ્રસ્તુત પ્રત્યક્ષજ્ઞાન પ્રમાણ મનાતું નથી. આવી રીતે એક અહિંસારૂપ પ્રત્યક્ષજ્ઞાનક્ષણને પોતાની સત્તા આદિમાં પ્રમાણાત્મક તથા પોતાની સ્વર્ગપ્રાપણશક્તિ અને ક્ષણિકતામાં અપ્રમાણાત્મક માનનારા બૌદ્ધોએ અનેકાન્તનો સ્વીકાર કર્યો જ છે.] તેવી જ રીતે બૌદ્ધો નીલાદિ વસ્તુઓને નીલાદિની અપેક્ષાએ પ્રમેય તથા ક્ષણિકત્વ આદિની અપેક્ષાએ અપ્રમેય કહે છે. જે નીલવસ્તુ પોતાનું નીલપણું, પોતાનો ચોરસ આકાર, ઊધ્વકાર આદિની દષ્ટિએ પ્રમેય છે અર્થાત્ પ્રત્યક્ષનો વિષય છે તે જ પોતાના અંદરના ભાગની દષ્ટિએ તથા ક્ષણિકત્વની દૃષ્ટિએ પ્રત્યક્ષ પ્રમાણનો વિષય ન હોવાથી અપ્રમેય પણ છે. આમ એક જ નીલાદિ વસ્તુને પ્રમેય અને અપ્રમેય બન્નરૂપ માનવી એ શું અનેકાન્ત નથી? તેવી જ રીતે બૌદ્ધો સ્વપ્નાદિ ભ્રાન્ત જ્ઞાનને બાહ્ય અર્થની અપેક્ષાએ બ્રાન્ત તથા જ્ઞાનત્વ સ્વરૂપની અપેક્ષાએ અબ્રાન્ત માને છે. સ્વપ્નમાં “હું ધનવાન છું, હું રાજા છું' ઇત્યાદિ વિકલ્પજ્ઞાનો થાય છે. આ વિકલ્પજ્ઞાનો વાસ્તવમાં બહાર ધનવાનપણાનો યા રાજાપણાનો અભાવ હોવાથી જાગતાં જ દારિદ્રયનો અનુભવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy