SearchBrowseAboutContactDonate
Page Preview
Page 586
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનમત સ્વરૂપમાં સ્થિત છે, કોઈનું સ્વરૂપ બીજાના સ્વરૂપને મળતું નથી, પોતપોતાને સ્વાધીન છે. વસ્તુની આ પ્રતિનિયત સ્વભાવતા (અર્થાત્ અસાધારણ સ્વરૂપનું હોવું) જ વસ્તુઓથી તેનું સ્વરૂપ ભિન્ન છે તે બધી પ્રતિયોગી વસ્તુઓના અભાવ વિના ઘટતી નથી. ઘડાનું સ્વરૂપ પટ આદિથી ભિન્ન છે, તો જ્યાં સુધી પટ આદિનો અભાવ ન હોય ત્યાં સુધી ઘડામાં તેનું પોતાનું અસાધારણ ઘટસ્વરૂપ પણ સિદ્ધ નહિ થાય. તેથી જ્યાં સુધી તે પ્રતિયોગી પરપદાર્થોનું પરિજ્ઞાન ન થાય ત્યાં સુધી આપણે ઘટને તેમનાથી વ્યાવૃત્ત રૂપમાં પરમાર્થતઃ જાણી શકતા નથી. જે પદાર્થનો અભાવ હોય તે પદાર્થને પ્રતિયોગી કહેવામાં આવે છે. પટ પટાભાવનો પ્રતિયોગી કહેવાય. જ્યાં સુધી પટ આદિ પ્રતિયોગીઓનું પરિજ્ઞાન ન થાય ત્યાં સુધી ‘ઘડો પટાભાવરૂપ છે’ એ જ્ઞાન થવું નિતાન્ત અસંભવ છે. ઘડામાં પટ આદિનો અભાવ છે, તેથી ઘડાના જ્ઞાન માટે પ્રતિયોગી પટ આદિનું જ્ઞાન તો પહેલાં હોવું જ જોઈએ. આ ષ્ટિએ પણ પરપર્યાયોને ઘડાના કહી શકાય. જ્યાં સુધી તે પરપર્યાયોનું જ્ઞાન ન થાય ત્યાં સુધી ઘડાના યથાર્થ સ્વરૂપનું પરિજ્ઞાન થઈ જ ન શકે. અનુમાનપ્રયોગ – જેની અનુપલબ્ધિ હોતાં જેના સ્વરૂપનું યથાર્થ પરિજ્ઞાન ન થઈ શકે તે તેનો સંબંધી છે, જેમ કે રૂપ આદિની અનુપલબ્ધિ હોતાં ઘડાનું પરિશાન થઈ શકતું નથી એટલે રૂપ આદિ ઘડાના સંબંધી છે, પટાદિપર્યાયોની અનુપલબ્ધિ હોતાં ઘડાનું યથાર્થ પરિજ્ઞાન થતું નથી એટલે પટાદિપર્યાયો પણ ઘડાના સંબંધી છે. આ હેતુ અસિદ્ધ નથી, કેમ કે જ્યાં સુધી પટાદિપર્યાયરૂપ પ્રતિયોગીઓનું રિજ્ઞાન ન થાય ત્યાં સુધી તેમનો નિષેધ કરીને પટાદિપર્યાયાભાવાત્મક ઘડાનું તત્ત્વતઃ જ્ઞાન જ થઈ શકતું નથી. 360. આહ ચ માધ્ય "जेसु अनासु तओ, न नज्जाए नज्जाए य नाएसु । किह तस्स ते न धम्मा, घडस्स रुवाइधम्मव्व ॥ १ ॥ " तस्मात्पटादिपर्याया अपि घटस्य संबन्धिन इति । परपर्यायाश्च स्वपर्यायेभ्योऽनन्तगुणाः उभये तु स्वपरपर्यायाः सर्वद्रव्यपर्यायपरिमाणा: । न चैतदनार्ष यत उक्तमाचाराङ्गे ‘‘ને ાં નાળફ, તે સવ્વ નાળફ । जे सव्वं जाणइ, से एगं जाणइ ।' ૪૯૫ अस्यायमर्थः- य एकं वस्तूपलभते सर्वपर्यायैः स नियमात्सर्वमुपलभते, सर्वोपलब्धिमन्तरेण विवक्षितस्यैकस्य स्वपरपर्यायभेदभिन्नतया Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy