SearchBrowseAboutContactDonate
Page Preview
Page 616
Loading...
Download File
Download File
Page Text
________________ પર ૫ જૈનમત સત્ત્વ અને અસત્ત્વ બન્ને ધર્મો હોવાની પ્રતીતિ થાય છે.] ઉપયોગમાં પણ વિશેષરૂપે જ્ઞાનોપયોગનું સ્વરૂપ છે સ્વ અને અર્થનો નિશ્ચય કરવો અને દર્શનોપયોગનું સ્વરૂપ છે નિરાકાર સામાન્ય આલોચન કરવું, એમનાથી વિપરીત ધર્મો પરરૂપ છે, તેથી આ બેથી પણ જ્ઞાનમાં તેમજ દર્શનમાં સત્ત્વ અને અસત્ત્વની પ્રતીતિ થાય છે. જ્ઞાનમાં પણ પરોક્ષજ્ઞાનનું સ્વરૂપ છે અસ્પષ્ટજ્ઞાન અને પ્રત્યક્ષજ્ઞાનનું સ્વરૂપ છે સ્પષ્ટજ્ઞાન, દર્શનમાં પણ ચક્ષુદર્શનનું સ્વરૂપ છે ચક્ષુન્દ્રિય દ્વારા થનારા જ્ઞાન પહેલાં પદાર્થનું નિરાકાર સામાન્ય અવલોકન કરવું અને અચક્ષુ દર્શનનું સ્વરૂપ છે ચક્ષુથી ભિન્નસ્પર્શન આદિ ઇન્દ્રિયોથી થનારા જ્ઞાનો પહેલાં નિરાકાર સામાન્ય પ્રતીતિ કરવી. અવધિજ્ઞાન પહેલાં થનારો નિરાકાર સામાન્ય પ્રતિભાસ અવધિદર્શન છે. આ તો થયાં તેમના સ્વરૂપો, અને તેમનાથી વિપરીત ધર્મો છે પરરૂપો. આ તેમનાં સ્વરૂપો અને પરરૂપો દ્વારા તેમનામાં સત્ત્વ અને અસત્ત્વની પ્રતીતિ થાય છે. પરોક્ષમાં પણ મતિજ્ઞાનનું સ્વરૂપ છે ઈન્દ્રિય અને મન દ્વારા સ્વ અને પરનો નિશ્ચય કરવો અને શ્રુતજ્ઞાનનું સ્વરૂપ છે મનો માત્ર નિમિત્તથી ઉત્પન્ન થવું. પ્રત્યક્ષમાં પણ અવધિજ્ઞાન અને મન:પર્યાયજ્ઞાનરૂપ વિકલપ્રત્યક્ષનું સ્વરૂપ છે ઇન્દ્રિય અને મનની સહાયતા વિના જ તે તે જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી જ પદાર્થોને સ્પષ્ટ જાણવા. સમસ્ત દ્રવ્યોના સમસ્ત પર્યાયોને સાક્ષાત્ હસ્તામલકત જાણવા એ સ્વરૂપ સકલપ્રત્યક્ષનું છે. આ તો થયાં તેમનાં સ્વરૂપો, અને તેમનાથી વિપરીત ધર્મો તેમનાં પરરૂપો છે. આ તેમનાં સ્વરૂપો અને પરરૂપો દ્વારા વળી પાછી તેમનામાં સત્ત્વ અને અસત્ત્વની પ્રતીતિ થાય છે. આ રીતે આગળ આગળના ધર્મોનાં સ્વરૂપ-પરરૂપનો સમજદાર પુરુષોએ પોતે જાતે જ વિચાર કરી લેવો જોઈએ, કેમ કે તેમનાં વિશેષ-પ્રતિવિશેષો અર્થાત ભેદપ્રભેદો અનન્ત છે, જેની જેટલી બુદ્ધિ અને શક્તિ હશે તે તેટલા જ સ્વરૂપપરરૂપની કલ્પના કરી શકશે. આ રીતે ઘટ-પટ આદિ પદાર્થોનાં પણ સ્વરૂપ અને પરરૂપનો વિચાર કરી તેમના દ્વારા સત્ત્વ અને અસત્ત્વનું પ્રતિપાદન કરવું જોઈએ. આ રીતે વસ્તુના સર્વ ધર્મમાં પણ સત્ત્વ અને અસત્ત્વની કલ્પના કરવાથી અનેકાન્તનું ઉદ્દીપન જ થાય છે, એનાથી કોઈ હાનિ થવી તો સંભવતી જ નથી. 394. નનુ સર્વોપ સર્વોત્તરને “થri થH મવતિ' તિ वचो विरुध्यते । मैवं वोचः । अद्याप्यनभिज्ञो भवान् स्याद्वादामृतरहस्यानां, यतः स्वधर्म्यपेक्षया यो धर्मः सत्त्वादिः स एव स्वधर्मान्तरापेक्षया धर्मी, एवमेवानेकान्तात्मकव्यवस्थोपपत्तेः । ततः सत्त्वेऽपि सत्त्वान्तरकल्पनायां सत्त्वस्य धर्मित्वं, सत्त्वान्तरस्य च धर्मत्वमिति धर्मिण एव धर्माभ्युपगमान्न Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy