SearchBrowseAboutContactDonate
Page Preview
Page 620
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનમત ૫૨૯ सर्वज्ञोऽपि स्वकेवलज्ञानापेक्षया सर्वज्ञः सांसारिकजीवज्ञानापेक्षया त्वसर्वज्ञः । यदि तदपेक्षयापि सर्वज्ञः स्यात् तदा सर्वजीवानां सर्वज्ञत्वप्रसङ्गः, सर्वज्ञत्वस्यापि छाद्मस्थिकज्ञानित्वप्रसङ्गो वा । सिद्धोऽपि स्वकर्मपरमाणुसंयोगक्षयापेक्षया सिद्धः परजीवकर्मसंयोगापेक्षया त्वसिद्धः । यदि तदपेक्षयापि सिद्धः स्यात् तदा सर्वजीवाना सिद्धत्वप्रसक्तिः स्यात् । एवं 'कृतमपि न कृतम्, उक्तमप्यनुक्तम् भुक्तमप्यभुक्तम्' इत्यादि सर्वं यदुच्यते ;િ તપ નિરસ્તામવયમ્ | (399. આ અમે જે વિવેચન કર્યું તેનાથી તો તમે જ કહ્યું કે “અનેકાન્તવાદમાં પ્રમાણ પણ અપ્રમાણ, સર્વજ્ઞ પણ અસર્વજ્ઞ તથા સિદ્ધ પણ સંસારી બની જશે' ઇત્યાદિ તે પણ કેવળ અર્થશૂન્ય અક્ષરોની ગણના સમાન જ નિરર્થક છે, કેમ કે સ્યાદ્વાદી પ્રમાણને પણ પોતાના વિષયમાં જ પ્રમાણરૂપ માને છે, પરવિષયમાં તો તે અપ્રમાણરૂપ જ છે. સર્વજ્ઞ પણ પોતાના કેવલજ્ઞાનની અપેક્ષાએ (અર્થાત પોતાના કેવલજ્ઞાન દ્વારા જ) સર્વજ્ઞ છે તથા સંસારી જીવોના અલ્પજ્ઞાનની અપેક્ષાએ (અર્થાત સંસારીજીવોના અલ્પજ્ઞાન દ્વારા તો) અસર્વજ્ઞ છે. જો સંસારીઓના જ્ઞાનની અપેક્ષાએ પણ તે સર્વજ્ઞ બની જાય તો એનો અર્થ એ થાય કે બધા સંસારીઓ સર્વજ્ઞ છે. સર્વજ્ઞા પોતાના જ જ્ઞાન દ્વારા સર્વને જાણે છે. જો તે આપણા સંસારીઓના) જ્ઞાન દ્વારા પણ પદાર્થોનું જ્ઞાન કરે તો પછી તેના આત્મા અને આપણા આત્મામાં કોઈ અન્તર જ ન રહે. જેવી રીતે આપણે આપણા જ્ઞાનથી જાણીએ છીએ તેવી જ રીતે સર્વજ્ઞ પણ આપણા જ્ઞાનથી જાણે. આમ સર્વજ્ઞના આત્મા અને આપણા આત્મામાં અભેદ હોવાથી કાં તો સર્વજ્ઞની જેમ આપણે બધા સર્વજ્ઞાતા બની જઈશું, કાં તો સર્વજ્ઞ પણ આપણી જેમ અલ્પજ્ઞ જ બની જશે. સિદ્ધ (મુક્તજીવ) પણ પોતાને લાગેલા કર્મપરમાણુઓથી છૂટીને સિદ્ધ થયા છે તેથી તેઓ સ્વસંયોગી કર્મપરમાણુઓના ક્ષયની અપેક્ષાએ સિદ્ધ છે અને નહિ કે અન્ય આત્માઓ સાથે સંયુક્ત કર્મપરમાણુઓની અપેક્ષાએ. જો તેઓને અન્ય આત્માઓ સાથે સંયુક્ત કર્મપરમાણુઓની અપેક્ષાએ પણ સિદ્ધ માનવામાં આવે તો એનો અર્થ એ થાય કે અન્ય આત્માઓના ધર્મ પણ સિદ્ધજીવના સ્વપર્યાય બની જાય, તેથી તો તે અન્ય આત્માઓ સાથે સંયુક્ત કર્મપરમાણુઓની અપેક્ષાએ પણ સિદ્ધ મનાય”, આ રીતે અન્ય સંસારી આત્માઓ તથા સિદ્ધ આત્માઓમાં સીધો સ્વપર્યાયનો સંબંધ હોવાથી અભેદરૂપતા થઈ જાય અને પરિણામે કાં તો સમસ્ત સંસારી જીવો સિદ્ધ બની જાય કાં તો બધા સિદ્ધો સંસારી બની જાય. અભેદપક્ષમાં એકરૂપતા જ હોઈ શકે, કાં તો સર્વ જીવો સંસારી બન્યા રહે કાં તો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy