SearchBrowseAboutContactDonate
Page Preview
Page 604
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનમત ૫૧૩ ? व्यतिरेक्यनुमानम् । अनन्ताश्च धर्मा यथैकस्मिन् वस्तुनि भवन्ति, तथा प्रागेव दर्शितम् । धर्माश्चोत्पद्यन्ते व्ययन्ते च धर्मी च द्रव्यरूपतया सदा नित्यमवतिष्ठते । धर्माणां धर्मिणश्च कथंचिदनन्यत्वेन धर्मिणः सदा सत्त्वे कालत्रयवर्तिधर्माणामपि कथंचिच्छक्तिरूपतया सदा सत्त्वं, अन्यथा धर्माणामसत्त्वे कथंचित्तदभिन्नस्य धर्मिणोऽप्यसत्त्वप्रसङ्गात् । 378. અહીં અનન્તધર્માત્મકતાનો ઉત્પાદવ્યયૌવ્યાત્મકતા સાથે અવિનાભાવ સંબંધ દર્શાવવા માટે આ શ્લોકમાં પણ ‘અનન્તધર્મક' પદનો પુનઃ પ્રયોગ કર્યો છે. તેથી પહેલાંના શ્લોકમાં કહેવાયેલ ‘અનન્તધર્માત્મક' પદના કારણે આ શ્લોકમાં આવેલા પદને પુનરુક્ત ન કહેવું જોઈએ, અર્થાત્ પુનરુક્તિદોષની આશંકા ન કરવી જોઈએ, કેમ કે અહીં તેનો પ્રયોગ ઉત્પાદાદિત્રયાત્મકતા સાથે અવિનાભાવ સૂચવવા માટે થયો છે અને તેથી સાર્થક છે, નિરર્થક નથી, નિરર્થક હોત તો પુનરુક્તિદોષ આવત. અનુમાનપ્રયોગ બધી વસ્તુઓ અનન્તધર્માત્મક છે કેમ કે તે ઉત્પાદવ્યયૌવ્યાત્મક છે, જે અનન્તધર્માત્મક નથી તે ઉત્પાદવ્યયૌવ્યાત્મક પણ નથી, જેમ કે આકાશકમલ. આ કેવલવ્યતિરેકી અનુમાન વસ્તુને નિર્વિવાદપણે અનન્તધર્માત્મક સિદ્ધ કરી દે છે. જે જે રીતે એક વસ્તુમાં અનન્તધર્મો સિદ્ધ થાય છે તે બધી રીતો પહેલાં દર્શાવી દીધી છે. ધર્મો યા પર્યાયો ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે તથા ધર્મી યા પર્યાયવાન્ દ્રવ્ય દ્રવ્યરૂપે સદા સ્થિર રહે છે, નિત્ય છે. ધર્મ અને ધર્મીમાં કથંચિત્ અભેદ છે, તેથી ધર્મી સદા સ્થાયી યા નિત્ય હોવાથી તેનાથી અભિન્ન કાલત્રયવર્તી અનન્ત ધર્મો પણ કથંચિત્ અર્થાત્ શક્તિરૂપે સદા અસ્તિત્વ ધરાવે છે. જો ધર્મોનું વૈકાલિક સત્ત્વ ન માનવામાં આવે તો ધર્મોના અભાવથી તેમનાથી અભિન્ન ધર્મીનો પણ અભાવ થઈ જવાની આપત્તિ આવે. - 379. 7 = મિન: સાશાવેજાત્તેન મિન્ના વામિન્ના વ વા ધર્માં:, तथानुपलब्धेः, कथंचित्तद्भिन्नाभिन्नानामेव तेषां प्रतीतेश्च । 379. ધર્મો ન તો ધર્મીથી સર્વથા ભિન્ન જ છે કે ન તો સર્વથા અભિન્ન જ છે, કારણ કે ધર્મીથી સર્વથા ભિન્ન કે સર્વથા અભિન્ન ધર્મો કોઈ પણ પ્રમાણથી ઉપલબ્ધ થતા નથી. પ્રમાણ તો ધર્મ અને ધર્મીમાં કથંચિદ્ ભેદ અને કથંચિત્ અભેદને જ ગ્રહણ કરે છે. ધર્મીને છોડી સ્વતન્ત્ર ધર્મ ક્યાંય દેખાતો નથી અને ધર્મોથી શૂન્ય એકલો ધર્મ પણ ક્યાંય દેખાતો નથી. 380. न चोत्पद्यमानविपद्यमानतत्तद्धर्मसद्भावव्यतिरेकेणापरस्य Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy