SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના ૫૧ બન્ને પ્રત્યક્ષોનો વિષય તો એક જ છે.' નિર્વિકલ્પક પ્રત્યક્ષમાં દ્રવ્ય, ગુણ, કર્મ, સામાન્ય અને સમવાય પદાર્થો સંમુગ્ધરૂપે, અવિભક્તરૂપે જ્ઞાત થાય છે જ્યારે સવિકલ્પક પ્રત્યક્ષમાં તે પદાર્થો સ્વસ્વરૂપે વિભક્તરૂપે જ્ઞાત થાય છે. એટલે પ્રથમને અવિભક્ત આલોચન' એવું નામ આપ્યું છે. કેટલાક નૈયાયિકો નિર્વિકલ્પક અને સવિકલ્પક પ્રત્યક્ષોનો ભેદ બીજી રીતે સમજાવે છે. “આ ઘડો છે એ પ્રકારનું જ્ઞાન સવિકલ્પક પ્રત્યક્ષ છે. સવિકલ્પક પ્રત્યક્ષમાં કોઈ વસ્તુ વિશે કંઈક જ્ઞાત થાય છે અર્થાત્ ઉદેશ્ય સાથે વિધેયને જોડવામાં આવે છે. “આ ઘડો છે એનો અર્થ એ કે આ વસ્તુ ઘટત્વ સામાન્યથી યુક્ત છે. અહીં “આ વસ્તુ ઉદેશ્ય છે અને ઘટત્વ સામાન્ય વિધેય છે. આમ આ જ્ઞાન વિશેષ્યવિશેષણભાવયુક્ત છે, જેમાં આ વસ્તુ (ઘટ)' વિશેષ્ય છે અને ઘટત્વ' વિશેષણ છે. આ સવિકલ્પક જ્ઞાન પહેલાં નિર્વિકલ્પક જ્ઞાનનું હોવું આવશ્યક છે. સવિકલ્પકજ્ઞાન “વિશેષ્ય-વિશેષણજ્ઞાનપૂર્વક થાય છે એટલે એના પહેલાં આપણને વિશેષ્ય અને વિશેષણનું અલગ અલગ જ્ઞાન થયું હોવું જોઈએ. પહેલાં પૃથફ વિશેષ્ય અને વિશેષણનું જ્ઞાન થાય અને પછી જ વિશેષણવિશિષ્ટ વિશેષ્યનું જ્ઞાન થાય. “આ ઘડો છે' એ ઘટત્વવિશિષ્ટ ઘટનું જ્ઞાન છે એટલે તેની પહેલાં પૃથફ ઘટ અને ઘટત્વનું જ્ઞાન આવશ્યક છે જેમાં ઘટ અને ઘટવિશેષ્ય-વિશેષણરૂપે ન હોય. આવા જ્ઞાનને નિર્વિકલ્પક પ્રત્યક્ષ કહે છે. (૨) અનુમાન પર્વત ઉપર ધુમાડો જોઈને અગ્નિનું જ્ઞાન થાય છે. આ અનુમાન પ્રમાણથી થનાર જ્ઞાનનું જાણીતું દષ્ટાન્ત છે. પર્વત ઉપર ધુમાડો જોતાં આપણને યાદ આવે છે કે ધુમાડા અને અગ્નિનું નિયતસાહચર્ય (વ્યાપ્તિ) છે, અર્થાત્ જ્યાં જ્યાં ધુમાડો હોય છે ત્યાં અગ્નિ હોય છે. આ વ્યાપ્તિના સ્મરણ પછી આ વ્યાપ્તિથી વિશિષ્ટ ધુમાડાને આપણે “અગ્નિ સાથે વ્યાપ્તિ સંબંધ રાખનાર ધુમાડો આ પર્વત ઉપર છે' એવી રીતે નિહાળીએ છીએ. આવા વ્યાપ્તિવિશિષ્ટ ધુમાડાના જ્ઞાનને પરામર્શ કહેવામાં આવે છે. ૧. દેવ સવિન તવાને ગૃહાતે ન્યાયમંજરી, પૃ. ૯૨. २. तत्र सामान्यविशेषेषु स्वरूपालोचनमात्रं प्रत्यक्षं प्रमाणं...प्रमितिद्रव्यादिविषयं ज्ञानम्, सामान्यविशेषज्ञानोत्पत्तौ अविभक्तम् आलोचनमा प्रत्यक्षं प्रमाणमस्मिन्नान्यत् प्रमाणान्तरमस्ति... । પ્રશસ્તપાદભાષ્ય. 3. चक्षुःसंयोगाद्यनन्तरं घट इत्याकारकं घटत्वादिविशिष्टं ज्ञानं न संभवति पूर्व विशेषणस्य घटत्वादेर्शानाभावात् । विशिष्टबुद्धौ विशेषणज्ञानस्य कारणत्वात् । तथा च प्रथमतो પટટયોવૈશિષ્ટ નવ હોવ જ્ઞાનં નાથ તવનિર્વિત્પન્ સિદ્ધાન્તમુક્તાવલી, કા. ૫૮. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy