SearchBrowseAboutContactDonate
Page Preview
Page 624
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનમત ૧૩૩ લે છે પરંતુ ‘આ ક્ષણિક છે' એવા અનુકૂલ વિકલ્પને ઉત્પન્ન ન કરવાના કારણે તે ક્ષણિકાંશમાં પણ પ્રમાણ નથી . જો નિર્વિકલ્પક દર્શન પોતે જ ક્ષણિકાંશમાં પ્રમાણ બનતું હોત તો અનુમાનથી ક્ષણિકત્વને સિદ્ધ કરવાની કોઈ આવશ્યકતા જ ન રહેત, અને પરિણામે ‘સર્વક્ષણિક છે કારણ કે સર્વ સત્ છે' આ અનુમાન નિરર્થક જ થઈ જાત. આ રીતે નિર્વિકલ્પક દર્શન ક્ષણિક અંશમાં પણ પ્રમાણ નથી. નીલ આદિ અંશોમાં તો ‘આ નીલ છે’ આ જાતના અનુકૂલ વિકલ્પને ઉત્પન્ન કરતું હોવાથી તે પ્રમાણ મનાય છે. તાત્પર્ય એ કે એક જ નિર્વિકલ્પક દર્શનને નીલાદિ અંશોમાં અનુકૂલ વિકલ્પ કરતું હોવાથી પ્રમાણરૂપ તથા ક્ષણિક અને અક્ષણિક અંશોમાં અપ્રમાણરૂપ માનનારા બૌદ્ધોને માથે અનેકાન્તવાદને પરાણે સ્વીકારવાનું આવી પડ્યું. તેમણે એક જ નિર્વિકલ્પક દર્શનને પ્રમાણ અને અપ્રમાણ બન્ને રૂપોવાળું માનવું એ અનેકાન્તવાદનું સમર્થન કરવું જ છે. વળી, આ જ રીતે બૌદ્ધો નિર્વિકલ્પક દર્શન પછી ઉત્પન્ન થનારા વિકલ્પજ્ઞાનને બાહ્યાર્થમાં સવિકલ્પક અને સ્વરૂપમાં નિર્વિકલ્પક માને છે. નિર્વિકલ્પક દર્શન પછી ‘આ નીલ છે’, ‘આ પીત છે’ ઇત્યાદિ વિકલ્પજ્ઞાન ઉત્પન્ન થાય છે. આ વિકલ્પજ્ઞાનો પોતાના આકારમાત્રનો જ નિશ્ચય કરનારાં હોય છે. આ વિકલ્પજ્ઞાનો બાહ્ય નીલાદિ અંશોમાં શબ્દયોજના થવાથી સવિકલ્પક જ્ઞાનો છે. સ્વરૂપની દૃષ્ટિએ તે બધાં જ જ્ઞાનો નિર્વિકલ્પક જ હોય છે. જ્ઞાન નિર્વિકલ્પક હોય કે સવિકલ્પક, બન્નેનું સ્વસંવેદન પ્રત્યક્ષ તો નિર્વિકલ્પકરૂપ જ હોય છે. ધર્મકીર્તિ નામના બૌદ્ધ આચાર્યે પોતે જ પોતાની ન્યાયબિન્દુ(૧.૧૦) નામની કૃતિમાં કહ્યું છે કે— ‘સમસ્ત ચિત્ત (અર્થાત્ વસ્તુને ગ્રહણ કરનારાં જ્ઞાનો) તથા ચૈત્ત (અર્થાત્ સુખાદિ વિશેષ અવસ્થાઓના ગ્રાહક જ્ઞાનો) – આ બન્નેનું સ્વરૂપસંવેદન પ્રત્યક્ષ નિર્વિકલ્પક જ હોય છે.’ તેથી એક જ વિકલ્પજ્ઞાનને બાહ્ય નીલાદિની અપેક્ષાએ સવિકલ્પક તથા સ્વરૂપની અપેક્ષાએ નિર્વિકલ્પક આ રીતે સવિકલ્પક અને નિર્વિકલ્પક બન્ને રૂપ માનનારા બૌદ્ધએ અનેકાન્તવાદનો સ્વીકાર કરી જ લીધો છે. તેમણે એક જ વિકલ્પને નિર્વિકલ્પક અને સવિકલ્પક બન્ને રૂપો ધરાવતો માનવો એ અનેકાન્તવાદના સ્વીકાર વિના કેવી રીતે બની શકે ? વળી, અહિંસારૂપ ચિત્ત સ્વયં નિર્વિકલ્પક જ્ઞાનરૂપ છે. તે સત્ છે, જ્ઞાનાત્મક છે, સુખાત્મક છે, સ્વર્ગપ્રાપકશક્તિવાળું છે અને ક્ષણિક છે. પ્રસ્તુત નિર્વિકલ્પક જ્ઞાનનું સ્વસંવેદન પ્રત્યક્ષ સત્ત્વ, બોધરૂપતા, સુખરૂપતા, ક્ષણિકતા અને સ્વર્ગપ્રાપણશક્તિયુક્તત્વનું ગ્રહણ કરે છે જ પરંતુ અનુકૂળ વિકલ્પજ્ઞાન તો સત્ત્વ, બોધરૂપતા અને સુખરૂપતાનું ઉત્પન્ન કરે છે જયારે ક્ષણિકતા અને સ્વર્ગપ્રાપણશક્તિયુક્તત્વનું અનુકૂળ વિકલ્પજ્ઞાન ઉત્પન્ન કરતું નથી. તેથી સ્વસંવેદન પ્રત્યક્ષ (યા જેનું આ સ્વસંવેદન છે તે નિર્વિક્લપક અહિંસારૂપ ચિત્ત અર્થાત્ જ્ઞાન) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy