SearchBrowseAboutContactDonate
Page Preview
Page 611
Loading...
Download File
Download File
Page Text
________________ તર્કરહસ્યદીપિકા ન સહાનવસ્થાનરૂપ વિરોધ માનવો પડે. જો સત્ત્વના રહેવાના સમયે અસત્ત્વની વસ્તુમાં અનુપલબ્ધિ હોત તો કદાચિત્ સત્ત્વ અને અસત્ત્વમાં સહાનવસ્થાનરૂપ વિરોધ મનાત. પરંતુ જે સમયે ઘડો ઘડો છે તે જ સમયે ઘડો પટ નથી. આમ એક સમયે ઘડામાં અસ્તિત્વની અને નાસ્તિત્વની પ્રતીતિ સૌને થાય છે જ. પરસ્પરપરિહારસ્થિતિ નામનો વિરોધ તો એક સ્થાને કેરી વગેરેમાં રૂપ અને રસની જેમ સાથે સંભવતા સત્ત્વ અને અસત્ત્વ વચ્ચે બને, બન્ને સાથે સંભવતા ન હોય તેમની વચ્ચે ન બને કે એક વિદ્યમાન હોય અને બીજો વિદ્યમાન ન હોય તો તેમની વચ્ચે પણ ન બને. અર્થાત્ પરસ્પરપરિહારસ્થિતિ નામનો વિરોધ પોતે જ એક સ્થાને બન્નેના સાથે હોવાનો સ્વીકાર કર્યા વિના ઘટતો નથી. પરસ્પરપરિહારસ્થિતિ નામનો વિરોધ એક જ સ્થાને બે વિદ્યમાન પદાર્થોમાં જ હોય છે, બેય અવિદ્યમાન હોય કે એક વિદ્યમાન અને બીજો અવિદ્યમાન હોય તો તેમનામાં આ વિરોધ હોઈ શકતો નથી. તેથી જો સત્ત્વ અને અસત્ત્વમાં પરસ્પરપરિહારસ્થિતિલક્ષણ વિરોધ માનવો હોય તો વસ્તુમાં બન્નેની સત્તા માનવી પડશે. જ્યારે વસ્તુમાં બન્નેન બક્ષ સિદ્ધ થઈ ગઈ ત્યારે વસ્તુની અનેકાત્મકતા આપોઆપ સિદ્ધ થઈ જ ગઈ. સાપ અન નોળિયામાં વધ્યઘાતકભાવ નામનો વિરોધ છે. આ વિરોધ હમેશા બળવાન અને નબળામાં હોય છે. પરંતુ સત્ત્વ અને અસત્ત્વ તો સમબલ છે, તેથી કોઈ એક બીજાનો ઘાત કરી શકતું નથી. જેમ મોરના ઈંડાના પ્રવાહી પદાર્થમાં સ્વભાવથી જ અનેક રંગ હોય છે તેમ વસ્તુમાં સત્ત્વ અસત્ત્વ આદિ અનેક ધર્મ હોય છે. ૫૨૦ ' 388. વિષ, અયં વિરોધ: જિ સ્વરૂપમાત્રસદ્વાવકૃત:, ઔकालासंभवेन, आहोस्विदेकद्रव्यायोगेन किमेककालैकद्रव्याभावतः, उतैककालैकद्रव्यैकप्रदेशासंभवात् । तत्राद्यो न युक्तः यतो न हि शीतस्पर्शोऽनपेक्षितान्यनिमित्तः स्वात्मसद्भाव एवोष्णस्पर्शेन सह विस्थ्यते उष्णस्पर्शो वेतरेण, अन्यथा त्रैलोक्येऽप्यभावः स्यादनयोरिति । नापि द्वितीयः, एकस्मिन्नपि काले पृथक् पृथग्द्वयोरप्युपलम्भात् । नापि तृतीय:, एकस्मिन्नपि लोहभाजने रात्रौ शीतस्पर्शी दिवा चोष्णस्पर्शः समुपलभ्यते, न च तत्र विरोधः । नापि तुरीयः, धूपकडुच्छकादौ द्वयोरप्युपलम्भात् । पञ्चमोऽपि न घटते, यत एकस्मिन्नेव तप्तलोहभाजने स्पर्शापेक्षया यत्रैवोष्णत्वं तत्रैव प्रदेशे रूपापेक्षया शीतत्वम् । यदि हि रूपापेक्षयाप्युष्णत्वं સ્વાત્, जननयनदहनप्रसङ्गः ' 388. વળી, તમે જ બતાવો કે આ સત્ત્વ-અસત્ત્વ આદિ ધર્મોમાં વિરોધ શાથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy