SearchBrowseAboutContactDonate
Page Preview
Page 621
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૩૦ તર્કરહસ્યદીપિકા સર્વ જીવો મુક્ત બની જાય. આ રીતે અનેકાતવાદમાં “કહેલું વચન પણ ન કહેલું હોવું જોઈએ, કરેલું કાર્ય પણ ન કરેલું હોવું જોઈએ, ખાધેલું ભોજન પણ ન ખાધેલું હોવું જોઈએ” ઇત્યાદિ દૂષણ જે પરવાદીઓ એ આપ્યું છે તેનો પણ ઉપરના વિવેચનથી નિરાસ થઈ જાય છે, [કેમ કે એક જ વસ્તુમાં ભિન્ન અપેક્ષાઓથી વિરોધી ધર્મો માનવા પ્રમાણસિદ્ધ છે. જે કાર્ય કરવામાં આવ્યું છે તેની જ અપેક્ષાએ “કત', જે વાત કહેવામાં આવી છે તેની જ અપેક્ષાએ ઉક્ત' તથા જે ભોજન ખાઈ લીધું છે તેની જ અપેક્ષાએ ભક્ત’ વ્યવહાર થઈ શકે છે અને નહિ કે અન્ય કાર્ય, વાત કે ભોજનની અપેક્ષાએ, તેથી અન્યની અપેક્ષાએ “અકૃત, અનુક્ત યા અભક્ત’ વ્યવહાર થવામાં કોઈ જ બાધા નથી.] 400. નનુ સિદ્ધાનાં ક્ષય: જિમેજોન વિદા, માવત્તિहानिः । द्वितीये सिद्धानामपि सर्वथा कर्मक्षयाभावादसिद्धत्वप्रसङ्गः, संसारिजीववदिति, अत्रोच्यते-सिद्धैरपि स्वकर्मणां क्षयः स्थित्यनुभागप्रकृतिरूपापेक्षया चक्रे, न परमाण्वपेक्षया । न ह्यणूनां क्षयः केनापि कर्तुं पार्यते, अन्यथा मुद्गरादिभिर्घटादीनां परमाणुशो विनाशे कियता कालेन सर्ववस्त्वभावप्रसङ्गः स्यात् । ततस्तत्राप्यनेकान्त एवेति सिद्धं दृष्टेटाविरुद्धमनेकान्तशासनम् । 400. શંકા- આપ જૈનોના સિદ્ધોએ અર્થાત્ મુક્ત જીવોએ કર્મોનો એકાન્ત અર્થાત્ સર્વથા ક્ષય કર્યો છે કે કથંચિત? જો સર્વથા ક્ષય કર્યો છે એ પક્ષ સ્વીકારશો તો અનેકાન્તવાદની હાનિ થશે, અનેકાન્તવાદ રહેશે જ નહિ. જ્યાં કોઈ પણ વાત સર્વથા – “આમ યા આવું જ છે'-માનવામાં આવે ત્યાં એકાન્તવાદની આપત્તિ આવે જ. જો સિદ્ધોએ કર્મોનો ક્ષય કથંચિત્ કર્યો છે એ પણ સ્વીકારશો તો એનો અર્થ એ થયો કે આપ જૈનોના સિદ્ધો સર્વથા કર્મરહિત નથી, તેમનામાં પણ કથંચિત્ કર્મોનો સદ્ભાવ છે, જેમ સંસારી જીવોમાં છે તેમ. આ રીતે અનેકાન્તવાદ મોટી અવ્યવસ્થા પેદા કરી દે છે. જૈન ઉત્તર– સિદ્ધ જીવોએ પણ કર્મપરમાણુઓની સ્થિતિનો (આત્મા સાથે ચોટી રહેવાના સમયગાળાનો), કર્મપરમાણુઓના અનુભાગનો (તીવ્ર યા મન્દ ફળ દેવાની શક્તિનો), આત્મા પ્રતિ તે તે કર્મપ્રકારરૂપે કર્મપરમાણુઓના પરિણમવાનો (પ્રકૃતિનો) નાશ કર્યો છે પણ પરમાણુરૂપે નાશ કર્યો નથી. અર્થાત્ તેમણે પરમાણુઓમાં જે કર્મપરિણમન થયું હતું તેનો નાશ કર્યો છે, પરમાણુઓના પરમાણપણાનો નાશ નથી કર્યો. સિદ્ધોએ પરમાણુઓનો પોતાના આત્મા સાથે જે કર્મરૂપથી સંબંધ હતો તેનો નાશ કરી નાખ્યો છે. પરમાણુરૂપ પુદ્ગલદ્રવ્યનો તેમણે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy