SearchBrowseAboutContactDonate
Page Preview
Page 609
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૧૮ તર્કરહસ્યદીપિકા છે કે ભેદ અભેદ બન્ને છે ? જો સર્વથા ભેદ જ માનવામાં આવે તો એકાન્તવાદના સ્વીકારની આપત્તિ આવે અને પરિણામે સ્યદ્વાદને ક્ષતિ પહોંચે. જો ભેદ અને અભેદ બન્ને છે એમ કહો તો તે જ પ્રશ્ન બરાબર ઊભો થતો રહેશે. આ રીતે અનવસ્થા દોષ આવશે. આ પ્રમાણે વસ્તુને નિત્યાનિત્યાત્મક યા સામાન્યવિશેષાત્મક માનવાથી પણ અનવસ્થા દોષ આવે છે. 385. तथा सत्त्वस्यान्यदधिकरणमसत्त्वस्य चान्यदिति वैयधिकरण्यम् । तथा येन रूपेण सत्त्वं तेन सत्त्वमसत्त्वं च स्यादिति संकरः, 'युगपदुभयप्राप्तिः संकरः' इति वचनात् । तथा येन रूपेण सत्त्वं तेनासत्त्वमपि स्यात् येन चासत्त्वं तेन सत्त्वमपि स्यादिति व्यतिकरः, 'પરસ્પરविषयगमनं व्यतिकरः' इति वचनात् । 385. અનેકાન્તમાં વૈયધિકરણ્ય દોષ પણ આવે છે. સત્ત્વ ધર્મનો અન્ય આધાર હોવો જોઈએ અને અસત્ત્વ ધર્મનો અન્ય. આમ વિરોધી ધર્મો એક આધારમાં રહી શકતા ન હોઈ વૈયધિકરણ્ય દોષ આવે છે. અનેકાન્તમાં સંકર દોષ પણ આવે છે. અનેકાન્તવાદી જૈન વસ્તુનું સત્ત્વ અને અસત્ત્વ બન્ને ધર્મો સાથે કથંચિત્ તાદાત્મ્ય માને છે, તેથી જે રૂપથી વસ્તુમાં સત્ત્વ છે તે રૂપથી વસ્તુમાં સત્ત્વ પણ હશે અને અસત્ત્વ પણ હશે જ. આ રીતે એક જ રૂપથી બન્ને ધર્મોની યુગપત્ પ્રાપ્તિ હોવાથી સંકર નામનો દોષ આવે છે. કહ્યું પણ છે કે બે ધર્મોની યુગપત્ પ્રાપ્તિને સંકર કહે છે.’ અનેકાન્તમાં વ્યતિકર દોષ પણ આવે છે. જે રૂપથી વસ્તુમાં સત્ત્વ છે તે જ રૂપથી વસ્તુમાં અસત્ત્વ પણ હશે જ અને જે રૂપથી વસ્તુ અસત્ છે તે જ રૂપથી વસ્તુ સત્ પણ હશે જ. આ રીતે વ્યતિકર દોષ આવે છે. કહ્યું પણ છે કે ‘એકબીજાના વિષયમાં હસ્તક્ષેપ કરવાને વ્યતિકર કહે છે.' સત્ત્વના વિષયમાં અસત્ત્વના તથા અસત્ત્વના વિષયમાં સત્ત્વના પહોંચી જવાથી વ્યતિકર દોષ અનેકાન્તમાં સ્પષ્ટ છે. 386. तथा सर्वस्यानेकान्तात्मकत्वेऽङ्गीक्रियमाणे जलादेरप्यनलादिरूपता, अनलादेरपि जलरूपता, ततश्च जलार्थ्यनलादावपि प्रवर्तेत, अनलार्थी च जलादावपीति, ततश्च प्रतिनियतव्यवहारलोपः । तथा च प्रत्यक्षादिप्रमाणबाधः । ततश्च तादृशो वस्तुनोऽसंभव एव । 386. વળી, અનેકાન્તમાં નિયત વ્યવસ્થિત વ્યવહારના લોપની પણ આપત્તિ આવે છે. અર્થાત્ પ્રતિનિયતવ્યવહારલોપનો દોષ આવે છે. બધી વસ્તુઓને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy