SearchBrowseAboutContactDonate
Page Preview
Page 587
Loading...
Download File
Download File
Page Text
________________ તર્કરહસ્યદીપિકા सर्वात्मनावगन्तुमशक्यत्वात्, यश्च सर्वं सर्वात्मना साक्षादुपलभते स एकं स्वपरपर्यायभेदभिन्नं जानाति, अन्यत्राप्युक्तम् " "एको भावः सर्वथा येन दृष्टः, सर्वे भावाः सर्वथा तेन दृष्टाः । સર્વે માવા: સર્વથા યેન તૂટી:, જો માવઃ સર્વથા તેન દ્રષ્ટ : ।।'' ततः सिद्धं प्रमेयत्वादनन्तधर्मात्मकत्वं सकलस्य वस्तुन इति ॥५५॥ ૪૯૬ 360. ભાષ્યકારે પણ કહ્યું છે, “જેઓ અજ્ઞાત રહેતાં જેનું જ્ઞાન થઈ શકતું નથી અને જેઓ જ્ઞાત હોતાં જેનું જ્ઞાન થાય છે તેઓ તેના ધર્મ કેમ ન કહેવાય? જેવી રીતે રૂપ આદિનું જ્ઞાન ન હોતાં ઘડો અજ્ઞાત રહે છે તથા રૂપ આદિનું જ્ઞાન હોતાં જ ઘડાનું જ્ઞાન થાય છે એટલે રૂપ આદિ ઘડાના ધર્મ છે તેવી જ રીતે પરપર્યાયોનું જ્ઞાન ન હોતાં ઘડો યથાર્થ રૂપે અજ્ઞાત રહે છે તથા ૫૨૫ર્યાયોનું જ્ઞાન હોતાં જ ૫૨૫ર્યાયાભાવાત્મક ઘડાનું પરિજ્ઞાન થાય છે એટલે પરપર્યાયોને પણ ઘડાના ધર્મ માનવા જોઈએ.'' તેથી પટાદિપર્યાયો પણ ઘડાના સંબંધી છે, તેમનામાં અને ઘડામાં નાસ્તિત્વરૂપ સંબંધ તો માનવો જ પડશે. સ્વપર્યાયોથી ૫૨૫ર્યાયોનું પ્રમાણ અનન્તગણું છે. સ્વપર્યાયો અને ૫૨૫ર્યાયો બન્નેય બધાં દ્રવ્યોમાં હોય છે. બધાં દ્રવ્યોનું સ્વપર્યાય તથા પરપર્યાયરૂપે પરિણમન થાય છે. સ્વપર્યાયો અને ૫૨૫ર્યાયોનું સાથે મળીને પરિમાણ સર્વ દ્રવ્યોના પર્યાયો જેટલું હોય છે. આ વાત પ્રાચીન ઋષિઓની પરંપરા અનુસાર કહેવામાં આવી છે, કેમ કે આચારાંગસૂત્રમાં જ કહ્યું છે કે— “જે એકને જાણે છે તે સર્વને જાણે છે, અને જે સર્વને જાણે છે તે જ એકને જાણે છે.” આનું તાત્પર્ય એ છે કે જે એક વસ્તુને તેના સઘળા પર્યાયો સાથે નિશ્ચિતરૂપે જાણે છે તેને નિયમથી સર્વ વસ્તુઓનું જ્ઞાન થઈ જ જાય છે. સર્વ વસ્તુઓને જાણ્યા વિના વિવક્ષિત એક વસ્તુમાં સ્વપર્યાયો અને ૫૨૫ર્યાયોનો ભેદ કરીને તે વસ્તુનું યથાર્થ પૂર્ણ જ્ઞાન થઈ શકતું જ નથી. આ વસ્તુનો પરપર્યાયોથી ભેદ સમજવા માટે ૫૨૫ર્યાયોનું જ્ઞાન આવશ્યક છે. જે સર્વ વસ્તુઓને પૂર્ણપણે સાક્ષાત્ જાણે છે તે જ એક વસ્તુમાં સ્વપર્યાયો અને પરપર્યાયોનો ભેદ કરીને તે વસ્તુનું યથાર્થ પૂર્ણ જ્ઞાન કરી શકે છે. સ્વ અને પરનો ભેદ તો સ્વ અને પરના યથાર્થજ્ઞાન વિના અસંભવ છે. બીજાં શાસ્ત્રોમાં પણ આ જ વાતને આ શબ્દોમાં કહી છે— “જેણે એક વસ્તુને સર્વથા સર્વતઃ અર્થાત્ સ્વ-પરનો ભેદ કરીને સર્વ ૫૨ વસ્તુઓથી વ્યાવૃત્ત કરીને પૂર્ણપણે જાણી લીધી છે તેણે સર્વ વસ્તુઓને સર્વથા સર્વતઃ જાણી લીધી છે, કેમ કે બધી વસ્તુઓને જાણ્યા વિના એક વસ્તુનું પૂર્ણ જ્ઞાન સંભવતું નથી. જેણે બધી વસ્તુઓને સર્વથા સર્વતઃ જાણી લીધી છે તે જ એક વસ્તુને સર્વથા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy