SearchBrowseAboutContactDonate
Page Preview
Page 608
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનમત ૫૧૭ હોય ત્યાં સત્ત્વ રહી શકતું નથી. જેમ શીતતા અને ઉષ્ણતા એકબીજીનો પરિહાર કરીને રહે છે તેમ સત્ત્વ અને અસત્ત્વ એકબીજાનો પરિહાર કરીને રહે છે. જો સત્ત્વ અને અસત્ત્વની સ્થિતિ પરસ્પર પરિહાર કરીને ન માનવામાં આવે અર્થાત્ તેમને સાથે રહેતા (સહાવસ્થાન) માનવામાં આવે તો એનો અર્થ એ થાય કે સત્ત્વ પણ અસત્ત્વરૂપે તથા અસત્ત્વ પણ સત્ત્વરૂપે રહે છે, અને આ રીતે તો સત્ત્વ અને અસત્ત્વમાં એકરૂપતા થવાથી અર્થાત્ તેમનો અભેદ થવાથી અસ્તિત્વ તથા નાસ્તિત્વ અર્થાત્ વિદ્યમાનતા તથા અવિદ્યમાનતામાં કોઈ ભેદ જ ન રહે અને પરિણામે જગતનો સઘળો વ્યવસ્થિત વ્યવહાર જ લોપ પામી જાય, ‘છે’ પણ ‘નથી’ કહેવાય તથા ‘નથી’ પણ ‘છે’ કહેવાય. આ જ રીતે નિત્યત્વ-અનિત્યત્વ આદિમાં પણ વિરોધનો દોષ આવે છે. 383. तथा सत्त्वासत्त्वात्मकत्वे वस्तुनोऽभ्युपगम्यमाने सदिदं वस्त्वसद्वेत्यवधारणद्वारेण निर्णीतेरभावात् संशयः । 383. જો વસ્તુ સત્ત્તાસત્ત્વાત્મક હોય તો વસ્તુનો સત્ કે અસત્ કોઈ પણ એક રૂપે નિર્ણય થઈ શકે નહિ, તેથી ‘વસ્તુ સત્ છે કે અસત્' એવો સંશય ઊભો થાય જ. આ રીતે વસ્તુને અનેકાન્ત માનવામાં સંશય નામનો દોષ આવે છે. 384. तथा येनांशेन सत्त्वं तेन किं सत्त्वमेवाहोस्वित्तेनापि सत्त्वासत्त्वम् । यद्याद्यः पक्षः, तदा स्याद्वादहानिः । द्वितीये पुनः येनांशेन सत्त्वं तेन किं सत्त्वमेवाहोस्वित्तेनापि सत्त्वासत्त्वमित्यनवस्था । तथा येनांशेन भेदः तेन किं भेद एवाथ तेनापि भेदाभेदः । आद्ये मतक्षतिः । द्वितीये पुनरनवस्था । एवं नित्यानित्यसामान्यविशेषादिष्वपि वाच्यम् । 384. અનેકાન્તમાં અનવસ્થા દોષ પણ આવે છે. જે સ્વરૂપથી વસ્તુ સત્ છે તે જ સ્વરૂપથી તે શું સત્ જ છે કે પછી તે સ્વરૂપથી પણ તે સત્ત્વ અને અસત્ત્વ બન્નેય ધર્મોવાળી છે ? જો તે સ્વરૂપથી તે સત્ જ હોય તો એકાન્તવાદ થઈ જાય, સર્વથા સત્ જ માનવાથી અનેકાન્તવાદ યા સ્યાદ્વાદ ક્યાં રહ્યો ? જો જે સ્વરૂપથી સત્ છે તે જ સ્વરૂપથી તે સત્ અસત્ બન્ને ધર્મવાળી હોય તો અનવસ્થા નામનો દોષ આવે કેમ કે અહીં પણ વળી પાછો એ જ પ્રશ્ન બરાબર થતો રહેશે કે વસ્તુ જે સ્વરૂપથી સત્ છે તે જ સ્વરૂપથી સત્ જ છે કે સત્ત્વ અને અસત્ત્વ બન્ને ધર્મવાળી ? જો તે સ્વરૂપથી તે સત્ જ હોય તો સ્યાદ્વાદહાનિ થશે, અને જો સત્ અસત્ બન્ને ધર્મવાળી હોય તો વળી પાછો એ જ પ્રશ્ન થશે. આ રીતે અનેક અપ્રામાણિક ધર્મોની કલ્પના કરવાથી અનવસ્થા દોષ આવે છે જ. તેવી જ રીતે જે સ્વરૂપથી વસ્તુમાં ભેદ છે તે જ સ્વરૂપથી વસ્તુમાં ભેદ જ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy